SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ 30 સુખલાલજી, પંડિત અરદેશર ફરામજી ખબરદાર ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' જેવી અમર પંક્તિના સર્જક પારસી કવિ શ્રી ખબરદાર અણુએ અણુ ગુજરાતી જ હતા. એમનાં સર્જનોમાં ‘રાષ્ટ્રિકા’, ‘વિલાસિકા’, ‘સંદેશિકા’, ‘પ્રકાશિકા', ‘દર્શનિકા', ‘ભજનિકા', ‘કલ્યાણિકા' વગેરે મુખ્ય પદ્યકૃતિઓ છે. ‘ગુજરાતી કવિતાની રચનાકળા એ તેમનો ગધ ગ્રંથ છે. આ સર્વ સર્જનોમાં તેમને સૌથી લોકપ્રિય બનાવનાર તે તેમનાં દેશભક્તિનાં કાવ્યો. નર્મદ અને હરિ હર્ષદ ધ્રુવ પછી ભક્તિ અને ઉલ્લાસથી આવાં અને આટલાં સ્વદેશભક્તિનાં ગીતો ગાનાર શ્રી ખબરદાર જ છે. ‘ભારતનો ટંકાર’ એ તેમનો આવાં ગીતોનો સુંદર ગ્રંથ છે. ગુજરાતી કવિતાને તેમનું વિશિષ્ટ અર્પણ તો તેમના વિનોદપ્રધાન પ્રતિકાવ્યના કાવ્યરૂપનું છે. 'પ્રભાતનો તપસ્વી'માં તેમણેનાનાલાલની ડોલનશૈલીની મશ્કરી કરી છે; પણ એ જ શૈલી એ કાવ્યમાં તેમણે પોતે ખૂબ જ સફળતાથી વાપરી બતાવી છે. ‘અવરોહણ' એ પ્રા.ઠાકોરના ‘આરોહણ’ પરથી લખેલું તેમનું બીજું સુંદર પ્રતિકાવ્ય છે, નાનાભાઈ ભટ્ટ Jain Education International - સુખલાલજી, પંડિત પ્રજ્ઞાચક્ષુ, દર્શનમૂર્તિ, વિદ્યાવિભુતિ જે યથાર્થ વિશેષણો દ્વારા નવાજાયેલા પ્રકાંડ પંડિત સુખલાલજી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ભારતીય દાર્શનિકોમાં અગ્રગણ્ય છે. ‘દર્શન અને ચિંતન' તેમની ઉત્કૃષ્ટ કૃતિ છે. જેને કેન્દ્રનો સાહિત્યઅકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 'ચાર તીર્થંકર', 'સમદર્શી આચાર્ય હરિભદ્ર' તેમના ચરિત્ર ગ્રંથો છે. ‘મારું જીવનવૃત્ત' તેમનું આત્મકથાનક છે. એમણે જૈન તર્કભાષા', ‘જ્ઞાનબિંદુ’, ‘પ્રમાણમીમાંસા', ‘હેતુબિંદુ વગેરેનું સંપાદન, ‘તત્ત્વાર્થસૂત્ર’નું સંપાદન ને તેનો ગુજરાતી-હિંદી અનુવાદ, ‘તત્ત્વોપ્લવસિંહ'નું સંશોધન વગેરે વિધામૂલક કાર્યો કર્યાં છે. પ્રાકૃતમાં રચાયેલ સિદ્ધસેન દિવાકર કૃત ગ્રંથ 'સન્મતિ તર્ક'નું સંપાદન એમણે કર્યું છે. ભારત સરકારે પદ્મભૂષણ' ઇલ્કાબથી એમને સન્માન્યા છે. યુવાનીમાં ચર્મચક્ષુ ગુમાવનાર પંડિત સુખલાલજી ખરા અર્થમાં સમાજના પ્રજ્ઞાચક્ષુ બની રહ્યા. પથપ્રદર્શક - નાનાભાઈ ભટ્ટ ભારતીય સંસ્કૃતિની કેળવણીની પરંપરાના આચાર્ય, ગુજરાતના શિક્ષણ અને સંસ્કાર ઘડતરમાં મૂલ્યવાન પ્રદાન કરનાર શ્રી નાનાભાઈ ભટ્ટ. ધાર્મિકસંસ્કારમાં ઊછરેલા નાનાભાઈ ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત વગેરે ગ્રંથોના ઊંડા અભ્યાસી હતા. એમણે બાલભોગ્ય શૈલીમાં ‘મહાભારતના પાત્રો’, ‘રામાયણના પાત્રો’, ‘હિંદુ ધર્મની આખ્યાયિકાઓ', ‘લોકભાગવત', 'લોકભારત', 'લોકરામાયણ' જેવું આદર્શપ્રધાન ધાર્મિક રસિક વાતધિન આપ્યું.આમ બાલસાહિત્યે અને ગાંધીજીની ભાવનાની કેળવણી ક્ષેત્ર નાનાભાઇ ભટ્ટનું નામ ઘણું મોટું છે. ‘ઘડતર અને ચણતર' એમની આત્મકથા પણ દક્ષિણામૂર્તિ સંસ્થાના ઉદ્ભવ અને ઉત્કર્ષની કથા છે. કેળવણીની પગદંડી'માં તેમનાં કેળવણીવિષયક વ્યાખ્યાનો ગ્રંથસ્થ છે. શિક્ષણક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન બદલ ‘પદ્મશ્રી'નો એવોર્ડ તેમને મળ્યો છે. સ્વામી આનંદે તેમને વ્યાસ વાલ્મિકીના વારસ' તરીકે ઓળખાવ્યા છે, જે યથાર્થ છે. For Private & Personal Use Only અરદેશર ફરામજી ખબરદાર www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy