SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સંપાદક મંજુ ઝવેરી પ્રતિભાવાત્મક સંશ્લેષીય લેખોના લેખિકા, ફાર્બસ ગુજરાત સભાના ‘ત્રૈમાસિક'ના સંપાદિકા, નિબંધલેખિકા મંજુ ઝવેરી વ્યક્તિસ્વાતંત્ર્ય અને જાગતિક પ્રતિબદ્ધતાના પ્રશ્નોમાં નિસબત ધરાવનારાં સન્નારી છે. ૩૦-૧-૨૬ના રોજ મુંબઈમાં જન્મેલાં મંજુ ઝવેરીનું મૂળ વતન પોરબંદર. બી.એ. અને ગ્રંથાલયશાસ્ત્રનો ડિપ્લોમાનું શિક્ષણ લીધું. એ દિવસો દરમ્યાન જાહેરજીવનમાં આવ્યાં. કૉલેજના પ્રથમવર્ષમાં જ જેલવાસ. ઇન્ટરમાં આવ્યા ત્યારે બોલ્શેવિક લેનિનિસ્ટ પાર્ટીમાં જોડાયાં. ૨૬ જાન્યુ ૧૯૪૩માં પત્રકાર, સોશ્યાલીસ્ટ હિંમત ઝવેરી સાથે જેલમાં-એ પરિચયનાં ૧૫ વર્ષ પછી હિંમત ઝવેરી સાથે લગ્ન કર્યું. ફાર્બસ ‘ત્રૈમાસિક’ના સંપાદક તરીકેની કામગીરી સુધી મંજુ ઝવેરીએ માર્ક્સવાદ–ટ્રોટસ્કીવાદ-રામમનોહર લોહિયા વિચાર અને ગાંધી દર્શનની અસરથી ખાળીને કરી છે એવું સાહિત્ય વિવેચકોનું માનવું છે. શ્રી સુરેશ દલાલના મતે લેખિકાઓમાં મંજુ ઝવેરી શ્રેષ્ઠ ઇન્ટેલેકચ્યુઅલ છે. ‘ત્રૈમાસિક’ના સંપાદકીય લેખોનો સંગ્રહ ‘નીરખને' બહુ પ્રશસ્તિ પામેલ પુસ્તક છે. સુરેશ દલાલ ઇમેજ મારફતે તેમની પ્રકાશનયાત્રા આગળ ધપાવશે. સ્વ. શ્રી દર્શકના મતે ‘નીરખને' સાહિત્યકારો માટેનું ‘ઇન્ટરડિસિપ્લિનરી’ વાચન-મનન છે.' ‘પ્રતિસાદ’ પણ તેમની જાણીતી કૃતિ છે. સંપાદક-પ્રકાશક : નાનુભાઈ નાયક ચેતમછંદર, શેખચલ્લી, રમતારામ, અરુણોદય, પડછાયા, સુરેખા, કંકાવટી, અબિલગુલાલ જેવાં સામયિકોના સંપાદક, અનેક દૈનિકોમાં કૉલમલેખક, સામાજિક પ્રશ્નો અંગે લેખો લખનાર આશરે ૩૦ થી વધુ પુસ્તકો લખનાર નાનુભાઈ નાયક જાગૃત અને પ્રતિબદ્ધ લેખક તરીકેની ઓળખ ધરાવે છે. પ્રકાશન એ તેમનો વ્યવસાય છે, પ્રારંભિક લેખન અખંડાનંદ, નવચેતન, ચાંદની અને પ્રજાબંધુમાં છપાયું છે. તેમની પ્રથમ મૌલિક કૃતિ ‘ગુલામીનો વારસો' નવલકથા હતી. જેની પ્રસ્તાવના જ્યોતીન્દ્ર દવેએ લખી આપી હતી. ખેતીની સાથે લેખન-પ્રકાશન પ્રવૃત્ત રહેતા નાનુભાઈ પોતાની પરિસ્થિતિ, કાંઠાની ખારી જમીન, આવળ-બાવળ, કમબુદ્ધિ મજૂરો, મુંબઈની અંધારી આલમ અને પોતાના ખેતરમાં કામ કરતા કોશિયાને પોતાની પ્રેરણામૂર્તિ માને છે. છેવાડાના લોકોની રોજિંદી કડવી વાસ્તવિકતાઓને પ્રકાશકલેખક-સંપાદક નાનુભાઈએ અવારનવાર વાચા આપી છે. ભગવતીકુમાર શર્મા, ચંદ્રકાન્ત બક્ષી, લાભશંકર ઠાકર સાથેનો Jain Education International પથપ્રદર્શક તેમનો લેખક-પ્રકાશક સંબંધ કેટલીક બહુચર્ચિત કૃતિઓના આવિર્ભાવ માટે જવાબદાર બન્યો છે. આધુનિક વાર્તાકાર જનકનાયક તેમના પુત્ર છે. અશોક હર્ષ વિવેચક, વાર્તાકાર, એકાંકીકાર, પત્રકાર અને સંપાદક શ્રી અશોક હર્ષ અંગે રાધેશ્યામ શર્મા નોંધે છે કે, ‘વિવેચનનું એકેય પુસ્તક્ર બહાર પાડી, બહાર આવવાની પરવા કરી નથી છતાં જેમણે જીવનનાં બહુવિધ ક્ષેત્રોનું આકરું વિવેચન અહર્નિય આપ્યા કર્યું છે. તેવા અશોક હર્ષને અમુક અર્થમાં એગ્રી ઓલ્ડ મેન એટ એઈટી ટુ કહેતાં હર્ષ થાય છે.' પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વનું નિર્ભીક ખેડાણ કરનારા અને વખત આવ્યે નોકરી છોડવાની પણ તૈયારી રાખનારા શ્રી અશોક હર્ષનો જન્મ ૨૩-૯-૧૯૧૫માં મુંદ્રાકચ્છમાં થયો. મેટ્રિકમાં હતા ત્યારે રાજકીય ચળવળને કારણે અભ્યાસ છોડ્યો. તેમની ‘લખમી’ નામની પ્રાણી કથા ‘કુમાર’માં છપાઈ. તેમની વય એ સમયે ૧૪ વર્ષની. આશરે ત્રીસથી વધુ પુસ્તકોના લેખક શ્રી અશોક હર્ષે ‘ચાંદની’ માસિકનું પચ્ચીસ વર્ષ સુધી સંપાદન કર્યું. એ ઉપરાંત ‘ગતિ અને રેખા', ‘ભારતી’ ‘વર્તમાન દૈનિક’, ‘પ્રતિમા’, ‘સર્જન' અનેક ત્રૈમાસિકો અને ‘રંગતરંગ’ નું પણ સંપાદન તેમણે કર્યું. આ દરમ્યાન જાણીતા દૈનિકોમાં વિવેચનાત્મક લેખન પણ ચાલુ તો રહ્યું જ. સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અપાતા મોટાભાગના નામી-અનામી એવોર્ડ્ઝ તેમને મળી ચૂકેલ છે. ૧૯૩૦માં ગાંધીજી દાંડીકૂચ વખતે એવું બોલેલા, ‘કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વગર અહીં (આશ્રમમાં) પાછો નહીં આવું.’ ૧૯૩૫માં ગાંધીજી કોઈ કામથી અમદાવાદ આવ્યા ત્યારે ૨૦ વર્ષના અશોક એમને પૂછી બેઠેલા, ‘તમારું વચન યાદ છે?......તમે તો.....આવું બધું કહીને ગયેલા ને.....' બાપુ હસ્યા હશેને? લેખક તરીકે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રણી બની રહી લેખનના માધ્યમથી ગુજરાતમાં આહલેક જગાડવાનું કામ કર્યું હતું. જયંતિ દલાલ, બી. કે. મજમુદાર, નીરુભાઈ દેસાઈ, દિનકર મહેતા, ધનવંત ઓઝા સાથે ચળવળોમાં સક્રિય રસ લીધો હતો. સરદાર પૃથ્વીસિંહ આઝાદને ગુપ્તવાસમાં પણ રાખ્યા હતા. ક્રાંતિકારી વિચારસરણીવાળી તેજાબી કલમે પત્રિકાઓ લખી ઠેર ઠેર વહેંચી પણ ખરી. રાષ્ટ્રીય ચળવળને ખાતર અભ્યાસ છોડનાર અશોક હર્ષનો લખેલ નૃવંશશાસ્ત્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy