SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ કરવાનું જેમનું કર્મ રહ્યું છે તે નરેન્દ્રભાઈના પોતાના ૨૮ થી ૩૦ જેટલાં પોતાનાં જ પુસ્તકો છે. ‘મુંબઈ સમાચાર’ તેમનું પ્રિય દૈનિક છે. તેઓનું માનવું છે કે હવે, યલો જર્નાલીઝમ નહીં પણ બ્લેક જર્નાલીઝમનો યુગ શરૂ થઈ ચૂક્યો છે. ‘સાહિત્યશ્રીનિધિ’ ઉપરાંત અનેક નાનાં-મોટાં સન્માન મેળવનાર નરેન્દ્રભાઈએ ‘સાહિત્ય સંગમ' સંસ્થા મારફતે ૪૦ વર્ષમાં ૧૦૮ જેટલા એવોર્ડ્ઝ સમારંભ કરીને વિવિધ સાક્ષરો અને વિદ્ધજ્જનોને આપ્યા છે. સાહિત્ય બ્રહ્મા' પદવીથી તેમણે પત્રકાર અશોક હર્ષને નવાજ્યા છે. તો શ્રી હર્ષે તેમને માટે લખ્યું છે કે, ‘નરેન્દ્ર દવેને ઘણા દ્વિતીયનર્મદ–કે સવાયા વીર નર્મદ' કહે છે. પરંતુ તેમનામાં નર્મદ કરતાં કાંઈક વિશેષ તત્ત્વ છે તે ‘અવ્યાખ્ય’, ‘વિરલ’ અને ‘ક્રાન્તિકારી’ છે. પત્રકાર નીરુભાઈ દેસાઈને તેમનામાં વિવેકાનંદની અને સ્વામી દયાનંદ સરસ્વતી તથા પિતાજી છેલભાઈની ઝાંખી થાય છે. કકલભાઈ કોઠારીના પ્રસિદ્ધ ‘પ્રભાત-નવસૌરાષ્ટ્ર', ગુણવંતરાય આચાર્ય અને છે. ગો. શુક્લ ‘મિસ્કીન’ના ‘મોજમજાહ’ સામયિકમાં તેમની પ્રારંભિક દિવસોની કૃતિ છપાતાં ખૂબ આનંદ થયો એવું તેમણે નોંધ્યું છે. ‘કૃષ્ણાયન’ ‘સાક્ષી ગોપાલ’ તેમની જાણીતી નવલકથાઓ છે. ‘સાહિત્ય ત્રિશૂલ’ ‘ક્રાંતિગુરુ દયાનંદ ઉપર અંગ્રેજી-ગુજરાતીમાં પાંચ ગ્રંથો, ક્રાંતિ સૂર્ય મેઘાણી પર બે પુસ્તકો અને ‘ઊર્ધ્વક્રાન્તિયાત્રા’ના પ્રગટ થતા જતા અંકો તેમનાં જાણીતાં પ્રકાશનો છે. તરુલતા દવે વાર્તાકાર, કટારલેખિકા, તરુલતા દવે એકધારું અને સૌને પ્રિય થઈ રહે તેવું લેખન અસ્ખલિત રીતે કરતાં આવ્યાં છે. ‘દર્પણ’, ‘જત લખવાનું કે’, ‘ગોષ્ઠિ’ તેમની જાણીતી કટારો છે. જે અનેક દૈનિકોમાં ચાલતી હતી અને હજુયે ‘ફૂલછાબ’ ‘સૌરાષ્ટ્ર સમાચાર' અને અમદાવાદના જાણીતા દૈનિકોમાં ચાલુ છે. પ્રસિદ્ધ પત્રકાર, કટારલેખક સાહિત્યકાર પતિ શ્રી રજનીકુમાર પંડ્યાના પ્રેમ અને માર્ગદર્શનથી તરુબહેનની લેખનશૈલી આગવી રીતે વિકસી છે. ‘ગોષ્ઠિ' કૉલમથી તેમને પ્રસિદ્ધિ મળી હતી. ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ (ગુજરાતી)માં આ કૉલમ એ દિવસોમાં ઘણી પ્રસિદ્ધ થઈ હતી. તેમની પ્રથમ નવલિકા ‘લાકડાનો ઘોડો' ‘નવચેતન’ સામયિકમાં છપાઈ હતી. ‘હીબકાં’ અને ‘મહાજ્યોત મોટા' એ તેમની જાણીતી કૃતિઓ છે. Jain Education Intemational પથપ્રદર્શક તંત્રી, એચ. એન. ગોલીબાર ‘ચંદન’ સાપ્તાહિકના તંત્રી, એટમ ગોલીબાર' તરીકે જાણીતા ‘ચક્રમ' ઉપનામથી લખતા ગોલીબાર સાપ્તાહિક જાહેરખબર લીધા વગર વર્ષોથી નિયમિત રીતે પ્રકાશિત કરે જાય છે. ‘ચંદન’નો વાચકવર્ગ ઘણો બહોળો અને વિસ્તરેલો છે. કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં તેમનું લેખનકૌશલ્ય ગિજુભાઈ બધેકા, જીવરામ જોશીની શૈલીની છાંટવાળું રહ્યું એવું તેમનું માનવું છે. તેમની કૃતિઓ પર પ્રેમચંદ, સહાદત હસનમન્ટો, ફિક્ર તૌસવી, કૃષ્ણચંદર, ગુજરાતીમાં ધૂમકેતુ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઝવેરચંદ મેઘાણીની અસર છે એવું તેમનું માનવું છે. કૉલેજકાળ દરમ્યાન એચ. કે. આર્ટ્સના વાર્ષિકઅંકમાં પ્રથમ લખાણ છપાયું તેનાથી આજેપણ અભિભૂત એવા ગોલીબારે નજમાબેનને ‘ફટાકડી' નામે તેમના લેખનકાર્યમાં પણ સ્થાન આપ્યું છે. બી.એ. (અંગ્રેજી સાહિત્ય), ડિપ્લોમા જર્નાલિઝમ એન્ડ પ્રિન્ટીંગ (મુંબઈ) ડિપ્લોમા હાઈડલબર્ગ પ્રેસ સ્કૂલ (જર્મની) જેવી ડિગ્રીઓ ધરાવનાર શ્રી ગોલીબારે એ દિવસોમાં ચંદ્રક પણ મેળવ્યો હતો. તેમનાં કુટુંબમાં તેમનો વારસો જળવાઈ રહ્યો છે. જાહેરખબર ન છાપનારું ‘ચંદન’ એક માત્ર એવું સામયિક છે જે નિશ્ચિત સમયાંતરે નિશ્ચિત હેતુને કેન્દ્રસ્થાને રાખીને બહાર પાડે છે. શ્રી ગોલીબાર ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, કચ્છી, ઉર્દૂ, ફારસી અને સંસ્કૃત ભાષાના પણ જાણકાર છે. અત્યાર સુધીમાં તેમનાં સોળ પુસ્તકો પ્રકાશિત થયાં છે. સામિયકોમાં અત્યાર સુધીમાં હપ્તે હપ્તે છપાઈ હોય એવી ૯૮ નવલકથાઓ (નાની મોટી થઈને) છપાઈ છે. અભિજિત વ્યાસ ફિલ્મો અંગે વિવેચન કરી અધિકૃત વિચાર આપનાર, સજ્જ પત્રકાર અને સિદ્ધહસ્ત તસવીરકાર અભિજિત વ્યાસનું નામ દૈનિકો માટે અજાણ્યું નથી. ત્રણ પરિચય પુસ્તિકા અને ‘ફિલ્માવલોકન' તથા ‘ફિલ્મકલાવિચાર’ જેવા અધિકૃત પુસ્તક આપનાર અભિજિત (અને અમીબેન પણ....) વ્યાસની કૉલમોએ અનેક ગુજરાતી દૈનિકોમાં મોભાનું સ્થાન શોભાવ્યું છે અને લોકોને, શિષ્ટ સમાજમાં ફિલ્મોને કેવી રીતે જોવી-સમજવી તે વિગતે સમજાવ્યું છે. અભિજિતભાઈની અભિવ્યક્તિ સમજવા માટે તેમના લખાણોમાંનું અવતરણ અહીં જાણવું જરૂરી બને છે. તેઓ લખે છે, “ચલચિત્રમાં (ફિલ્મ) દૃશ્ય જ ભાષા છે. એટલે હું એક વાત ઉપર ભાર આપું છું તે એ કે કોઈ એક ફિલ્મને વાર્તા સાથે સંબંધ હોઈ શકે. પણ વાર્તા એ જ ફિલ્મ છે એમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy