SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પ૯ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કલાપી - માત્ર ૨૬ વર્ષની ટૂંકી આવરદામાં કલાપીએ પોતાનો ‘કેકારવ'થી ગુજરાતી કવિતાની મધુરસૃષ્ટિ સજી. પ્રણય, પ્રકૃતિ અને પ્રભુભક્તિના આ ઊર્મિશીલ કવિએ અંગતસંવેદનોને કવિતામાં ભરપૂર ઝીલ્યાં છે. રાગ અને ત્યાગની વચ્ચે ઝૂલતા કવિની આંતરવ્યથાનું પ્રતિબિંબ એમનાં કાવ્યોમાં પ્રગટ થયું છે. એમના પ્રણયગાનમાં વેદના અને અશ્વ, કવિતારૂપે અવતરે છે. પ્રેમિકાને પ્રાપ્ત કરવાની અદમ્ય ઝંખના અને ફરજનું ભાન - આ બે વિરોધો વચ્ચેનો તીવ્ર સંઘર્ષ તથા એમાંથી જામતું ચિંતન, કવિ કલાપીની કવિતાનું આગવું આકર્ષણ છે. ભાષાને શિમધુર રૂપ આપી તેને પ્રવાહી બનાવી, સાથે સંસ્કૃત છંદોનો લય નીપજાવી, કવિતાને રંગદર્શી ઝોક આપી કવિતાને એક નવું જ પરિમાણ બક્યું. તેમનાં મુખ્ય સર્જનો “કલાપીનો કેકારવ', ‘કાશમીરનો પ્રવાસ', “પત્રધારા', “માયા અને મુદ્રિકા' છે. કાવ્યસંગ્રહ ‘કલાપીનો કેકારવ' સોથી વધુ લોકપ્રસિદ્ધ છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કલાપી નાનાલાલ દલપતરામ કવિ - ગધમાં જે સ્થાન ગોવર્ધનરામનું છે, તે પધમાં નાનાલાલનું છે. તેમની કવિતાનો ફાલ વિપુલ અને સત્ત્વશાળી છે. કવિતામાં તેમણે કરેલો ડોલનશૈલીનો વિશિષ્ટપ્રયોગ વિરલ બને છે. તેમનું શ્રેષ્ઠઅર્પણ ઉત્તમ ઊર્મિકાવ્યો અને ગીતરચનાઓ છે. તેમણે ઊર્મિકાવ્યો, ખંડકાવ્યો, ચિત્રકાવ્યો, મહાકાવ્યો, રાસ, ભજન, પદ વગેરે અનેક પ્રકારોની કવિતાઓ રચી. “પ્રેમભક્તિ'ના ઉપનામથી ભજનો રચ્યાં - જેમાં નરસિંહનો રણકો સંભળાય છે. “નવયોવના' જેવાં ચિત્રકાવ્યો, “વસંતોત્સવ’ અને ‘દ્વારિકપ્રલય' જેવાં કથાકાવ્યો, ‘કુરુક્ષેત્ર' જેવું મહાકાવ્ય અને “હરિસંહિતા' જેવું પુરાણકાવ્ય આપનાર નાનાલાલ ગુજરાતી સાહિત્યના “મહાકવિ' તરીકે ઓળખાય છે. નાનાલાલના વિરલ વ્યક્તિત્વનું દર્શન તેમના ભાવપ્રધાનનાટકોમાં પણ થાય છે. આ નાટકોમાં “ઇન્દુકુમાર' અને “જયા જયંત'ગુજરાતી નાટ્યસાહિત્યની સીમાચિહ્નરૂપ કૃતિઓ ગણાવી શકાય. નવલકથા “ઉષા' અને ‘સારથિ', લઘુકથા “પાંખડીઓ', સાહિત્યવિવેચન “સાહિત્યમંથન', ચરિત્રગ્રંથ “કવીશ્વર નાનાલાલ દલપતરામ કવિ દલપતરામ' વગેરે તેમનું મુખ્ય પ્રગટસાહિત્ય છે. રાજurી * જ. મા L પછી હાજી મહમ્મદ અલારખિયા - સામાન્ય વાચકની અભિરુચિને વગોવ્યા વિના વિકસાવવાની તમનાવાળા એક સાચા સાહિત્યપારખુ. સત્તર વર્ષની વયે હિન્દીમાં ટૂંકી વાત લખી. ૧૯૦૧માં એક રૂપિયાના લવાજમવાળું ગુલશન' નામનું સચિત્ર માસિક શરૂ કર્યું. ગુજરાતી ભાષામાં કોઈએ ન કાઢ્યું હોય એવું ચિત્રોથી શણગારાયેલું, દુર્બોધ નહીં અને છતાં લલિતસાહિત્યથી ઓપતું, આમ જનતા જેને પચાવી અને માણી શકે એવું એક મનભર અને મનહર માસિક કાઢવાનું શ્રેય તેમને જાય છે. ૧૯૧૬ જાન્યુઆરીમાં આકર્ષક રૂપ, રંગ અને રોનક સાથે “વીસમી સદી'નો પહેલો અંક પ્રસિદ્ધ કરીને સાહિત્યની દુનિયામાં સનસનાટી મચાવી દીધી. હાજીએ જે પાયાનું કામ કર્યું તે હતું ધૂળધોયાનું. એણે ખૂણેખાંચરે પડેલા વેરવિખેર લેખકોને ભેગા કર્યા અને પ્રકાશમાં આપ્યા. હાજીએ “વીસમી સદી' મારફત સામાન્યમાં સામાન્ય માણસ, કડિયા-કારીગર અને મુનીમ-વાણોતર સુધી સાહિત્યકારોને પહોંચતા કર્યા. હાજી મહમ્મદ અલારખિયા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy