SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પથપ્રદર્શક નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા બચપણથી સાહિત્યપ્રીતિ અને સુધારાવાદી વલણ ધરાવતા નરસિંહરાવે ગુજરાતી કવિતાની કાચાપલટ કરી છે. તેમની 'કુસુમમાળા' ગુજરાતી કવિતાનું નવપ્રસ્થાન ગણાય છે. પ્રથમવાર પ્રકૃતિનાં વિવિધ તત્ત્વો સૂર્ય, ચંદ્ર, તારા, મેઘ, સાગર, વૃક્ષો, પુષ્પોની કવિતા આ ગ્રંથમાં જોવા મળે છે. નરસિંહરાવની કવિતાનું કીર્તિશિખર ‘સ્મરણસંહિતા’ ગ્રંથ છે. પુત્રના અકાળ અવસાનથી ઉદ્ભવેલી કરુણવેદના અને પ્રભુભકિતના ઉદ્ગારો તેમાં ઉત્તમકાવ્ય રૂપે ઝીલાયા છે. આ કૃતિને ગુજરાતી સાહિત્યની સર્વશ્રેષ્ઠ 'ણપશસ્તિ' તરીકે ગણાવી શકાય. નરસિંહરાવે ભાષાશાસ્ત્રી તરીકે ગુજરાતીભાષાની ઉત્પત્તિ, બંધારણ, પ્રત્યયો, ઉચ્ચારણ પ્રક્રિયા વગેરે વિશે વિદ્વત્પૂર્ણ ચર્ચા કરતાં વ્યાખ્યાનો તેમણે આપ્યાં. જે ‘ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર' નામના અંગ્રેજી ગ્રંથમાં સંગૃહિત છે. ‘મનોમુકુર', 'અભિનયકલા', 'ગુજરાતીભાષા અને સાહિત્ય' જેવાં વિવેચનગ્રંથોમાં તેમની વિદ્વત્તા, રસિકતા, સૂક્ષ્મતા અને પ્રગલભતા દેખાય છે. "પ્રેમળજ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ ” અને “મંગળમંદિર ખોલો' એ બે તેમની પ્રાર્થનાઓ તે અમર થઈ ગઈ છે. 33 નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા વિવેચન, સંશોધન અને સંપાદનક્ષેત્રે તથા ભાષાંતરકાર કેશવ હર્ષદ ધ્રુવ તરીકે વિદ્વત્તા અને રસિકતાના સુભગ સમન્વય દ્વારા શ્રી કેશવ હર્ષદ ધ્રુવે ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. ભાલણની કાદંબરી'ના બન્ને ભાગ, અખાત ‘અનુભવબિંદુ', રત્નદાસકૃત 'હરિશ્વન્દ્રાખ્યાન' અને પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય' એ સંપાદનો તેમની મૌલિક અને સંશોધનપૂર્ણદૃષ્ટિના સબળ પુરાવારૂપ છે. ‘પધરચનાની ઐતિહાસિક સમાલોચના'માં છેક વેદકાળથી અર્વાચીનકાળ સુધીના છંદોની વિકાસયાત્રાની વિશદ અને શાસ્ત્રીય આલોચના કરી છે. આ ઉપરાંત ‘વાવ્યાપાર'નામના લેખમાં ઉચ્ચારશાસ્ત્ર વિશેની તેમની વિચારણાનો પરિચય મળે છે. ભાષાંતરકાર તરીકે જરાદેવકૃત 'ગીતગોવિંદ' ઉપરાંત ‘અમરુશતક'નો ગુજરાતી પદ્યાનુવાદ અને કાલિદાસ, ભાસ, શ્રીહર્ષના નાટકોના ગુજરાતી અનુવાદ પ્રાસાદિક શૈલીમાં કર્યા છે, Jain Education International - મણિશંકર રત્નજી ભટ્ટ, કાન્ત તેમણે કર્યો છે. કેશવ હર્ષદ ધ્રુવ મણિશંકર રત્નજી ભટ્ટ, કાન્ત - ખંડકાવ્ય જેવા નવતર કાવ્યપ્રકારની પોતીકી શોધને પોતાના હાથે એના ઉત્તુંગ શિખરે પહોંચાડનાર કવિ 'કાન્ત'.ટૂંકી વાર્તાના લાધવ, સૌષ્ઠવ, સુશ્લિષ્ટતા અને મનોમંચન વગેરે સર્વગુણોથી વ્યાપ્ત એવા ખંડકાવ્યનો પ્રકાર તેમણે જ પ્રથમ ગુજરાતને આપ્યો. આ કલાપ્રકાર તેમની કીર્તિનો મુગટ છે. ‘અતિજ્ઞાન’, ‘વસંત વિજય', 'ચક્રવાકમિથુન' અને 'દેવયાની' તેમની અપૂર્વ કવિપ્રતિભાનો ઉત્તમોત્તમ ઉન્મેષ પ્રગટ કરતાં ખંડકાવ્યો છે. ભાવની ઘનતા, ગહનતા અને તીવ્રતાનો આવિર્ભાવ આ કવિની કવિતામાં થાય છે. પ્રેમ અને તત્ત્વજ્ઞાન તેમના પ્રિય કાવ્યવિષયો છે, ખંડકાવ્યો જેવાં જ સુંદર ઊર્મિકાવ્યો ‘સાગર અને શશી', ‘વત્સલનાં નયનો' તથા ‘અગતિગમન' તેમણે આપ્યાં છે. કવિતામાં શિષ્ટમધુર ભાષા અને સંસ્કૃત છંદોનો છટાદાર લય અનુભવાય છે. સત્ય,સ્નેહ અને સૌંદર્યની અભીપ્સા તેમની કવિતાના વિશેષ રૂપો છે. ‘રોમન સ્વરાજ્ય' અને *ગુરુ ગોવિંદ સિંહ' નામનાં બે ચિંતનમય નાટકોમાં તેમની પ્રતિભાના છાંટણાં દેખાય છે. સૂક્ષ્મ બુદ્ધિ અને ધર્મરુચિની સાક્ષી આપતાં તાત્ત્વિક પુસ્તકોનો અનુવાદ પણ CHHAYA For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy