SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પથપ્રદર્શક નવલરામ પંડ્યા - વિવેચક તરીકે જરૂરી તેવા ગુણો સ્વસ્થતા, સહદયતા, તટસ્થતા અને વિદ્વત્તાના સ્વામી નવલરામે ગુજરાતી સાહિત્યમાં પદ્ધતિસરના વિવેચનની પ્રતિષ્ઠા કરી. તેમનું સ્થાન એક સારા ગધલેખક અને નિર્ભયવિવેચક તરીકે ગુજરાતી સાહિત્યમાં અમર છે. ગુજરાતી ભાષાનું પહેલું પ્રહસન નાટક ભટનું ભોપાળું અને પછી ગંભીર નાટક “વીરમતી'-આરંભકાળનાં નાટકો તરીકે ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. નવલરામે નર્મદનું જીવનચરિત્ર પણ આલેખ્યું છે. કાલિદાસના મેઘદૂત' કાવ્યનો અનુવાદ કરીને વિશિષ્ટ “મેઘછંદ'નો પ્રયોગ પણ તેમણે કર્યો. બાળલગ્ન બત્રીસી' અને “બાળ ગરબાવાળી' તેમની જાણીતી પદ્યકૃતિઓ છે. પ્રકૃતિ, દેશપ્રેમ અને સ્ત્રીસુધારાના વિષયો પર કવિતા પણ લખી છે. તેમની કવિતા સંખ્યામાં ઓછી પણ સત્ત્વશીલ છે. એક નિર્ભય વિવેચક અને સારા ગધલેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ એવા શ્રી નવલરામને સમીક્ષક શ્રી નરસિંહરાવે “આધ દ્રષ્ટા' કહ્યા છે. નવલરામ પંડ્યા રણછોડભાઈ ઉદયરામ - ગુજરાતી નાટકસાહિત્યના પિતા બનવાનું માન રણછોડભાઈ ઉદયરામને મળે છે. તેમણે ગુજરાતી સાહિત્યને બે પ્રકારે વિશિષ્ટ પ્રદાન કર્યું છે. તે સમયમાં પ્રચાર પામેલી ભવાઈની અશ્લીલતામાંથી ગુજરાતી નાટકોને મુક્ત કરી, ભજવી શકાય તેવાં શિષ્ટ નાટકો ગુજરાતી રંગભૂમિને આપ્યાં. તેમણે લખેલાં દેક નાટકોમાં જયકુમારી વિજય’, ‘લલિતાદુઃખદર્શક', 'નળદમયંતી' નોંધપાત્ર છે. લલિતાદુઃખદર્શક' એ ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાન્ત નાટક છે. રણછોડભાઈનાં નાટકોએ એ સમયની ગુજરાતી રંગભૂમિના ઉદ્ધારમાં અને સમાજસુધારાના કાર્યમાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેમનું બીજું મહત્ત્વનું પ્રદાન પિંગળક્ષેત્રે છે. એમણે લખેલા રણપિંગળ' નામનો છંદશાસ્ત્રનો વિસ્તૃત અને માહિતીપૂર્ણ રથ એમની અભ્યાસીસંશોધક તરીકેની શક્તિઓનો પરિચય કરાવે છે. પાdit રણછોડભાઈ ઉદયરામ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ - મધ્યકાલીન કવિતાનું ઉત્તમ સંપાદન કરનાર શ્રી ઇચ્છારામ દેસાઈ કુશળ નવલકથાકાર અને અનુવાદક પણ છે. આજે પણ લોકપ્રિય છે તે ‘ચંદ્રકાન્ત' તેમનું ઉત્તમ સર્જન છે. વેદાંતના વિચારોની આ પુસ્તકમાં ઉદાહરણો સાથે સમજૂતી આપવામાં આવી છે. “બૃહદ્ કાવ્યદોહન'ના આઠ ભાગ અને “કથા સરિત્સાગર'ના બે ભાગનું સંપાદન તેમણે કર્યું છે. આપણા મધ્યકાલીન ભક્તકવિઓનું જીવનવૃત્તાંત અને ભજનો એમણે “બૃહદ્ કાવ્યદોહન'માં રજૂ કર્યા છે. “કૃષ્ણ ચરિત્ર', “ઓખાહરણ’, ‘નળાખ્યાન' નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ તેમના સંપાદિત કરેલાં પુસ્તકો છે. “ગંગા તથા શિવાજીની લૂંટ', ટીપુ સુલતાન' તેમની ઐતિહાસિક નવલકથાઓ છે. તેમણે ઇ.સ.૧૮૮૦માં મુંબઈથી “ગુજરાતી' સાપ્તાહિક રજૂ કર્યું હતું, તે પહેલાં સુરતથી ‘સ્વતંત્રતા' માસિક ચલાવતા. “ચારુચર્યા, ‘વિદૂરનીતિ', “શ્રીધરી ગીતા', “શુકનીતિ', “કળાવિલાસ', “રાજતરંગિણી' વગેરે તેમના પ્રચલિત અનુવાદો છે. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy