SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૮ પથપ્રદર્શક પર્યાપ્ત ગણી છે. આવો સંયમ પણ વિરલ ગણાય.” કતુબ આઝાદને પોતાના જૂના મિત્ર માનતા સ્વ. શ્રી અમૃત ‘ઘાયલ’નું એ અવલોકન હતું કે, ગુજરાતમાં કવિતા અને પત્રકારત્વનું મિશ્રણ બહુ ઓછી વ્યક્તિઓમાં જોવા મળે છે. આવી બે દુર્લભ વ્યક્તિઓમાં “જન્મભૂમિ-પ્રવાસીના (પૂર્વ) તંત્રી હરીન્દ્ર દવે અને કુતુબ “આઝાદ'નો સમાવેશ થાય છે. આઠ-આઠ ગઝલસંગ્રહો દ્વારા ગઝલનેય ગુજરાતણનું રૂપ દેનારા કવિ કતુબ આઝાદે વાર્તાઓ ઉપરાંત સમાજજાગૃતિનો અહાલેક જગાવતા લેખો પણ લખ્યા છે. એમના “તમન્ના' સામયિકને આજે પ૩મું વર્ષ ચાલી રહ્યું છે, પરંતુ “તમન્ના'ને જીવતું રાખવા એમણે બેથી ત્રણ વાર એમનું ઘરે ગીરવે મૂક્યું હતું. એકવાર ઘરેણા વેચી કરજ ચૂકવ્યું હતું. સાહિત્ય અને સેવાના ક્ષેત્રે કુતુબભાઈની સમર્પિત ખાકસારી બેનમૂન છે. 1. પોતાનો જન્મ બગસરામાં પણ પિતાજીનો તે જમાનામાં મુંબઈમાં આયાત-નિકાસનો ધંધો હોઈ, કુતુબભાઈએ બાળપણથી કિશોરાવસ્થાના ૧૫ વર્ષ મુંબઈમાં ગાળ્યા હતા. કોલંબો (શ્રીલંકા)ની એક પેઢી કાચી પડતાં એમના પિતાજી દેવાદાર બની ગયા અને ૧૯૩૮માં મૃત્યુ પામ્યા. આ સમયે કુતુબભાઈ પોતે અને એમનાથી નાની છ બહેનો રોકકળ કરતાં બગસરા-માદરે વતન પરત આવી ગયા. ૧૫ વર્ષની વયે તો કતુબભાઈ જાણે ૩૫ વર્ષના સદગૃહસ્થ અને જવાબદાર ઇન્સાન બની ગયા. ધીરે ધીરે એમણે એમની જાતને બેઠી કરી, બધી બહેનોને સાસરે વળાવી ત્યાં સુધીમાં તો એમના પર શું શું નહીં વીત્યું હોય? સન ૨૦૦૦માં સંતશ્રી મોરારીબાપુના હસ્તે, જાદુગર શ્રી કે. લાલની પ્રેરક ઉપસ્થિતિમાં બગસરામાં જ્યારે કુતુબભાઈનું જાહેર સમ્માન થયું ત્યારે, પોતાની આખી જિંદગીનો સાર થોડાક શબ્દોમાં તેમણે આમ કેફિયતરૂપે કહ્યો હતો : “એક યતમી બાળ તરીકે હું ઊછર્યો હતો. તેનાથી સમાજની અને સાહિત્યની શી સેવા થઈ શકે? પણ જે ધરતીએ મને ધાન્ય આપ્યું છે, જે સમાજે મારું ઘડતર કર્યું છે, જે સાહિત્યે મારા જીવનમાં અમીનું સિંચન કર્યું છે, જે લોકોએ મારા પર અનહદ પ્રેમ વરસાવ્યો છે-વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે સમાજની સમસ્યા હળવી કરવી જોઈએ-હલ થવી જોઈએ તેવી સાદી સમજથી હું કામ કરતો રહ્યો છું. એમાં પાડ માનવા જેવું-કદર કરવા જેવું કોઈ કૃત્ય મેં કરેલ નથી.” મુંબઈમાં મ્યુનિસિપાલિટીની એક શાળામાં ચાર ધોરણ ગુજરાતી અને છ ધોરણ ઉર્દૂ ભણી શકેલા કુતુબભાઈની ગઝલોમાં ઉર્દૂની છાંટ પ્રભાવક રીતે જોવા મળે છે. રજવાડાના સમયમાં ખુદ દરબારશ્રી ભાયાવાળા સાહેબ એમને ઉર્દૂમાં પત્રવ્યવહાર કરવા પોતાને ત્યાં નોતરતા હતા. પોતાની ભરયુવાનીમાં બગસરામાં ૭00 જેટલા ખેડૂતો, ભરવાડો, પછાતોની સભ્ય સંખ્યાવાળી શ્રમજીવી સંસ્થા સ્થાપીને, સાહિત્યસાધનાની સાથે સાથે પ્રૌઢશાળાના વર્ગો ચલાવી સમાજસેવાનું પણ કાર્ય તેમણે કર્યું હતું. આઝાદી પહેલાં અને આજના ‘તમન્ના' સામયિકની પહેલાં ‘અદાલત' અને ૧-૧-૧૯૪૭ના દિવસે ‘પુકાર' નામનું પત્ર પણ કુતુબભાઈએ શરૂ કર્યું હતું. તે પછી “અવસર' પત્ર પણ શરૂ કરેલું. આ ગાળા દરમિયાન મુંબઈથી ‘હલચલ' નામક ફિલ્મી પત્રિકાનું સંપાદન અને લેખન પણ કુતુબભાઈએ કર્યું. આ બધાં પત્રો બંધ થઈ ગયા પણ ‘તમન્ના” આજ સુધી જીવતું કેમ રહી શક્યું? તેનું તો ખુદ કુતુબભાઈને પણ આશ્ચર્ય છે! તેઓ કહે છે : “એકલા હાથે તંત્રી અને પ્યુન (પટાવાળા)ની જવાબદારી વહન કરીને આ પ્રવૃત્તિ ટકાવી શક્યો છું. દર મહિને અસંખ્ય સરનામાંઓ કરીને, સેંકડો પત્રો લખીને, સાહિત્ય તૈયાર કરીને ‘તમન્ના'રૂપી દીવડો જલતો રાખવાનું કેમ શક્ય બન્યું હશે! આવો છે આ પત્રકારિત્વનો વ્યવસાય!” કુતુબ “આઝાદ'ના સમાજસેવક અને પત્રકાર-તંત્રી તરીકેના પરિચયની સાથે તેમની કવિપ્રતિભાને ન ઓળખીએ તો તેમનો પરિચય બેશક અધૂરો લેખાય. સમાજજીવન, સાંપ્રત ઘટનાઓ, ધર્મના આડંબરો, દહેજ, કોમી એકતા, રાષ્ટ્રપ્રેમ, અલૌકિક પ્રેમ, જીવન-મરણ વગેરે અનેક વિષયોને આવરીને એમણે કવન રચ્યાં છે. ઉદારચરિત પુણ્યાત્મા સ્વ. શ્રી ખુમચંદ રતનચંદ શાહ વર્તમાન જૈન શાસનના ઇતિહાસમાં મંડાર–રાજસ્થાનનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. જેમણે ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કોઈ બાબત ગણતરીમાં લીધી નથી એવા પરમ આદરણીય જૈન શ્રેષ્ઠી શ્રી ખુમચંદભાઈ જૈનસમાજનું ગૌરવશાળી રન છે. મંડાર એમનું વતન પણ નાની કુમળી વયે મુંબઈમાં એમનું આગમન થયું. પિતાશ્રીએ શરૂ કરેલી ત્રાંબાપિત્તળની દુકાન પોતાની હૈયાસૂઝ અને દીર્ઘદૃષ્ટિથી વિકસાવી, Jain Education Intemational in Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy