SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ચાર ભાગ અને આશરે અઢારસો પાનામાં પથરાયેલી અમર નવલકથા ‘સરસ્વતીચંદ્ર'ના સર્જક ગોવર્ધનરામ વ્યવસાયે વકીલ હતા. ૪૦ વર્ષની વર્ય નિવૃત્તિ લઈ સાહિત્યલેખન પ્રવૃત્તિમાં ઝંપલાવ્યું. સાક્ષર પેઢીના અગ્રણી ગોવર્ધનરામે લોક્લ્યાણનો જીવનમંત્ર અપનાવી સાહિત્યસર્જન કર્યું. જીવનના મુખ્ય બળ તરીકે 'ધર્મ'નો સ્વીકાર કરીને નિવૃત્તિમાં પ્રવૃત્તિનો આદર્શ તેઓએ અપનાવ્યો હતો. 'સરસ્વતીચંદ્ર' ભારતીય સંસ્કૃતિની મધ્ય અને ઉજવલ મહાકથા છે. પ્રેમકથા, કુટુંબકથા, રાષ્ટ્રકથા અને સંસ્કૃતિકથાનો સમન્વય તેમાં થયો છે. ગુજરાતી ભાષા જીવશે ત્યાં સુધી આ નવલકથાનું આકર્ષણ રહેવાનું છે. 'સ્નેહમુદ્રા' નામનું ૧૧૦ કાંડોમાં વિસ્તરેલું એક સુદીર્ઘ કરુણપ્રશસ્તિ કાવ્ય છે. પોતાના જીવન અને કવન અંગે કરેલી નોંધના રૂપમાં લખાયેલી ‘સ્કેપબુક’(અંગ્રેજી)- રોજનીશી સાહિત્યના પ્રકારનો એક પ્રમાણભૂત ગ્રંથ છે. ગોવર્ધનરામ નવલકથાકાર, વિવેચક, દાર્શનિક, ચરિત્રકાર એવી બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. સમગ્ર દૃષ્ટિએ જોતા અર્વાચીન યુગના મેધાવી સર્જકો, પંડિતો અને તત્ત્વચિંતકોમાં ગોવર્ધનરામ અગ્રસ્થાને બિરાજે છે. Jain Education International - બાલાશંકર કંથારીયા, ક્લાન્ત કવિ મણિલાલ નભુભાઈ દ્વિવેદી 'કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' જેવી ગઝલથી ખ્યાતિ મેળવનાર મણિભાઈ, કવિ ઉપરાંત નિબંધકાર, નાટકકાર, ભાષ્યકાર, પત્રકાર, સંપાદક પણ હતા. ‘કાન્તા’ તેમજ ‘નૃસિંહઅવતાર' તેમની જાણીતી નાટ્યકૃતિઓ છે. માત્ર ૪૦ વર્ષની ટૂંકી આયુષ્યમાંદામાં તેમણે ૮૨ જેટલા ગ્રંથોનું સર્જન કર્યું. ‘સિદ્ધાંતસાર’ અને ‘પ્રાણવિનિમય' ગ્રંથમાં તેમની સાક્ષરતા, તેજસ્વી મેધા, પ્રતિભાશીય તત્ત્વોના દર્શન થાય છે. આ ગ્રંથોમાં તેમણે હિંદુધર્મતત્ત્વને તેમજ યોગદર્શનને વિશદ કરી આપ્યું. “બાળવિલાસ' અને 'સુદર્શન ગધાવલિ' જેવા નિબંધો તેઓ ઉત્તમ ધકાર હોવાની પ્રતીતિ કરાવે છે. તેમની નવલકથા 'ગુલાબસિંહ' ગુપ્તવિધાની અભૂતપૂર્વ નવલકથા છે. મણિભાઈનું ‘આત્મવૃત્તાંત' એ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સીમાચિહ્ન છે. પંડિતયુગની આત્મકથાઓમાં તે ઉત્તમ છે. તેઓ 'પ્રિયંવદા' અને 'સુદર્શન' સામયિકો ચલાવતા. સંસ્કૃત મહાકવિ ભવભૂતિના ત્રણ નાટકો 'માલતી માધવ', 'ઉત્તર રામચરિત' અને 'મહાવીર ચરિત'ના રૂપાંતરો પણ તેમણે કર્યાં છે. - ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી બાલાશંકર ઉલ્લાસરામ કંથારીયા, ક્લાન્ત કવિ - 'બાલ'ને નામે જાણીતા આ મસ્તકવિને બાળપણથી જ કવિતાનો નાદ લાગ્યો હતો. તેમની ઊંચી કવિત્વશક્તિના ચમકારા ‘ક્લાન્ત કવિ', ‘સૌંદર્યલહરી' અને ‘હરિપ્રેમપંચદશી'એ કાવ્યપંચોમાં દેખાય છે. 'કલાન્ત કવિ' એ તેમની અનુપમ કાવ્યકૃતિ છે. એ સંસ્કૃતીલીમાં લખાયેલું સો શ્લોકોનું દીર્ઘ કાવ્ય છે, જે આપણને ઉચ્ચ દિવ્યપ્રેમના અલૌકિક વિશ્વમાં લઈ જાય છે. આમાં સઘન પ્રેમ, સૌંદર્ય અને ભક્તિની ઉત્કટ અભિવ્યક્તિ થઈ છે. સુન્દરમ્ કહે છે તેમ આ કૃતિ ‘અર્વાચીન ગુજરાતી કવિતાના વિશુદ્ધ રસસર્જનના પ્રદેશમાં પહેલું ઉન્નત શિખર' છે. “ ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.” એમની ગઝલોમાં નિજાનંદે મસ્ત કવિની ‘દર્દીલી મધુરપ’ અનુભવાય છે. ‘હરિપ્રેમ-પંચદશી'માં તેમની ફારસી રંગની ગઝલો વિશેષ ધ્યાન ખેંચે છે. તેમને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઉલ્લેખી શકાય. ૫૫ For Private & Personal Use Only મણિલાલ નભુભાઈ દ્વિવેદી www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy