SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પર પથપ્રદર્શક * :- All ( શામળ ભટ્ટ - ભ...શામળ કહે સાચો સિદ્ધ તે, જેણે મમતા, માયા તજી.” પધવાર્તાકાર શામળે જનમનરંજનના લક્ષ્ય સાથે વાતભંડાર-વાતમાળાઓની રચના કરી. મધ્યકાળના ભક્તિપ્રવાહની વચ્ચે શામળે અદ્ભુત રસિક વાર્તાઓ રચી. આ વાર્તાઓમાં ચમત્કારોથી ભરપૂર અને સાહસસભર કથાસૃષ્ટિની સાથે એવી જ શૂરવીર અને શાણપણથી ભરપૂર પાત્રસૃષ્ટિ પણ રચી. પુરુષસમોવડાં નારીપાત્રો તેની વાર્તાઓની વિશેષતા બની રહે છે. આ વાર્તાઓમાં જોવા મળતી ચાતુરીપૂર્ણ સમસ્યાઓ, બોધક સુભાષિતો દ્વારા નીતિ-ઉપદેશ, સંસારનિરીક્ષણ અને લોકવ્યવહારનું જ્ઞાન શામળની વિશેષતા છે, જે તેને મધ્યકાલીન લોકવાર્તાનું શિખર બનાવે છે. પૌરાણિક અને શૃંગારિક વિષયોની તેની મુખ્ય કૃતિઓ છેશિવપુરાણ', “અંગદવિષ્ટિ', “રાવણ-મંદોદરી સંવાદ', 'સિંહાસનબત્રીસી', નંદબત્રીસી', ‘પદ્માવતી’, ‘ચંદ્ર ચંદ્રાવતી', “મદનમોહના' વગેરે. આ ગ્રંથો તેના બહુશ્રુતપણાના અને સંસ્કૃત તેમ જ અન્ય ભાષાના જ્ઞાનની ખાતરી કરાવે છે. નંદબત્રીસી'ની તેની વાર્તાઓ તેની મૌલિક રચના છે. L શામળ ભટ્ટ દયારામ - મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા પ્રતિભાસંપન્ન કવિ. “એક વર્યો ગોપીજનવલ્લભ' એવું કહેનાર દયારામ કૃષ્ણભક્તિના કવિ છે. “બાળલીલા', “કમળલીલા', રાસલીલા', “મુરલીલીલા', “દાણચાતુરી' જેવાં “કૃષ્ણલીલાનાં કાવ્યોમાં દયારામ મન મૂકીને હોચ છે. સંસ્કૃત, વ્રજ અને હિન્દી સાહિત્યના તો તે પ્રાજ્ઞ હતા. હિન્દી, મરાઠી અને પંજાબી વગેરેમાં પણ તેમણે ગ્રંથો લખ્યા છે. નાનામોટા થઈ તેમના ગ્રંથોની સંખ્યા જ પચાસેકની થાય.તેમાં “સત્યભામાખ્યાન', “ઓખાહરણ’, ને “અજામિલ આખ્યાન' જેવાં આખ્યાનો છે. “ગીતા મહાભ્ય’નો ગ્રંથ છે ને શિષ્ટ અને અલંકારિક ભાષામાં લખાયેલા પઢતુવર્ણન' જેવાં કાવ્યો છે. પરંતુ તેની કીર્તિનો કળશ તો તેની ગરબીઓ અને પદોમાં અભિવ્યક્તિ પામેલો દેખાય છે. “વ્રજ વહાલું રે, વૈકુંઠ નહિ આવું’ કે ‘ચિત્ત તું શીદને ચિંતા કરે એ તેનાં જાણીતાં પદો છે.રાધા-ગોપીઓની કૃષ્ણ સાથેની લીલાઓનું આલેખન કરતી આ ગરબીઓમાં વૃંદાવન સાક્ષાત્ થયું છે. પ્રાર્થના અને ઉપદેશનાં “જેવો તેવો દાસ તમારો’, ‘હરિ હું શું કરું?- જેવાં પદો ભક્તહૃદયની આરતને આલેખે છે. દયારામ દલપતરામ કવિ - અર્વાચીન કવિતા, નાટક, અને ગધના પ્રારંભિક ઘડતરમાં દલપતરામનું પ્રદાન નક્કર અને ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. ગુજરાતનો પ્રથમ ગધગ્રંથ દલપતરામે લખ્યો. નીતિશુદ્ધવિચારશ્રેણી દલપત કાવ્યનું લક્ષણ છે. ધર્મ, ભક્તિ,જ્ઞાન, દેશોદ્ધાર અને વ્યવહારચાતુર્ય તેમની કવિતાના વિષયો છે. આકારસૌષ્ઠવવાળી તેમની કવિતાઓમાં સરળભાષા, છંદસફાઈ, પિંગળજ્ઞાન અને અલંકારશાસ્ત્ર સહજ છે. સભારંજની કવિતા તેમની આગવી વિશેષતા છે. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ કરુણપ્રશસ્તિ કાવ્ય પોતાના પરમ મિત્ર કિન્લોક ફોર્બ્સના અકાળ અવસાને “ફાર્બસ વિરહ' નામે રચ્યું. છંદશાસ્ત્રનો પ્રમાણભૂત ગ્રંથ “દલપતપિંગળ' આજે પણ કાવ્યલેખન અને કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરનારાને માટે પ્રવેશપોથી બની રહેલ છે. તેમની કૃતિઓમાં “વેનચરિત્ર', “હુનરખાનની ચઢાઈ”, “સંપલક્ષ્મી સંવાદ' જેવાં કાવ્યો, ‘મિથ્યાભિમાન” અને “લક્ષ્મી' જેવાં નાટકો તથા નિબંધો જાણીતા છે. અંગ્રેજોના આગમન સાથે થયેલા સાહિત્યના નવોદયના પ્રથમ પ્રહરી દલપતરામ છે. દલપતરામ કવિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy