SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ વિભાગ) કહેવાતું, આ વિભાગો પ્રસિદ્ધ કરવા અલગ પૂર્તિની પ્રથા ન હતી ત્યારે આ પ્રથાનો પાયો મહેન્દ્ર ગોહિલે સ્થાપેલો. ભાવનગરમાં રહીને તેમણે અમદાવાદનાં સમૃદ્ધ દૈનિકોની અલગ પૂર્તિ માટેનો પુરવઠો પૂરો પાડેલો. આજે દૈનિક વર્તમાનપત્રો સાથે આવતી રોજીંદી વિશેષ પૂર્તિઓનો યશ મહેન્દ્ર ગોહિલના ફાળે જાય છે. વ્યક્તિ તરીકે મહેન્દ્ર ગોહિલ નોખી માટીના માનવી છે. સતત અને સળંગ સંઘર્ષ તેમની ખાસિયત છે. પોતે જેને સત્ય માનતા હોય તેના માટે કોઈ બાંધછોડ નહીં કરવાની તેમની પ્રકૃતિ છે, સંજોગોની પ્રતિકૂળતા તેમને ક્યારેય ડગાવી શકી નથી. ‘શો ટાઇમ’ દ્વારા કમ્પ્યૂટરની રોજીંદી કાલ દેખાડી રહેલા મહેન્દ્ર ગોહિલનો કમ્પ્યૂટરજગત અને ઇન્ટરનેટની દુનિયામાં જીવંત સંપર્ક છે. કમ્પ્યૂટર પર ફિલ્મનું એડિટિંગ કરવાની કલા મહેન્દ્ર ગોહિલે હસ્તગત કરી તે વાતથી પ્રભાવિત થઈ કમ્પ્યૂટર કલાની આગવી સૂઝ ધરાવતા ફિલ્મસ્ટાર શમ્મીકપૂરના પુત્ર આદિત્યકપૂર વારંવાર મહેન્દ્ર ગોહિલની મુલાકાતે આવે છે. આંતરરાષ્ટ્રીય કમ્પ્યૂટર-એન્જિનિયરની સમાંતર કાબેલિયત ધરાવતા મહેન્દ્ર ગોહિલે કમ્પ્યૂટરનું કોઈ શિક્ષણ લીધું નથી. તે વાત હેરત પમાડનારી છે. મહેન્દ્રભાઈ ગોહિલની વિવિધ ક્ષેત્રોની દરેક પ્રવૃત્તિઓમાં ભાવનગર અને જિલ્લાનું ગૌરવ અગ્રસ્થાને રહ્યું છે. —સંપાદક તથા ઔદ્યોગિક સંશોધન સાથે સંકળાયેલી વિવિધ સલાહકારસમિતિઓના તેઓ સભ્ય હતા. ફેડરેશન ઓફઇન્ડિયન ચેમ્બર્સના પ્રતિનિધિ તરીકે તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લીધો હતો. અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળોના તેઓ સભ્ય હતા. ભાવનગરનું મસ્ત–ઉન્નત કરનારાં-વ્યક્તિવિશેષ ગગનવિહારી મહેતા ભાવનગરના પ્રખ્યાત દીવાન કુટુંબો બે. એક મહેતા કુટુંબ અને બીજું ઓઝા કુટુંબ. એમાં મહેતા કુટુંબમાં સર લલ્લુભાઈ શામળદાસ મહેતા એક ઉદ્યોગપતિ તરીકે તથા સહકારી પ્રવૃત્તિના પ્રણેતા તરીકે પ્રસિદ્ધિ પામેલા હતા. આ લલ્લુભાઈ શામળદાસના દીકરા તે ગગનવિહારી. પછીથી જેઓ જી. એલ. મહેતાના નામથી અત્યંત પ્રસિદ્ધિ પામ્યા. શ્રી ગગનવિહારી મહેતાનો જન્મ અમદાવાદમાં ૧૫ મી એપ્રિલ ૧૯૦૦ના રોજ થયો હતો. હમણાં બેચાર વર્ષ પૂર્વે તેમનું શતાબ્દી વર્ષ ગયું. શ્રી ગગનવિહારી મહેતાએ મુંબઈ યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં શિક્ષણ લીધું હતું. ઈ.સ. ૧૯૨૩થી ૧૯૨૫ સુધી તેમણે ‘બોમ્બે ક્રોનિકલ’ના મદદનીશ તંત્રી તરીકે કામ કર્યું હતું. તે પછી ૨૨ વર્ષ સુધી તેઓ સિન્ધિયા સ્ટીમ નેવિગેશન કું.માં હતા અને ઘણોખરો સમય એ કંપનીની કલકત્તા શાખાના મેનેજર રહ્યા હતા. ઈ.સ. ૧૯૩૯-૪૦માં તેઓ કલકત્તાની ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હતા અને ઈ.સ. ૧૯૪૨-૪૩માં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હતા. ઉદ્યોગ Jain Education International ૦૧ - ઈ.સ. ૧૯૪૭ના જુલાઈથી ઓક્ટોબર સુધી તેઓ ભારતની બંધારણસભાના સભ્ય હતા. ઈ.સ. ૧૯૪૭ સુધી તેઓ ભારતની બંધારણસભાના સભ્ય હતા. ઈ.સ. ૧૯૪૭થી ૧૯૫૦ સુધી તેઓ ભારતના ટેરિફ બોર્ડના પ્રમુખ હતા. ઈ.સ. ૧૯૫૦માં આયોજન પંચ નીમવામાં આવ્યું ત્યારથી ૧૯૫૨ સુધી તેઓ તેના સભ્ય હતા. ૧૯૫૨માં તેઓ ટેરિફ કમિશનના ચેરમેન હતા. For Private & Personal Use Only સમગ્ર ગુજરાત અને વિશેષે ભાવનગર જે બાબત ખૂબ ગૌરવ અનુભવે છે તે વાત એ છે કે સપ્ટેમ્બર ૧૯૫૨માં શ્રી ગગનવિહારી મહેતાને અમેરિકા ખાતે ભારતના એલચી નીમવામાં આવ્યા હતા. આ પદ પર તેઓ મે ૧૯૫૮ સુધી રહ્યા હતા. આ દરમિયાન અમેરિકાની ત્રણ સંસ્થાઓએ તેમને વિદાયની ઓનરરી ડિગ્રી આપી હતી. પછીથી તેઓ ઇન્ડસ્ટ્રિઅલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ.ના હિન્દુસ્તાન શિપયાર્ડના અને નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેન હતા. www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy