SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. નિર્ણય લીધો ત્યારે શ્રી આર. એસ. ભટ્ટને તે કામ સ્વીકારવા માટે વિનંતી કરાઈ હતી. શ્રી આર. એસ. ભટ્ટનો એક પરિચય એ રીતે કરાવવામાં BALCULE } "He is the father of Mutual Fund Establishment in India." શ્રી આર. એસ. ભટ્ટને લેખનનો શોખ હતો અને અવારનવાર પ્રતિષ્ઠિત સામયિકોમાં લેખો લખતા હતા. તેમનાં લગ્ન પુષ્પાબહેન નાનાલાલ પાઠક સાથે ૧૯૨૮માં થયાં હતાં. ગુજરાત અને ભાવનગર જેમને માટે ગૌરવ લઈ શકે તેવી વ્યક્તિપ્રતિભા શ્રી આર. એસ. ભટ્ટ ધરાવતા હતા. મૂળશંકર છોટાલાલ ભટ્ટ ભાવનગરમાં સ્ત્રી કેળવણી મંડળના સહકારથી સ્ત્રીઓના એન્ટર પ્રિન્યૂઅર ડેવલપમેન્ટ માટે તથા ઇન્ફોર્મલ એજ્યુકેશન માટે સી. આર. ભટ્ટ સેન્ટરની સ્થાપનાના પ્રણેતા-સ્થાપક શ્રી મૂળશંકર છોટાલાલ ભટ્ટ ભાવનગરમાં ઈ.સ. ૧૯૧૯માં જગ્યા હતા. તેમણે શામળદાસ કોલેજમાં સંસ્કૃત (ઓનર્સ) લઈ બી.એ. કર્યું હતું. - પોતાની કારકિર્દીનો પ્રારંભ ધ્રાંગધ્રાના મહારાજાના સેક્રેટરી તરીકે કરીને વફાદારી, કર્તવ્યનિષ્ઠા તથા પરિશ્રમ જેવા સારા ગુણોને કારણે તે સમયના બાહોશ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના અંતરંગ સચિવ તરીકે કામ કરવાનું પ્રાપ્ત થયું. સરદારના વિશ્વાસ અને શ્રદ્ધા જીતી લીધાં. તેઓ પછીથી સરકારની ‘મિનિસ્ટ્રિ ઓફ ફાયનાન્સ'માં જોડાયા. આ દરમિયાન તેમણે “ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર' નવી દિલ્હીના ‘ચિફ એક્ઝીક્યુટિવ' તરીકે એટલી ધગશ અને રસ લઈને કામ કર્યું કે વિદેશી રોકાણો મોટા પાયા પર ભારતમાં લાવવામાં સફળતા મળી. તેમની કાર્યકુશળતાને કારણે ફેરા, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, ટેક્નોલોજી ટ્રાન્સફર જેવા અઘરા વિષયોનું સફળતાપૂર્વક સંચાલન કરી, ઈ.સ. ૧૯૭૭માં જોઇન્ટ સેક્રેટરી અને કેપિટલ ઇસ્યુના કન્ટ્રોલર તરીકે નિવૃત્ત થયા. | નિવૃત્તિ પછી આઈ. સી. આઈ. જેવી અગ્રણી નાણાકીય સંસ્થા તથા બેંક ઓફ બરોડાના સલાહકાર તરીકે સેવાઓ આપી. પથપ્રદર્શક તેમના ઉત્તમોત્તમ કાર્યને ધ્યાનમાં લઈને UniDo એ તેમને સોમાલિયામાં ઉદ્યોગોના વિકાસ અને વિદેશી મૂડીરોકાણના કાયદા ઘડવામાં સલાહકાર તરીકે આમંત્રણ આપ્યું. ફેકલ્ટી મેમ્બર’ થવા માટેની વિનંતીને માન આપી તેમણે મૂલ્યવાન સેવાઓ આપી. ઈ.સ. ૧૯૭૪થી ૧૯૮૦ દરમિયાન ESCAP (U.N.)ના ઉપક્રમે ફિલિપાઇન્સ, ટોકિયો, સીડની અને બેંગલોરમાં “ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન’ અને ટેકનોલોજી ટ્રાન્સફર'ના સેમિનાર યોજ્યા. તેમાં ગ્રુપના સૂચનથી ESCAPએ સેન્ટર ફોર ટેકનોલોજી ટ્રાન્સફરની સ્થાપના કરી. - ઈ.સ. ૧૯૭૬માં જિનિવામાં ‘નોન-એલાઇન' દેશોની મળેલી UNCTAD મીટિંગમાં તેઓ ૧૯૭૭ના ગ્રુપના ચેરમેન તરીકે ચૂંટાયા જે એક ભારતીયને મળેલું બહુમૂલ્ય પદ હતું. સમગ્ર ગુજરાત અને વિશેષે ભાવનગર આ અંગે જરૂર ગૌરવની લાગણી અનુભવે. “મર્ચન્ટ બેન્કર’ ટીમના તેઓ અગ્રણી મેમ્બર હતા. આ ટીમે G.N.E.. માટે રૂા. ૯.૫ કરોડનું ભંડોળ બિનઆવાસી ભારતીયો પાસેથી મેળવ્યું, જે ભારતમાં બિનઆવાસી ભારતીયો દ્વારા કરેલું રોકાણ મહત્ત્વના પાયારૂપ બન્યું. એ પણ ઉલ્લેખનીય બાબત ગણાય કે ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા નિમાયેલી બિનઆવાસી ભારતીયો માટેની કન્સલ્ટેટિવ કમિટીના તેઓ એકમાત્ર ભારતીય પ્રતિનિધિ હતા. અમદાવાદની પ્રખ્યાત આઈ. આઈ. એમ.ના ‘વિઝિટિંગ ફેકલ્ટી’ તરીકે તેમણે થોડાં વર્ષો કામ કર્યું. તેઓ કેટલીક વખત પ્રખ્યાત કંપનીઓના નોનએક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા અને SEBI, IDBI દ્વારા નિમાયેલી કેટલીક કમિટીઓમાં અને ગુજરાત સરકાર દ્વારા કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઝડપી ઔદ્યોગીકરણ માટે નિમાયેલી કમિટીઓમાં તેમણે સફળતાપૂર્વક કામ કર્યું હતું. સામાજિક સેવા ક્ષેત્રે તેમનું મૂલ્યવાન પ્રદાન રહ્યું હતું. અખિલ ભારતીય એન. વી. ગાડગીલ સોસાયટી એવોર્ડ' તેમને આપવામાં આવ્યો હતો. એક વિત્તીય નિષ્ણાંત અને સામાજિક કાર્યકર તરીકે તેમને યાદ કરીશું. - હસમુખ શાહ શ્રી હસમુખ શાહ ૪થી ઓક્ટોબર ૧૯૩૪ના રોજ જમ્યા છે. તેમનું આખું નામ શ્રી હસમુખ શાંતિલાલ શાહ, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org Intermational For Private & Personal Use Only
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy