SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૯ પ્રતિભાઓ. લંબૂ ઇન હોંગકોંગ' (૧૯૬૭), ‘ગાયત્રી મહિમા' (૧૯૭૭)નો સમાવેશ થાય છે. શંકર ભટ્ટ પાલિતાણાના જ શંકર ભટ્ટ પોતાના ફિલ્મકાર ભાઈઓ વિજય ભટ્ટ અને હરસુખ ભટ્ટની સાથે કામ કરતાં રહીને એક દિગ્દર્શક તથા ફિલ્મકાર તરીકેની પોતાની અલગ ઓળખ પ્રસ્થાપિત કરી. ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં સ્વતંત્ર ફિલ્મો આપી છે. શંકર ભટ્ટની કહી શકાય તેની ત્રણે ફિલ્મો ટિકિટબારી પર અદ્વિતિય સફળતા હાંસલ કરી ચૂકી છે. ૧૯૬૨ના વર્ષમાં શંકર ભટ્ટ નિર્મિત પ્રથમ ફિલ્મ ‘હરિયાલી ઔર રાસ્તા'માં મનોજકુમાર, માલાસિંહા, શશિકલા, ઓમપ્રકાશ મુખ્ય ભૂમિકામાં હતાં. સંગીત શંકર જયકિશનનું હતું અને સમગ્ર ફિલ્મ દાર્જિલિંગના મનોરમ્ય સ્થળ પર ચિત્રાંકિત થઈ હતી. | ‘હરિયાલી ઔર રાસ્તા'ના જ સફળ હીરો મનોજકુમારને લઈને શંકર ભટ્ટે બનાવેલી ૧૯૯૫ની હિન્દી ફિલ્મ ‘હિમાલય કી ગોદ મેં પણ એટલી જ કામિયાબ થઈ હતી. ઈ.સ. ૧૯૭૦માં હોલી આઈ રે' ફિલ્મ નિર્માણ કર્યા પછી શંકર ભટ્ટ નિવૃત્તિ પસંદ કરી છે. આર. એસ. ભટ્ટ નામ લેતાં જ યુટીઆઈ સાંભરી આવે એ આર. એસ. ભટ્ટનું આખું નામ રવિશંકર સંતોષરામ ભટ્ટ. તેમનો જન્મ ૧૩મી ડિસેમ્બર, ૧૯૦૯ના રોજ થયો હતો. ભાવનગરની આલ્ફડ હાઇસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ અને ત્યાર બાદ શામળદાસ કોલેજમાં અર્થશાસ્ત્ર મુખ્ય વિષય લઈને બી.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયા હતા. ૧૯૩૧માં લંડન ભણવા ગયા. ત્યાંના અભ્યાસ દરમિયાન તે પ્રાધ્યાપક હેરલ્ડ લાસ્કાના પ્રીતિપાત્ર વિદ્યાર્થી બની રહ્યા હતા. ઈ. સ. ૧૯૩૬થી ૧૯૪૦ દરમિયાન પ્રેમચંદ રામચંદ્ર ગ્રુપના ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે સેવાઓ આપી. ઈ.સ. ૧૯૪૦થી ૧૯૪૪ સુધી શ્રી અનંતરાય પટ્ટણી ભાવનગર રાજ્યના દીવાન નિમાયા ત્યારે શ્રી આર. એસ. ભટ્ટને દીવાન ઓફિસમાં મુખ્ય અધિકારી તરીકેનું કામ સોંપ્યું હતું. ઈ.સ. ૧૯૪૪થી ૧૯૪૮ ભાવનગર રાજ્યના નાયબ દીવાન તરીકે નિમણુંક થઈ. ભારત સ્વતંત્ર બન્યું અને રાજ્યોનું એકીકરણ થયું તે અરસામાં શ્રી આર. એસ. ભટ્ટ મુંબઈ આવ્યા અને ઓરિએન્ટલ કંપનીના નવા ઇન્વેસ્ટમેન્ટ ખાતામાં ફિના સ મેનેજર તરીકે કામગીરી સંભાળી. ઈ.સ. ૧૯૫૩માં મુંબઈ સરકાર દ્વારા બોમ્બે સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશનના પ્રથમ મેનેજિંગ ડિરેક્ટર નિમાયા. આ કામ તેમણે ૧૯૫૩થી ૧૯૫૭ સુધી સંભાળ. ૧૯૫૭થી ૧૯૬૦ દરમિયાન રવિભાઈ ટેરિફ કમિશનના સભ્ય તરીકે નિમાયા. ભારત સરકારે પરદેશના ઉદ્યોગપતિઓ, વેપારીઓના ભાગીદાર બની ભારતમાં ઉદ્યોગો સ્થાપવામાં સહાય કરે, ખાસ કરીને ટેકનિકલ સહાય તેમ જ મૂડીરોકાણ કરે જેથી વિકાસમાં આગળ વધવાની સાથે પરદેશની છેલ્લામાં છેલ્લી ટેકનિકનો પણ લાભ મળે તે ઉદ્દેશથી એક નવી સંસ્થાની સ્થાપના કરી, ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર' જેનું મુખ્ય મથક દિલ્હીમાં રાખવામાં આવ્યું. આ સંસ્થા ઉદ્યોગ મંત્રાલયની દેખરેખ નીચે કામ કરતી હતી. આ સંસ્થાના પ્રથમ ચેરમેન શ્રી ગગનવિહારી મહેતા હતા. તેમણે પ્રથમ એક્ઝક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી આર. એસ. ભટ્ટની નિમણૂંક કરી. ઈ.સ. ૧૯૬૦થી ૧૯૬૪ સુધી આ પદ પર તેમણે કામ કર્યું. ૧૯૬૪માં ભારત સરકારના નાણાં મંત્રાલયે બે નવી સંસ્થાઓ સ્થાપવાનો નિર્ણય લીધો. એક યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને બીજી સંસ્થા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. બંને સંસ્થાઓના કામકાજની દેખરેખ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે તેમ ગોઠવાયું હતું. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સ્થાપક ચેરમેન તરીકે શ્રી આર. એસ. ભટ્ટની નિમણુંક કરવામાં આવી. આઠ વર્ષ સુધી તેમણે ચેરમેનપદ શોભાવ્યું. | નિવૃત્તિ પછી શ્રી આર. એસ. ભટ્ટને ભારત સરકારે કેટલીક મહત્ત્વની કામગીરી સોંપી હતી તે પણ ઉલ્લેખનીય છે. ઈ.સ. ૧૯૭૨થી ૧૯૮૦ સુધી તેઓ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરના ચેરમેન તરીકે રહ્યાં. ૧૯૭૪થી '૭૭ સુધી “સેઇલ ઇન્ટરનેશનલના ચેરમેન રહ્યા. આ સંસ્થા ભારત સરકારના ત્રણ મોટાં સ્ટીલના કારખાનાં (ભીલાઈ, દુર્ગાપુર અને રુરકેલા)માં તૈયાર થયેલા માલને પરદેશ નિકાસ કરવાનું કામ કરતી સંસ્થા છે. ૧૯૭૫થી ૮૦ સુધી તેઓ નેશનલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન રહ્યા હતા. આ ઉપરાંત અતુલ પ્રોડક્ટસ, જાર્ડિન હેન્ડરસન, એચ. એમ. વી. વી કંપનીઓમાં ડિરેક્ટર નિમાયા હતા. એ તો જાણીતી બાબત છે કે ૨૦ વર્ષ જેટલા લાંબા સમય સુધી એટલે કે ૧૯૭૨થી '૯૨ સુધી અમદાવાદ ઇલેક્ટ્રીકસિટિ કંપનીના ચેરમેન તરીકે તેઓ હતા. ૧૯૭૨માં એસ. બી. આઈ.એ મરચન્ટ બેન્કિંગ વિભાગ શરૂ કરવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy