SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ યુવાનોના રાહબર અને‘પ્રેરણાના સ્રોત એવી વ્યક્તિનું નામ છે કુમારપાળ વિમળભાઈ શાહ. આજે એમની ઉંમર ૪૯ વર્ષની છે. તેઓ મૂળ વીજાપુર (જિ. મહેસાણા-ઉ. ગુજરાત)ના પણ વરસોથી મુંબઈમાં સ્થિર થયા હતા. વરસો સુધી તેઓ હીરાના વ્યાપારમાં જોડાઈ રહ્યા, પણ હાલ કલિકુંડ—ધોળકા (જિ. અમદાવાદ) એમની ધર્મકાર્યભૂમિ છે. હીરાનો ધીકતો વ્યાપાર છોડી, દેશના, સમાજના ને ધર્મના પુણ્યકાર્યમાં તન-મન-ધન, મન-વચન-કાયા અને સમય-શક્તિનું સમર્પણ કરી રહ્યા છે. ખાનદાન માતાપિતાના આ સંતાનને બાળપણથી ધર્મના સુસંસ્કારો હતા જ પણ ઈ.સ. ૧૯૬૪ના ઉનાળામાં ૧૭ વર્ષના કુમારપાળ મિત્રો સાથે આબુ પર્વતના અચલગઢ શિખર પર જૈન ધાર્મિક શિક્ષણ શિબિર દ્વારા જૈન આચાર અને આધ્યાત્મિક ક્રાંતિ લાવનાર આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા ધાર્મિક શિક્ષણના જ્ઞાન દ્વારા પોતાના આત્માને અતિ ભાવિત કરી રહેલા કુમારપાળના જીવનમાં એક વાવાઝોડું આવ્યું અને ટર્નિંગ પોઈન્ટ લાવ્યું. બન્યું એવું કે માઉન્ટ આબુના એ ઊંચા શિખર અચલગઢમાં વરસાદ સાથે ભયંકર પવન ફૂંકાયો. એ વિનાશક વાવાઝોડામાં શિબિરના ટેન્ટ ઊડી ગયા, તો સાધુની પાણી ઠારવાની પરાતો પણ ઊડી, મકાનનાં નળિયાં ઊડ્યાં, તો વિશાળકાય વૃક્ષો પણ ઊખડ્યાં. આવા વખતે ૧૭ વર્ષના નવયુવાને એક પવિત્ર સંકલ્પ કર્યો : ‘જો વાવાઝોડું શાંત થાય તો મારે આજીવન બ્રહ્મચર્યવ્રત લેવું.' અને આશ્ચર્ય થયું. ડરામણું ને બિહામણું ભયંકર વાવાઝોડું ક્ષણવારમાં જ શાંત થઈ ગયું અને કુમારપાળે શિબિર જ્ઞાનદાતા, ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને પોતાના શુભ સંકલ્પની વાત કહી. પૂજ્ય ગુરુદેવશ્રી અપાર ખુશ થઈ ગયા અને આશીર્વાદના ધોધ વહાવવાપૂર્વક પોતાના આ લાડલા શિબિર-શિષ્યને આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરાવ્યું. સર્વત્ર આનંદની લહેરો ઊછળી. પછી તો મારે ચારિત્ર ન લેવાય ત્યાં સુધી મૂળથી ઘી ત્યાગ’નો કુમારપાળે પ્રતિજ્ઞા કરી. કુમારપાળની ભીષ્મપ્રતિજ્ઞા અને ભવ્ય સંકલ્પે જૈનશાસનમાં એક ઇતિહાસ સર્જ્યો. તેમાં ગુરુકૃપા બળે ચાર Jain Education International ૬૮ ચાંદ લગાવ્યાં. અનેક શાસનપ્રભાવક કાર્યો થયાં. સાધર્મિક ભક્તિ, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, દેરાસરોનાં નિર્માણ, જીર્ણોદ્ધાર, પાઠશાળા, ઉપાશ્રયોનાં નિર્માણ, જૈન ધાર્મિક શિક્ષણ શિબિરો, સંઘોને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન, સત્ સાહિત્યનું પ્રકાશન, જૈન સંસ્કારોનો પ્રચાર-પ્રસાર, કુદરતી હોનારતોમાં સહાય, પાંજરાપોળ-જીવદયાનાં કાર્યો ઇત્યાદિ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કુમારપાળભાઈ મૂકપણે નિત્ય કરતા જ રહે છે. ગુરુદેવ પૂ. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નું મનનીય ચિંતન ‘દિવ્યદર્શન' હિન્દી અને ગુજરાતી પાક્ષિક અને સાપ્તાહિક પત્રોનું વર્ષો સુધી સંપાદન કરી કુમારપાળભાઈએ સત્ સાહિત્ય લોકો સુધી પહોંચાડ્યું છે. વળી જિનપૂજા, સામાયિક, શાસ્ત્ર સ્વાધ્યાય-મનનચિંતન આ બધાં નિત્યનાં આત્મજાગૃતિ કરનારાં કર્તવ્યો તો કુમારપાળભાઈનાં જીવનમાં ખરાં જ ખરાં; તેઓ ખૂબ ઉદાર, પ્રેમાળ, સહાનુભૂતિપૂર્ણ દિલવાળા, ઉત્તમ વિચારક અને આચારસંપન્ન છે. કુમારપાળભાઈના અનેકવિધ સદ્ગુણોમાંથી આપણે સૌ ઉત્તમ પ્રેરણા લઈએ એવી શુભાભિલાષા. ગુજરાતનું ગઝલમોતી : કુતુબ ‘આઝાદ' સમાજસેવા-પત્રકારત્વ-સાહિત્યનો અનોખો સમન્વય થયો છે બગસરાના કુતુબ ‘આઝાદ’માં. અમરેલી જિલ્લાના બગસરામાં ૮૨ વર્ષની જૈફ વયે પણ, અડધા સૈકા ઉપરાંતથી ‘તમન્ના’સામયિક દ્વારા પત્રકારત્વ-સાહિત્ય અને સમાજસેવાની જ્યોતને અનેકવિધ ઝંઝાવાતોની વચ્ચે પણ ટમટમતી રાખી રહેલ છે ગુજરાતના ગઝલમોતી કુતુબ અબ્દુલહુસેન સદીકોટ ઉર્ફે કુતુબ ‘આઝાદ’. અલબત્ત ગુજરાત સરકાર કુતુબભાઈને JP સમકક્ષ SEM બનાવી ચૂકી છે છતાં સંત શ્રી મોરારીબાપુ કુતુબભાઈના ગુજરાત સ્તરે સમ્માનની ઇચ્છા સેવે છે, તો કવિઓના કવિ શ્રી રમેશ પારેખ તો રીતસરનો વસવસો વ્યક્ત કરી કહે છે : “મને લાગે છે કે કુતુબભાઈની સાહિત્યિક કારકિર્દીની સુપેરે નોંધ લેવાઈ નથી. અન્ય લોકોની દાદ મળવાની વાત તો ઠીક છે પણ ગુજરાતી સાહિત્યકોશમાં સાહિત્યકારોની ઓળખ આપનારાઓએ પણ કુતુબભાઈના સાહિત્યસર્જનની ઉપેક્ષા કરી છે. કુતુબભાઈએ માથું મારીને આગળ આવી જવાની પ્રવૃત્તિ કરી નથી. તેમના સર્જનની જ્યાં ને જેટલી નોંધ લેવાઈ છે તે તેમણે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy