SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પરનો ગ્રંથ અત્યારે એમ. એ. સ્તરે પાઠ્યપુસ્તક છે એજ એમની કર્મઠતાનો પુરાવો છે. તેમની હયાતીમાં જ ગુજરાતી સાહિત્ય સંગમે અને ખાસ તો નરેન્દ્ર દવે (સૌરાષ્ટ્રના સિંહ છેલશંકર દવેના પુત્ર) એ શિષ્યભાવે ‘સાહિત્યબ્રહ્મા અશોક હર્ષ એવોર્ડ' નવોદિતો માટે ખુલ્લો મૂક્યો છે. સતત ત્રણ દાયકા સુધી ગુજરાતી સાહિત્યકારોની પ્રથમ રચનાને–રચનાઓને પ્રકાશિત કરી તેમનામાં પ્રોત્સાહનનો પ્રાણવાયુ પૂરનાર અશોક હર્ષનું ઋણ નાના મોટા તમામ વાર્તાકારો સ્વીકારે છે. રાજેન્દ્ર દવે સતત માહિતીપ્રદ લેખો સુંદર અક્ષરે લખીને અખબારે ફાળવેલી જગ્યાને ધ્યાનમાં રાખીને લખનારા રાજેન્દ્રભાઈ દવે ગુજરાતી પત્રકારત્વમાં તથ્યના સંકલનકાર અને એથીયે આગળ વધીને કહીએ તો સંપૂર્ણ માહિતગાર પત્રકાર છે. માત્ર શુદ્ધ માહિતી પૂરી પાડવી અને વાચકની રસક્ષક્ષિત ન થાય એનું ધ્યાન રાખવું એ રાજેન્દ્રભાઈ સારામાં સારી રીતે કરી શક્યા છે. વર્તમાન સમયમાં માધ્યમો જ્યારે મતનિર્માણની પ્રક્રિયામાં એકબીજા પર ભારે થવા જાય છે ત્યારે રાજેન્દ્ર દવેના લેખો વાચકને પોતાનો સ્વતંત્ર મત ઘડવાની છૂટ આપે છે. જે સૌથી મોટું આશ્વાસન છે. ૨૨-૭-૬૧ના રોજ સાવરકુંડલામાં જન્મેલા રાજેન્દ્ર દવેની કર્મભૂમિ હવે રાજકોટ છે. હાલ ફૂલછાબની પૂર્તિઓના સંપાદક તરીકે તેઓ કાર્યરત છે. ૧૯૯૩માં તેમને અમરેલીના ડૉ. જીવરાજ મહેતા ટ્રસ્ટનું ‘સન્માનપત્ર’ મળેલું છે. પરિચય પુસ્તિકાઓમાં બાંગ્લાદેશ ('૯૩), ભારતના રાષ્ટ્રપતિઓ (’૯૪), ભારતના વડાપ્રધાનો ('૯૫), ગુજરાતના મુખ્યપ્રધાનો ('૯૬) જાણીતી છે. કાલિન્દી પારેખ સાથે રાજવી કવિશ્રી કલાપી લખાયું. ગોરધનદાસ સોરઠિયાના અમરેલીની આરસી, અનેક સામયિકો (અઠવાડિક, માસિક તમામ.....)માં રાજેન્દ્ર દવેના માહિતીપ્રદ લેખો સતત આવ્યા કરે છે. ટાઈમ્સ ઑફ ઇન્ડિયા (ગુજરાતી)માં તેમની પરિચય કૉલમમાં તેમણે દેશવિદેશની મહિલાઓની સંઘર્ષ-સફળતા ગાથાનો વાચકોને સીધો સંપર્ક કરાવ્યો હતો. અમેરિકામાં ઇન્ટરનેટ પર ચાલતા અંગ્રેજી સાપ્તાહિકમાં પણ તેઓ ‘અભિષેક' નામે કૉલમ લખે છે. અમરેલીના કવિ રમેશ પારેખ રાજેન્દ્ર દવે અંગે કહે છે Jain Education International texte કે, જે વિષય તે હાથ પર લે છે તેમાં છેક તળિયા સુધી પહોંચી જાય છે. તેનાં દરેક લખાણોમાં ઊંડાણ હોય છે. કદાચ આ જ તેની સફળતાનું રહસ્ય હોઈ શકે.' અંદાજે ૧૦ થી વધુ પુસ્તકોના લેખક શ્રી દવેએ બાળસાહિત્ય અને નિબંધ લેખન ક્ષેત્રમાં પણ પોતાનું આગવું પ્રદાન કર્યું છે. હરીશ નાયક ‘ગુજરાત સમાચાર’ની અમેરિકા આવૃત્તિના સંચાલક સંપાદક હરીશભાઈ નાયકને ગુજરાત અને ગુજરાત બહાર સૌ કોઈ બાળકથાકાર-બાળસાહિત્ય સર્જક તરીકે વધુ જાણે છે. ૫૦૦ કે કદાચ એથીયે વધુ પુસ્તકોના (વિશેષ બાળસાહિત્ય અને પછીના ક્રમે યુદ્ધકથાઓ) લેખક હરીશ નાયકને તેમના લેખન માટે અનેકવિધ પુરસ્કારો મળેલા છે. તેમાં નેશનલ કોન્ફરન્સ ઑફ ચાઈલ્ડ એજ્યુકેશન (૧૯૮૫) નું સન્માન, મરાઠી બાલકુમાર સભાનું સન્માન (૧૯૮૯), એનસીઈઆરટી (૧૯૯૨-૯૩), ૧૯૯૦માં ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક મુખ્ય છે. ‘લડાખના લડવૈયા', ‘એક બકરાની આત્મકથા' અને ‘અક્ષય-માનવ’કૃતિએ તેમને વિશેષ પ્રસિદ્ધિ અપાવી છે. લેખન-પ્રકાશન-વિતરણ યાત્રાને એકલપંડે ઉપાડવાનો સંઘર્ષ કરવો પડે એવા કપરા દિવસો પણ તેમણે જોયા છે. જીવનમાં તડકી વધારે છાંયડી ઓછી (તે હવે પ્રાપ્ત થઈ રહી છે) અનુભવેલા હરીશભાઈએ વાર્તાકથનના માધ્યમથી જનહૃદયબાલહૃદયમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. ૧૯૭૯માં ‘વિશ્વબાળવર્ષ‘માં ૪૦૦ મ્યુ. શાળાઓ તથા ૪૦૦ થી વધુ ખાનગીશાળાઓ મળી એક જ વર્ષમાં પાંચ લાખથી પણ વધુ બાળકોને વાર્તાઓ કહી છે. એક સાથે ત્રણ વાર્તા લખવાની તેમની એક આગવી ટેવ છે. તેમની સર્વપ્રથમ મૌલિકકૃતિ પણ એક નહીં-ત્રણ છે-કચ્છ-બચ્છુ, બુદ્ધિ કોના બાપની, ટાઢનું ઝાડ. તેમનાં પુસ્તક ‘લડાખના લડવૈયા' ને કેન્દ્રસરકારનું ઇનામ મળેલું છે. આ પુસ્તક હિંદીમાં ‘લદ્દાખ કે વીર’ નામે પ્રસિદ્ધ થયું છે. નરેન્દ્ર દવે સંપાદક, પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, ગીતકાર એમ બહુવિધ ઓળખ ધરાવનાર નરેન્દ્ર છેલભાઈ દવેએ પત્રકારત્વમાં અને સાહિત્યના ક્ષેત્રમાં સામે પ્રવાહે તરીને પોતાની ઓળખ ઊભી કરી છે. સૌરાષ્ટ્રના સિંહ છેલભાઈના પુત્ર નરેન્દ્ર દવેએ પોતાની આ ઓળખ સખત મહેનત અને નિષ્ઠાથી ઊભી કરી છે. આજીવન દૈનિકો, સાપ્તાહિકો, માસિકો ચલાવ્યા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy