SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૫૩ E as , મહીપતરામ રૂપરામ નીલકંઠ - શ્રી મહીપતરામ નીલકંઠ તેમના સમયના મોટા સુધારક અને ઉત્તમ કેળવણીકાર લેખક હતા. ગુજરાત શાળાપત્ર'ના તંત્રીપદે રહી કેળવણી અને સુધારાવિષયક વિચારો ફેલાવવામાં તેમનો ફાળો મોટો છે. તેમણે સાહિત્ય ક્ષેત્રે પણ કેટલુંક મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે અને વીસેક કૃતિઓ આપી છે. “સાસુવહુની લડાઈ' ગુજરાતીની પહેલી હાસ્યકથા અને સામાજિક નવલકથા છે, તથા “વનરાજ ચાવડો’ અને ‘સધરા જેસંગ' જેવી ઐતિહાસિક વાર્તાઓ તેમણે 'કરણઘેલાના અનુસંધાનમાં આપી છે. તેમણે લખેલો, ચરિત્રગ્રંથ “ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી' ગુજરાતી ચરિત્રવાડ્મયનું પહેલું પુસ્તક છે. બીજા બે ચરિત્રોમાં એક “દુર્ગારામ ચરિત્ર' અને કંઈક અંશે તેમના પત્નીનું આત્મકથાનક બનતું ચરિત્ર “પાર્વતીકુંવર આખ્યાન' છે. તેમણે “ભવાઈસંગ્રહમાં વીસ વેશોનું સંપાદન કર્યું છે. પોતાના અનુભવને આધારે લખેલ “ઈડની મુસાફરીનું વર્ણન' આપણા પ્રથમ પ્રવાસગ્રંથ તરીકે ઉલ્લેખનીય છે. મહીપતરામ રૂપરામ નીલકંઠ. નર્મદ - નર્મદ એટલે ‘અર્વાચીનોના આધ’ અને ‘નવયુગના પ્રહરી'. ગુજરાતી કવિતાને મધ્યકાળના ભક્તિના વિષયકુંડાળામાંથી બહાર કાઢી સુધારો, સ્વાતંત્ર્ય, દેશાભિમાન, પ્રકૃતિ અને પ્રણય જેવા નવા વિષયોને પ્રાધાન્ય આપ્યું. ઊર્મિનો ઉછાળો નર્મદના સ્વભાવનો અને કવિતાનો વિશિષ્ટ ગુણ હતો. નર્મદ વીર-શૃંગારનો રસિયો છે. સમાજસુધારાને જીવનમંત્ર બનાવ્યો. નિબંધ, આત્મકથા જેવા નવા સ્વરૂપોનો પ્રારંભ કર્યો અને ડાંડિયો' પણ ઉગામ્યો. “મારી હકીકત' તેમની આત્મકથા છે. ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોશ ‘નર્મકોશ' તેમણે તૈયાર કર્યો. કાવ્યશાસ્ત્રમાં “પિંગળ પ્રવેશ', “અલંકાર પ્રવેશ', “રસ પ્રવેશ' જેવી કૃતિઓ માટે ગુજરાતીભાષા આજીવન તેની અણી છે. કલમને ખોળે માથું મૂકનાર આ વીર યોદ્ધાએ “જય જય ગરવી ગુજરાત”ગાઈને ગુજરાતી અસ્મિતાનું પ્રથમ ગાન ગાયું. પ્રથમ ઇતિહાસકાર, ચરિત્રકાર, નાટ્યકાર, પત્રકાર અને નિબંધકાર તરીકે પાંત્રીસ વર્ષ સુધી ગુજરાતી ગધને ખેડનાર અને પોષનાર શ્રી નર્મદ ખરા અર્થમાં ગુજરાતીગધનો પિતા બની રહે છે. નર્મદ . નંદશંકર તુળજાશંકર મહેતા - સૂરતના ત્રણ સુધારક નન્ના! પ્રથમ નર્મદ, બીજા નંદશંકર અને ત્રીજા નવલરામ. નીતિપ્રેમ, વિદ્યાવ્યાસંગ અને સત્યનિષ્ઠા જેવા આદર્શશિક્ષકના ગુણો તેમનામાં સહજ હતા. નંદશંકરનો સાહિત્યયશ તેમની ‘કરણઘેલો નવલકથા છે. ૧૮૬૬ માં ગુજરાતી ભાષાની આ પ્રથમ નવલકથા પ્રગટ થઈ. નવલકથાનો આકાર નંદશંકરે બાંધી આપ્યો. આ ઐતિહાસિક નવલકથામાં લેખકે સમકાલીન સૂરત અને તેના બનાવોનું વર્ણન કર્યું છે. સુરતી પ્રજાની ઉત્સવપ્રિયતા, રસિકતા, કલાઓ પ્રત્યની રુચિ વગેરે તેમાં દેખાય છે. લોકમાનસમાં ઘર કરી ગયેલા વહેમો, અંધશ્રદ્ધા, જડતા વગેરેનું આલેખન પણ થયું છે. કરણઘેલો નવલકથાનો હેતુ લેખક કહે છે તેમ, મગરૂબીને માર, વ્યભિચારીની હાર, પાપનો ક્ષય, ધર્મનો જય” છે. ઐતિહાસિક રીતે ‘કરણઘેલો' નર્મદયુગની શ્રેષ્ઠરચનાઓમાંની એક છે, જે શ્રી નંદશંકરને ગુજરાતી સાહિત્યક્ષેત્રે આદિનવલકથાકાર તરીકે અમર કરે છે. પ શકો જ કરી નંદશંકર તુળજાશંકર મહેતા Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy