SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ 375467 કેમચંદ્રાચાર્ય, કલિકાલસર્વજ્ઞ નરસિંહ મહેતા ગુજરાતના એક આદિ કવિ તરીકે નરસિંહ મહેતાનું સ્થાન વિશિષ્ટ છે. શ્રીકૃષ્ણની પ્રેમલક્ષણા ભક્તિમાં રમમાણ એવા કવિ નરસિંહ ભક્તની સાથે દાર્શનિક પણ છે. આ કવિ પોતાના જીવનપ્રસંગોને ગૂંથી લેતી આત્મચરિત્રાત્મક રચનાઓ ‘શામળદાસનો વિવાહ', ‘હારમાળા', ‘હુંડીનાં પદો’, ‘કુંવરબાઈનું મામેરું’ અને ‘પિતાનું શ્રાદ્ધ' કરીને આખ્યાનનું બીજ રોપ્યું. નરસિંહનાં પદો કૃષ્ણભક્તિથી તરબતર છે. નરસિંહની કવિતાના કેન્દ્રમાં ભક્તિ છે. નરસિંહે ‘વૈષ્ણવજન’ની વ્યાખ્યા કરી આપી. હરિજનને ત્યાં ભજન કરીને સમાજસુધારાની જેહાદ પાંચસો વર્ષ પહેલાં જગાવી હતી. “ જાગીને જોઉં તો જગત દીસે નહિ", "અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ”-જેવાં પદો ઉપનિષદની કોટિએ પહોંચતી કવિની મંત્રવાણી છે." જે ગમે જગતગુરુદેવ જગદીશને", “હરિ હરિ રટણ કર" અને "સુખદુઃખ મનમાં ન આણીએ” જેવાં ઝૂલણા છંદમાં રચાયેલા પ્રભાતિયાંથી નરસિંહ આજે પણ લોકકંઠે જીવે છે. Jain Education International પથપ્રદર્શક હેમચંદ્રાયાર્ય, કલિકાલસર્વજ્ઞ - ગુર્જરીભાષામાં વ્યાકરણની પ્રથમ રચના કરનાર, ગુર્જરીભાષાના છંદશાસ્ત્ર અને અલંકારશાસ્ત્ર રચનાર આચાર્ય હેમચંદ્રસૂરિનું ગુજરાતી સાહિત્યને આ અને પ્રદાન છે. પૂર્વાશ્રમમાં ચાંગદેવ નામે ઓળખાતા, મોઢવણિક જ્ઞાતિમાં જન્મેલા, અનન્ય વ્યક્તિત્વ ધરાવનાર આ ધુરંધરે સન ૧૧૦૮માં જૈનધર્મની દીક્ષા લીધી. સોલંકીયુગના શાસનમાં મહારાજ સિદ્ધરાજની પ્રેરણાથી ‘સિદ્ધહેમ' - શબ્દાનુશાસન વ્યાકરણની રચના કરી. બોધ, વીરતા અને શૃંગાર રસથી છલકતા દુહાઓની આગવી ભાતથી'સિદ્ધહેમ'શોભે છે. આ દુકાઓ એ સમયનું લોકસાહિત્ય છે, ફક્ત બે જ પંક્તિના દુહાઓમાં કવિએ રસની નિષ્પત્તિ સુંદર રીતે આપી છે. વ્યાકરણના સિદ્ધાંતોના ઉદાહરણરૂપે આપેલા આ દુહાઓમાં કવિની વીરતા અને રસિકતા દેખાય છે.‘અભિધાનચિંતામણિ’ તથા ‘અનેકાર્થસંગ્રહ' નામના અનુક્રમે અર્થવાચી અને અનેકાર્થી શબ્દોના કોષ રચ્યા. કહેવાય છે કે એમણે કુલ ત્રણ કરોડ શ્લોકો રચેલા, પરંતુ એટલું બધું સાહિત્ય અપ્રાપ્ય છે, છતાં જે કંઈ મળી શકે છે એ પણ ભારત વર્ષના સર્વ મહાપંડિતોમાં એમને અનોખું સ્થાન અપાવે છે. ભાલણ નરસિંહ મહેતા ભાલણ આ કવિડિતે ગુરુકૃપાએ પુરાણાદિના આધારેઆખ્યાનો રચ્યાં અને કથાઓ કરી. બાણભટ્ટની કાદંબરી નામે અપૂર્વ પંચનું ગુર્જરભાષામાં સરસ રૂપાંતર કર્યું છે. આ ઉપરાંત તેમણે દશમસ્કંધ, સપ્તસતી, રામ બાલચરિત્ર, નળાખ્યાન જેવાં પૌરાણિક કથાપ્રસંગોને લઈ કવિતા લખી છે. તેમની કૃતિઓ શૃંગાર, વાત્સલ્ય અને કરણ રસથી ભરેલી છે. તેમણે જલંધર આખ્યાન, રામવિવાહ, કૃષ્ણવિષ્ટિ જેવા ગ્રંથો પણ લખ્યા છે. અલંકારમંડિત તેમની ભાષા દર્શાવે છે કે તેઓ સંસ્કૃતભાષાના ઊંડા અભ્યાસી છે. આપણા સાહિત્યમાં ભાષાંતરનો નવો પ્રવાહ શરૂ કરવાનો શ્રેય ભાલણ અને તેમના પુત્રકવિ ભીમને જાય છે. તેમના દરેક પદના અંતે ‘ભાલણ પ્રભુ’ આવે છે. કવિશ્રી ભાલણ, શ્રી નરસિંહના સમકાલીન કહી શકાય તેવા આ કવિનો જન્મ પાટણમાં થયો હતો. હાલમાં પણ પાટણમાં આ કવિનો ઉલ્લેખ ‘પ્રભુ’ વિશેષણથી કરવામાં આવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy