SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ મીરાંબાઈ - મીરાં બાળપણથી જ ગિરધરને વરેલી અને તેની સાથે ભવ ભવની ગાંઠ બંધાઈ હતી. ભક્તિનો એ કેફ જીવનભર ચાલ્યો. જીવનની અંતિમ ઘડીએ પણ એમને અપાયેલા વિષ ‘અમૃત માની મીરાં પી ગયા રે ! એ રાજરાણી હતાં, પણ પગમાં ઘુંઘર બાંધી, હાયમાં મંજીરા લઈ સાધુઓની ટોળી સાથે નાચતાં હોય; રાજવધૂ આમ મસ્ત બની નાચતી હોય એ, શૈવભક્ત રાજકૂળથી કેમ દેખ્યું જાય ? રાજમહેલ છોડી, મનમોહનની વ્રજભૂમિમાં મીરાં ચાલી નીકળી અને રસ્તે ગીતોની અખૂટ ધારા વહેવડાવી ! વૃંદાવન પહોંચતાં તો એને ઠેર ઠેર શામળિયો દેખાવા લાગ્યો -‘વૃંદાવનની કુંજગલનમેં ગોવિંદ લીઓ અણમોલ, લીઓ બજાકે ઢોલ' કૃષ્ણ તેને માટે જીવતોજાગતો પ્રિયતમ છે. હિંદી, રાજસ્થાની તેમજ ગુજરાતીમાં તેણે કૃષ્ણભક્તિનાં અનેક પદો રચ્યાં છે, જે આજે પણ ઘરઘર ગવાય છે. એ ઊર્મિસભર ગીતો અમૂલ્ય વારસો છે. નાસ્તિક હૃદયમાં પણ પવિત્ર સાત્ત્વિકતા જન્માવે એવી એનાં પદોની માયા છે ! અખો રહિયાદાસ પ્રેમાનંદ - આખ્યાનશિરોમણિ પ્રેમાનંદે આખ્યાનો રચ્યાં અને માણભટ્ટ બનીને શ્રોતાવૃંદ સમક્ષ ગાઈ સંભળાવ્યો. આ સિદ્ધહસ્ત કવિ પોતાના અદ્ભુત વાર્તાીરાલ, રસજમાવટ, રસસંક્રાંતિ, ઉત્તમ પાત્રનિરૂપણ અને સમકાલીન સમાજના આલેખનથી લોકહૃદયનો રાવી ગણાયો છે. શૃંગાર, વીર, કણ, હાસ્ય, અદ્ભુત વૈવિધ્યપૂર્ણ રસોથી તેનાં આખ્યાનો છલકાય છે. મધ્યકાલીન ગુજરાતી કવિઓમાં સીચી વધુ હાસ્યરસિક કવિ તરીકે- નર્મમર્મપટ્ટુ કવિ તરીકે વિશેષ નોંધપાત્ર છે. ઉત્તમવર્ણનો તેમનું કવિસામર્થ્ય છે. કવિ કહે છે ” ગોળ વિના જેવો કંસાર, માતા વિના તેવો સંસાર!” ચિત્રાત્મકતા અને ઊર્મિસંવેદના તેમની કવિતાના વિશેષગુણો છે. એમના મુખ્ય ગ્રંથો તે ‘દ્રૌપદી સ્વયંવર’, ‘નળાખ્યાન', ‘રણયજ્ઞ', 'ઓખાહરણ', “દશમસ્કંધ', ‘કુંવરબાઈનું મામેરું', 'હૂંડી', 'શામળશાનો વિવાહ'.કવિ નાનાલાલે કહ્યું છે કે " અર્વાચીન અને પ્રાચીન સર્વે કવિઓમાં સૌથી વધારે ગુજરાતીપણું જેની કવિતામાં હોય, તેવા કવિ તો પ્રેમાનંદ જ છે” તેમની પ્રતિભા મહાકવિની છે. Jain Education International મીરાંબાઈ અખો રહિયાદાસ અખો એટલે અનોખો,‘બ્રહ્મરસ' તેમની કવિતાનો પ્રધાન રસ છે. અખો છપ્પાને માટે જાણીતો છે. તેના છપ્પાઓમાં તેની ભાષા સરળ, વેધક અને સચોટ છે. છ પંક્તિની આ રચનાઓમાં તે ધાર્મિક અંધશ્રદ્ધા, જડતા, અજ્ઞાન, ગુરુઓની કૂપમંડુકતા વગેરે પર કટાક્ષ અને વ્યંગ કરે છે. ‘અખેગીતા' અને ‘અનુભવબિંદુ' તેમની ઉત્કૃષ્ટ કોટિની રચના છે. પરમાત્માનું સ્વરૂપ અને સાક્ષાત્કાર એની કૃતિઓમાં છે. " આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને લાગી ભાળ.” જેવાં પદો તેમની સત્ત્વશીલ કવિતા છે, પણ કદાચ અખો પોતાને કવિ નથી માનતો- તે કહે છે:" જ્ઞાનીને કવિ ના ગણીશ, કિરણ સૂર્યનાં ક્રમ વરણીશ?" અખાને મૂલવતાં ઉમાશંકર જોશીએ યથાર્થ કહ્યું છે. "અખાએ તત્ત્વવિચારક કવિતાને શિખરે પલાંઠી લગાવી છે. ” ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં એક જ્ઞાની કવિ તરીકે તેનું સ્થાન અદ્વિતીય છે. For Private & Personal Use Only ૫૧ પ્રેમાનંદ www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy