SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ પથપ્રદર્શક ભાવેણા મલેક ઉઝલ શબળાઇ વિવિધફોટાનાં પ્રતિભાવંતો – મહેન્દ્ર ગોહિલ જીવનનાં તમામ ક્ષેત્રમાં પોતાનું હીર બતાવી આપનાર નામી અનામી અનેક નરપુંગવોથી ભાવનગરગોહિલવાડનું નામ ભારતભરમાં અને વિશ્વપ્રાંગણમાં ઉજ્વળ બન્યું છે. રાષ્ટ્રના સર્વાગીણ વિકાસમાં આ ભૂમિનાં નરરત્નોનો ફાળો સાંસ્કૃતિક દૃષ્ટિએ ચિરંજીવ નોંધપાત્ર બન્યો છે. સૌરાષ્ટ્રની અર્વાચીન સંસ્કૃતિનો અર્ક ભાવનગરમાં વિશેષ દૃષ્ટિગોચર થાય છે. એવી આ ભૂમિનો ભૂતકાળ ખમીરવંતો છે. કલા, સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે પણ ભાવનગરને નામના અપાવી છે. અનેક પ્રતિભાઓએ ભાવનગર બહાર જઈને બહારની દુનિયામાં પોતાના ક્ષેત્રમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. આવા ગૌરવવંતાઓનો પરિચય કરાવવાની મહેન્દ્ર ગોહિલની લાંબા સમયથી તીવ્ર ઝંખના હતી. ભાવનગરના ધીરેનભાઈ વૈષ્ણવ, વિનોદભાઈ વ્યાસ, દિલેરબાબૂ, અજય પાઠક, ગુણવંત ઉપાધ્યાય, રાહી ઓધારિયા, નાઝિર સાવંત, બટુકભાઈ પંડ્યા વગેરે મિત્રોનો સહયોગ લઈ આ લેખમાળામાં ઠીક ઠીક પરિચયો રજૂ કરે છે મહેન્દ્ર ગોહિલ. મહેન્દ્ર ગોહિલના પરિચયની વાત આવે તો “શો ટાઇમવાળા મહેન્દ્રભાઈ' તેવા વાક્યમાં સામો પરિચય મળે તે અલગ વાત છે. શો ટાઇમ ન્યૂઝ ચેનલ ભાવનગરની પ્રથમ ડિઝિટલ ચેનલ છે, જેના પર રાત્રે ૮-૪૫ વાગે પ્રસારિત થતા સ્થાનિક સમાચારો ભાવનગરનાં ઘરેઘરમાં જોવાય છે ને એટલે મહેન્દ્ર ગોહિલ સાથે “શો ટાઇમ'નું નામ જડાઈ ગયું છે. જો એમ કહેવામાં આવે કે “શો ટાઇમ'ના મહેન્દ્રભાઈએ તખ્તા પર નાટકો ભજવ્યાં છે, ભૂમિકાઓ કરી છે તો તે અચરજની વાત કહેવાય. મહેન્દ્રભાઈ ફિલ્મ જગતના અનેક કલાકારો, નિર્માતા, દિગ્દર્શકોના અને ફિલ્મના પી.આર.ઓ. રહી ચૂક્યા છે. તે વાત આજે નવી લાગે. મહેન્દ્ર ગોહિલ મૂળભૂત કવિ જીવ. “મ. ગો.' અને ઉપનામ “ઉલ્કા’થી મિત્રોમાં જાણીતા મહેન્દ્ર ગોહિલે કવિ તરીકે માત્ર કવિતાઓ રચવાનું પૂરતું ન ગયું. કાવ્યપ્રવૃત્તિને તેમણે એક ચળવળ બનાવી દીધેલી અને આ ચળવળના પરિણામે ભારતની ચારેય દિશાઓમાં તેમણે ભાવનગરના કવિઓ માટે કાયમી મંચ બનાવી આપ્યા છે. મ. ગો.”એ કેડી કંડારી કામ પૂરું થયું નથી ગયું. એ કેડી કાયમ માટે ઉત્તરોત્તર વિસ્તરતી રહે તેવો વ્યાપ પણ તેમણે કાયમ કર્યો છે. કવિતાઓ ઉપરાંત વિવિધ વિષયો પર ૪૦ હજારથી વધુ લેખો લખી ચૂકેલા મહેન્દ્ર ગોહિલ પાસે કોઈ પણ વિષયની અથથી ઇતિ સુધીની માહિતી હાથવગી હોય છે. “સંબંધ' નામક સાહિત્યલક્ષી સામયિકથી શરૂ થયેલું મહેન્દ્ર ગોહિલનું પત્રકારત્વ તમામ બુલંદીઓને સ્પર્શી ચૂક્યું છે. વાચ્યથી માંડીને દેશ્ય-શ્રાવ્ય માધ્યમ સુધીના સઘળા તબક્કાઓ પરની તેમની કાબેલિયત રાતદિવસ જોયા વગરના તેમના અવિરત પુરુષાર્થની દેણ છે. દૈનિક વર્તમાનપત્રોમાં વિવિધ વિષયો પર અલગ અલગ વિભાગો છપાતા, જેને મેગેઝિન સેક્શન (સામયિક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy