SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પ૭ કે કામ રમણભાઈ નીલકંઠ - ગુજરાતના જાહેરજીવનના “સકલ પુરુષ' તરીકે ઓળખાયેલા રમણભાઈ નાટ્યકાર, નિબંધકાર અને વિવેચકની પ્રતિભા ધરાવે છે. ગુજરાતી નાટ્યસાહિત્યમાં “રાઈનો પર્વત' જેવી એક જ નાટયકૃતિ લખીને સાહિત્યમાં પ્રતિષ્ઠા પામ્યા. ગુજરાતી નાટકનો કલાઘાટ “રાઈનો પર્વત'થી બંધાતો દેખાય છે. ગુજરાતીભાષાની પ્રથમ સળંગ હાસ્યરસિક નવલકથા “ભદ્રંભદ્ર' રમણભાઈની અમરકૃતિ ગણાય છે. પોતાના જમાનામાં ચાલતા જૂના-નવા, સુધારક-સંરક્ષક વિચારોનો સંઘર્ષ કેન્દ્રસ્થાને રાખીને નર્મ-મર્મ હાસ્ય સાથે આ નવલકથા આલેખી. “ભદ્રંભદ્ર'નું પાત્ર માત્ર ગુજરાતનું નહીં, ભારતીય હાસ્યસાહિત્યનું ચિરંજીવ પાત્ર છે.રમણભાઈએ સાહિત્યિક, સામાજિક, ધાર્મિક અને ચિંતનાત્મક નિબંધો પણ લખ્યા છે. ધર્મ અને સમાજ ૧-૨' ધાર્મિક ચિંતનકૃતિ છે તથા “હાસ્યમંદિર'માં હળવા નિબંધો સંગ્રહાયા છે. “જ્ઞાનસુધા'ના તંત્રી તરીકે તેમના ધર્મસંબંધી વિચારો પ્રગટ થયા. દૂર્ગારામ-નર્મદના જમાનાથી ચાલતી આવેલી સુધારકોની પરંપરાના રમણભાઈ છેલ્લા પ્રતિનિધિ છે. રમણભાઈ નીલકંઠ કૃષ્ણાલાલ ઝવેરી - “ગુજરાતી સાહિત્યના માર્ગ સૂચક સ્તંભો' નામક સાહિત્યિક ઇતિહાસથી જાણીતા શ્રી કૃષ્ણાલાલ મો.ઝવેરી ગુજરાતી ભાષાનો પહેલો વ્યવસ્થિત અને માતબર ઇતિહાસ આપે છે. એમણે “મોર્ડન રિવ્યુ'માં વર્ષો સુધી અંગ્રેજીમાં પુસ્તકસમીક્ષા કરી, અને અંગ્રેજી અને ગુજરાતીમાં દળદાર સાહિત્ય-ઇતિહાસ લખ્યો, એ એમની સ્મરણીય સેવા છે. એમણે ઇતિહાસવિષયક ‘હૈદરઅલી અને ટીપુ સુલતાન', “ઔરંગઝેબ અને રાજપુતો', ‘બાદશાહી ફરમાનો' લખ્યા છે. મર્યાદિત વિવેચનશકિત અને સંશોધનવૃત્તિ વચ્ચે તેમની અધ્યયનવૃત્તિ દાદ માંગી લે તેવી છે. કૃષ્ણાલાલ ઝવેરી આનંદશંકર ધ્રુવ - ગોવર્ધનયુગના મહાપંડિત આચાર્ય આનંદશંકર ધ્રુવ. તેમની ભાષા મિષ્ટ, સંસ્કારી અને ગૌરવભરી છે અને આજે પણ એ ભાષા ગુજરાતી ગયા સાહિત્યને ગૌરવ અર્પી રહી છે. સાહિત્યવિષયક લખાણોના ગ્રંથો “કાવ્યતત્ત્વવિચાર', સાહિત્યવિચાર' વગેરે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ધર્મશાસ્ત્રનું ઊંડું અધ્યયન કરી તેના ઊંડાંમાં ઊંડાં રહસ્યો પકડનાર અને બહુજનસુલભ વાણીમાં તેને અભિવ્યક્તિ આપનાર આનંદશંકર, ‘હિંદુ ધર્મની બાળપોથી' જેવો સરળ અને છતાંયે આખાયે હિંદુ ધર્મના સારરૂપ બની જતો ગ્રંથ ગુજરાતી ભાષાને ભેટ આપી ગયા છે. ધર્મની તાત્વિક વિચારણાભર્યા લેખોનો સંગ્રહ “આપણો ધર્મ' નોંધપાત્ર છે. ગંભીર ગહન વિષયો તથા તત્ત્વજ્ઞાન પણ તેમણે મધુરતા અને સરળતાથી રજૂ કર્યું છે. બનારસ હિંદુ યુનિવર્સિટી એક લાયક વિદ્વાનની જરૂર પડતાં ગાંધીજીએ એવા વિદ્વાન તરીકે બહુશ્રુત આચાર્ય આનંદશંકરભાઈ તરફ જ આંગળી ચીંધી. ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા ‘વસંત' માસિક દ્વારા તેમણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આનંદશંકર ધ્રુવ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy