SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકાસાહેબ મરાઠી માતૃભાષા હોવા છતાં ગુજરાતી ભાષા પર અસાધારણ કાબૂ ધરાવતા આ લેખક ‘સવાઈ ગુજરાતી'નું · બિરુદ પામ્યા છે. સૌંદર્યદર્શી ગણાતા આ સર્જકનું મુખ્ય પ્રદાન નિબંધસાહિત્યમાં છે. શિક્ષણ, સમાજ, ધર્મ, રાજકારણ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ચિંતનાત્મક લેખો લખ્યા છે. ગાંધીવિચારધારાથી પ્રભાવિત રાષ્ટ્રભાવના, તેમના લેખોમાં પ્રગટ થાય છે.તેઓ આજીવન પ્રવાસી રહ્યા. ભારતની નદીઓ, સરોવરો, પર્વતો, પ્રપાતો, સાગર વગેરેનાં પ્રકૃતિવર્ણનો પ્રાસાદિક શૈલીમાં તેમણે કર્યા છે, આર્યસંસ્કૃતિ માટેનો પ્રેમ તેમના સાહિત્યમાં છલકાય છે. એમની અવિરત લેખનપ્રવૃત્તિનાં ફળ તે 'પૂર્વરંગ', 'જીવનસંસ્કૃતિ', 'જીવનનો વિકાસ', ‘જીવનનો આનંદ', ‘કાર્લોલકરના લેખો' ભાગ ૧-૨, ‘જીવનભારતી', ‘હિમાલયનો પ્રવાસ’, ‘બ્રહ્મદેશનો પ્રવાસ’, 'લોકમાતા', 'સ્મરણયાત્રા', વગેરે.એમના આ સર્વ પુસ્તકો લખાયાં છે તો ગધમાં, પણ ખરી રીતે તો તેમની કવિતા જ ગધવેશે ઊતરી આવી છે. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકાસાહેબ Jain Education International ગિજુભાઈ બધેકા - ‘બાળકોની મુછાળી મા' તરીકે જાણીતા લોકપ્રિય બાળસાહિત્યકાર અમરેલી જિલ્લાના ચિત્તળ ગામના વતની હતા. તેઓ ગુજરાતીના પ્રથમ અને ઉત્તમ બાળસાહિત્યકાર-બાળથાકાર છે. મોન્ટેસરી પદ્ધતિથી બાળશિક્ષણ-વિકાસ માટે તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા. બાળકોના રસને પોષે, કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત રે, એમના વ્યક્તિત્વ-વક્તરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય તેમણે આપ્યું.મહાત્માઓનાં ચરિત્રો, કિશોરચાઓ ભા.૧-૨, રખડુ ટોળી ભા.૧-૨ વગેરે છ જેટલાં કિશોરસાહિત્યના પુસ્તકો; બાળસાહિત્ય ગ્રંથમાળાશ્રેણીમાં અવલોકન, કથાનાય, પશુપી, હાસ્યવિનોદ જેવી દસ ગ્રંથમાળા: બાળસાહિત્ય ગુચ્છમાં લાલ અને હીરા, દાદાજીની તલવાર જેવાં પચીસ પુસ્તકો તથા ઇસપકથા, આફ્રિકાની સફર જેવાં ચોવીસ બાળપુસ્તકો તેમણે આપ્યાં છે. ગિજુભાઈએ બાળસાહિત્યની રસલહાણ કરી અને વિભાવના સ્પષ્ટ કરી આપી. તેમણે બાળસાહિત્યને એક નવી દિશા ઉઘાડી આપી. ગિજુભાઈ બધેકા કનૈચાલાલ માણેકલાલ મુનશી - વેરની વસૂલાત', ‘કોનો વાંક?', ‘પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'રાજાધિરાજ'- એક પછી એક નવલકથાઓ પ્રસિદ્ધ થતી ગઈ અને ગુજરાતના સાહિત્યાકાશમાં ઉદિત થયેલા આ નવા સિતારાનું નિતનિત વધતું જવું તેજ ગુજરાતના લોકો સહર્ષ ઝીલતા રહ્યા. મુનશીની નવલો ગુજરાતી નવલકથાને એક કોટિ આગળ લઈ જાય છે. ધર્મ, કળા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, રાજનીતિ, કેળવણીવિવિધ ક્ષેત્રે તેમની કલમ ચાલી છે. તેમની પૌરાણિક-ઐતિહાસિક નવલકથાના ભવ્યોદાત્ત પાત્રો-કાક અને મંજરી, મીનળ અને મુંજાલ, મુંજ અને મૃણાલ- એવાં અનેકાનેક પાત્રો ગુજરાતની જનતાના હૈયે ચિરકાળ માટે વસી ગયા છે. નાટ્યક્ષેત્રે સાહિત્ય તત્ત્વથી સભર અને અભિનેય પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક નાટકો આપ્યાં. ગુજરાતીમાં લાંબી છતાં રસિક આત્મકથા મુનશીની છે. સાહિત્ય ઉપરાંત રાજકારણ અને શિક્ષણક્ષેત્રે તેમણે અમૂલ્ય યોગદાન આપી ગુજરાતની અસ્મિતા અને ગૌરવ વધાર્યું છે. For Private & Personal Use Only કનૈયાલાલ માણેકલાલ મુનશી 1 www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy