SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ પથપ્રદર્શક CHAYAT મોહનદાસ કરમચંદ ગાંધી - સાહિત્ય એમને મન સાધ્ય ન હતું, પરંતુ સત્યની શોધ માટેના સાધનરૂપ હતું. સત્ય એમને મન જીવનની સર્વપ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. એમનું લખાણ મુખ્યત્વે પત્રકારી હતું; ખરેખર તો તેમણે પત્રકારત્વને સાહિત્યનો સ્પર્શ આપ્યો. સાહિત્યમાં તેમણે સર્વધર્મસમન્વય અને માનવપ્રેમની વિશાળભાવના પ્રગટ કરી છે. ધર્મ વિના નીતિ અધૂરી છે અને સમાજવૃષ્ટિ વિના ધર્મ અધૂરો છે, એવું તેમણે સમજાવ્યું. “સત્યના પ્રયોગો' તેમની આત્મકથા છે. ગુજરાતી સાહિત્યમાં આત્મકથાના સ્વરૂપઘડતરમાં તેમનો ફાળો મૂલ્યવાન છે. સાહિત્યમાં વિશ્વશાંતિ, પપા છે નાના વિશ્વપ્રેમ અને વિશ્વકલ્યાણનો આદર્શ તેમણે ચીંધ્યો. શરૂઆતમાં લખાયેલ “હિન્દ સ્વરાજ્ય' (૧૯૦૦) પણ તેમના વ્યક્તિત્વનો અપૂર્વ ઉન્મેષ દર્શાવતું પુસ્તક છે. ગાંધીજીનાં તમામ ગુજરાતી લખાણો “ગાંધીજીનો અક્ષરદેહ' શીર્ષકથી લગભગ ૯૦ જેટલા ગ્રંથોમાં પ્રકાશિત થયાં છે. તેમના વિચારોથી પ્રભાવિત ભારતીય સાહિત્યમાં ગાંધીયુગ” પ્રવર્તતો થયો. મોહનદાસ કરમચંદ ગાંધી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, સેહની - ગુજરાતી કવિતાનું ઘડતર કરી તેને યોગ્યઘાટ પ્રો.બ.ક.ઠાકોરે આપ્યો છે. લય,પ્રાસ, છંદ, ભાષા, શૈલી સર્વરીતે કવિતામાં ક્રાંતિ તેઓ લાવે છે. પ્રયોગશીલતા તેમની પ્રકૃતિનો પ્રધાન ગુણ છે. અંગ્રેજી કાવ્યપ્રકાર સેનેટના પ્રથમ-પહેલા પ્રયોગશીલ કવિ તરીકે તેઓ સફળ થયા અને અનુગામી પેઢીના કાવ્યગુર બન્યા. “પ્રેમનો દિવસ', “સુખદુઃખ” જેવી તેમની સેનેટમાળાઓમાં તેમનું કવિત્વ ઝળકે છે. “હારાં સોનેટ'સોનેટોનો શ્રેષ્ઠસંગ્રહ છે. પ્રણયના ઉદયથી દામ્પત્યની નિર્વાણકોટિ સુધીની વિવિધ ભાવસ્થિતિનાં આલેખનો તેઓએ કર્યો છે. પ્રો.ઠાકોરની કવિતાવિશેની વિચારણા-વિભાવના પણ મહત્ત્વનું પ્રદાન છે. વિચારપ્રધાન કવિતાને તેઓ ઉત્તમોત્તમ ગણે છે. પ્રવાહી પધના પ્રયોગો પણ કર્યા. તેમની નારીકેલપાક શેલીમાં લખાયેલી કવિતામાંથી ઉચ્ચકોટિનો આનંદ પ્રાપ્ત થતો દેખાય છે. વિલક્ષણ નાટક “ઊગતી જુવાની', નવલિકાસંગ્રહ “દર્શનિયું, “સોવિયેટ નવજુવાની', “લગ્નમાં બહ્મચર્ય અને સુંદર મનનિકા સહિતના કાલિદાસના બે નાટકો માલવિકાગ્નિમિત્ર' અને “શાકુંતલ'નાં ભાષાંતરો વગેરે તેમનાં બીજાં નોંધપાત્ર સર્જનો છે. - બળવંતરાય કલ્યાણરાય ઠાકોર દામોદર ખુશાલદાસ બોટાદકર - “જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ' માતૃત્વની ગરિમા પ્રગટ કરતી આ અમર પંક્તિઓના સર્જક કવિશ્રી બોટાદકર સરળ હૃદયના અને સૌંદર્યદર્શી દષ્ટિવાળા કવિ હતા. પ્રકૃતિતત્ત્વો અને માનવજીવનના પ્રસંગોમાં તેમણે હંમેશા સુંદર અને મધુર દર્શન કર્યું છે. આરંભમાં દલપતશૈલીને અનુસરતા આ કવિએ સમય જતાં સંસ્કૃતમય સાક્ષરશેલીને અને પછીથી લોકબાનીની સરળ શૈલીને અપનાવી છે. “કલ્લોલિની', “સ્ત્રોતસ્વિની', 'નિર્ઝરિણી’, ‘રાસતરંગિણી' અને “શૈવલિની' આ પાંચ કાવ્યસંગ્રહો તેમની અવિરત કાવ્યસાધનાના ધોતક છે. આમાં ય ‘રાસતરંગિણી'ના રાસે તો એમને રાસ-કવિ તરીકેનું અદકેરું સ્થાન પ્રાપ્ત કરાવી આપ્યું છે. આ રાસોએ એ જમાનામાં ગુજરાતણોને ગાંડી કરેલી.શ્રી બોટાદકરે તેમની કવિતામાં પ્રણય અને મૈત્રીના ભાવોને સારા પ્રમાણમાં ગાયા છે; પણ એમણે ગૃહજીવનના ભાવોને સૌથી વધારે ઉત્કૃષ્ટતા અને મધુરતાથી ગાયા છે. ક્લેશમય સંસારમાંથી પણ એમની | | ' 'સૌંદર્યદષ્ટિએ ચારુતા સારવી લીધી છે અને “માતૃગુંજન', “ભાઈબીજ' જેવાં રાસકાવ્યોમાં દામોદર ખુશાલદાસ બોટાદકર મધુર ગૃહચિત્રો આપ્યાં છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy