SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ રામનારાયણ વિશ્વનાથ પાઠક સ્વામી આનંદ સ્વામી આનંદ કહેતા કે, ઝીણામાં ઝીણાં કામો કે વહેવાર એકસરખી ચીવટથી કરવાની ટેવ પાડવી એ જ જીવનની સિદ્ધિ છે. વીસમી સદીના એક આદર્શ સંન્યાસીના આ વિચારો એમના સાહિત્યમાં ઠેર ઠેર ઊતર્યાં છે. આજની પેઢીએ એમનું સાહિત્ય ખાસ વાંચવું જોઈએ. ‘ધરતીની આરતી' ગ્રંથથી એમને વાંચવાની શરૂઆત કરવી જોઈએ. એમના વિચારોની જેમ એમનું સાહિત્ય પણ નરવું, ગરવું અને નક્કર છે. ભભૂકતા જ્વાળામુખી જેવા ગદ્યના તેઓ સ્વામી છે. તેમની ભાષા હૃદયમાંથી ઉતરી આવી છે. પહાડના ઉદરમાંથી વહી આવતી ધસમસતી સરિતાના જેવો વેગ દાખવતી એમની ભાષા અને શૈલીને પોતાનું વ્યક્તિત્વ છે. માત્ર બાર વર્ષની ઉંમરે એક સાધુની સાથે ઈશ્વરનાં દર્શન કરવા નીકળી પકડ્યા, પરંતુ પછીનું આખુંચે જીવન સાધુની જેમ જ જીવ્યા. લોકમાન્ય ટિંળલ અને ગાંધીજી જેવા મહાપુરુષોના સંપર્કથી તેઓ ખૂબ ઘડાયા, ગાંધીજીના અનુયાયી બની ‘નવજીવન’ અને 'યંગ ઈંડિયા'નું સંપાદન કર્યું અને ત્યારથી તેમને સાહિત્ય સર્જનને વેગ મળ્યો. - જિનવિજયજી મુનિશ્રી Jain Education International પથપ્રદર્શક રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘દ્વિરેફની વાતો’ ભાગ પહેલો પ્રસિદ્ધ થતાં જ ગુજરાતે સમ વાતલિખક મેળવ્યાનો હર્ષ અનુભવ્યો. ‘મુકુન્દરાય’, ‘ખેમી”, ‘એક પ્રશ્ન', ‘ નવો જન્મ’ વગેરે વાર્તાઓ ઉત્તમ વાર્તાકળાના નમૂના છે. પછી, ‘શેષનાં કાવ્યો’ પ્રસિદ્ધ થતાં ગુજરાતી સાહિત્યરસિકો એ કવિતાના પ્રબળ વહેણમાં તણાયા. છંદ વૈવિધ્ય સાથે ઊર્મિકલ્પના અને ચિંતનનો સુભગ સમન્વય એમનાં કાવ્યોમાં થયો છે. ‘સ્વૈરવિહાર' પ્રગટ થતાં મર્મજ્ઞ હાસ્યકારના દર્શન થયાં ! હળવા નિબંધોમાં જીવનની નુક્તેચીની જોવા મળે છે. 'કાવ્યની શક્તિ' પ્રગટ થતાં લેખકને સમર્થ વિવેચકની પ્રતિષ્ઠા મળી. તેમના વિવેચનોમાં કવિતા, સાહિત્ય, ભાષા અને જીવન વચ્ચેના સંબંધની તાત્ત્વિક ચર્ચા જોવા મળે છે. અને 'બૃહતપિંગલ'ના પ્રકાશને તો આ વિદ્વાનને ભારતભરના સમ્માનના અધિકારી બનાવી દીધા. જે જે સ્વરૂપને રામનારાચણ પાઠકની સર્વતોમુખી પ્રતિભાનો સ્પર્શ થયો તેને તેમણે સમૃદ્ધિના શિખર અંબાવ્યાં ! સ્વામી આનંદ જિનવિજયા મુનિશ્રી જૈન તત્ત્વ દર્શન, પ્રાચીન ભારતીય ભાષાઓ અને લિપિશાસ્ત્રના ધરંધર વિદ્વાન શ્રી જિનવિજયજી. તેમણે જૈન તત્ત્વસાર', 'પ્રાચીન જૈનલેખસંગ્રહ', “પ્રાચીન ગુજરાતી ગધસંદર્ભ’, ‘પ્રબંધ ચિંતામણિ' જેવાં મહત્ત્વનાં સંસ્કૃત-પ્રાકૃત પ્રકાશનોનું સંપાદન કર્યું હતુ. ‘સિંધી ગ્રંથમાળા' અને ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાળા' ની પ્રતિષ્ઠા પણ તેમની વિદ્વત્તાને આભારી છે. પ્રાચીન શિલાલેખો અને જૂના દસ્તાવેજો ઉકેલવામાં તો તેઓ નિષ્ણાત હતા. સંશોધનક્ષેત્રે ઇતિહાસ તેમનો પ્રિય વિષય હતો. ‘હરિભદ્રસૂરિનો સમયનિર્ણય' નામનો સંશોધન લેખે જર્મન વિદ્વાન હરમાન યાકોબીને પણ પ્રભાવિત કર્યો હતો. ગાંધીજીની પ્રેરણાથી તેમણે ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિરની સ્થાપના કરી અને આચાર્ય તરીકેની સેવા બજાવી હતી. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ને જૂની ગુજરાતી વગેરે જેવી પ્રાચીન ભાષાઓ પર આપમેળે પ્રભુત્વ મેળવેલ. ઉપરાંત હિંદી, મારવાડી, ગુજરાતી ને મરાઠીમાં લખીવાંચી શકતા હતા. તેમની સતત અભ્યાસી વૃત્તિના ફળ રૂપે તેમના એક સોથી એ વધુ ગ્રંથો પ્રગટ થયા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy