SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ Fes ઓળી શ્રી પ્રાતિહાર્ય તપ છે કર્મસૂદન તપ ઃ ૧૨ ભગવાન સુધીનાં એકાસણાં. જ્ઞાનપંચમી તપાદિ અનેક નાનાં-મોટાં તપ તથા ધર્મકાર્યો. શ્રી યુ. એન. મહેતા સામાન્ય રીતે વ્યક્તિનું જીવન આસપાસના અનુકૂળ સંજોગોને પરિણામે ઘડાતું હોય છે. કેટલીક વ્યક્તિ કપરા સંજોગોનો સામનો કરીને પણ આગળ વધે છે. આવી વ્યક્તિઓમાંના એક તે સાહસિક ઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતા છે. શ્રી યુ. એન. મહેતાને માત્ર ‘સાહસિક ઉદ્યોગવીર' તરીકે જ ઓળખાવી શકાય નહીં, બલ્કે તેઓ સાચા અર્થમાં ‘સાહસિક જીવનવીર’ છે. આનું કારણ એ કે એમણે જીવનમાં એક નહીં પણ અનેક અવરોધોનો સામનો કરીને અસાધારણ સિદ્ધિ મેળવી છે. શ્રી યુ. એન. મહેતા-ઉત્તમલાલ એન. મહેતાનો જન્મ ૧૯૨૪ની ૧૪મી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામમાં થયો. માતા કંકુબહેન અને પિતા નાથાભાઈ પાસેથી ધર્મના સંસ્કાર મળ્યા. પાલનપુરમાં હાઇસ્કૂલનો અભ્યાસ કર્યો. વધુ અભ્યાસ અર્થે મુંબઈ ગયા. મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને વિલ્સન કોલેજમાં ભણ્યા. બી. એસ. સી. થયા પછી ૧૯૪૫થી ૧૯૫૮ સુધી અમદાવાદમાં વિખ્યાત દવા બનાવનારી કંપની મેસર્સ સેન્ડોઝ લિમિટેડ' ની શાખામાં કામ કર્યું. ૧૯૫૯માં ‘ટ્રિનિટી લેબોરેટરીઝ' નામે પોતાની સ્વતંત્ર દવા કંપની શરૂ કરી. ૧૯૭૬માં એમણે ‘ટોરન્ટ લેબોરેટરીઝ'ની સ્થાપના કરી. ‘ટોરેન્ટ' એટલે ધોધ', હકીકતમાં શ્રી યુ. એન. મહેતાની રાહબરી હેઠળ જુદા જુદા પ્રકારની દવાઓ અને તેના અવિરત વિકાસનો એક ધોધ શરૂ થયો. માનસિક રોગોની દુનિયામાં ‘ટોરન્ટ’નું નામ સર્વત્ર છવાઈ ગયું. એમણે રોગોની ઉપચાર પદ્ધતિમાં નવી ક્રાંતિ કરી અને આ વિશિષ્ટ ક્ષેત્રમાં યાદગાર સિદ્ધિ મેળવી. આજે તો ‘ટોરન્ટ લેબોરેટરીઝ' એક વિશાળ વડલા જેવી બની ગઈ છે. આ વ્યવસાયમાં શ્રી યુ. એન. મહેતાના બાહોશ અને વિનયશીલ પુત્રો શ્રી સુધીર મહેતા અને શ્રી સમીર મહેતાના આવતા, કંપનીના વિદેશવ્યાપારની ઘણી નવી ક્ષિતિજો Jain Education International પથપ્રદર્શક ઉઘડી ગઈ. આજે જગતના મોટા ભાગના દેશોમાં ટોરેન્ટ લેબોરેટરીઝની દવાઓ નિકાસ થાય છે. અનેકવિધ ઉદ્યોગોમાં, અપૂર્વ સિદ્ધિ મેળવનાર, ‘ટોરન્ટ’ ગ્રુપના ચેરમેન તરીકે શ્રી યુ. એન. મહેતા આજે વિશ્વભરમાં નામના ધરાવે છે. એમણે માત્ર સંપત્તિ એકત્રિત કરી નથી, બલ્કે એ સંપત્તિનો પ્રવાહ જનકલ્યાણકના માર્ગે વહેવડાવ્યો છે. માનવસેવાનું કોઈપણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં એમની દાનગંગાનો પ્રવાહ પહોંચ્યો ન હોય. છાપીમાં આવેલી સ્કૂલમાં એમણે ઉદાર સખાવત કરી છે. તેઓની આગેવાની હેઠળ શાંતિચંદ્ર સેવાસમાજે અનેક લોકકલ્યાણનાં કાર્યો કર્યાં. શ્રી ભારત જૈન મહામંડળના અધ્યક્ષ તરીકે એમણે સમાજની એકતા માટે ભગીરથ પ્રયત્ન કર્યો. તેઓશ્રી આજે અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શ્રી યુ. એન. મહેતા શ્રી મહાવીર શ્રુતિ મંડળ અને શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના ચેરમેનપદે છે. તેમના મોટી રકમના દાનથી સંસ્થાનું મકાન થયું છે. અમદાવાદમાં મહાવીર જૈન વિદ્યાલયનું સર્વ પ્રથમ કન્યા છાત્રાલય સ્થપાયું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક કરોડથી વધારે રૂપિયાનું દાન આપ્યું. જ્યારે નવસારીમાં મકાનોની તંગીનો અનુભવ કરતાં સાધર્મિકો માટે એમણે રાહતના દરે ૪૦ આવાસો બનાવ્યાં. આમ તેઓશ્રીની દાન-ગંગા રૂપિયા છ કરોડથી વધુ છે. જ્યારે આપણે શ્રી યુ. એન. મહેતાનો જ્વલંત ઇતિહાસ સાંભળીએ છીએ ત્યારે દાનવીર શેઠ જગડુશા, શ્રી વસ્તુપાળતેજપાળ તથા મહારાજા કુમારપાળની યાદ આવે છે કે જેઓએ દરેક ક્ષેત્રમાં દાનની ગંગા વહેવડાવી હતી. એમના આ શુભકાર્યોમાં એમનાં પત્ની શ્રીમતી શારદાબેન મહેતાનો હંમેશાં સબળ સાથ મળતો રહ્યો છે. આજે રાષ્ટ્ર, સમાજ, કેળવણી અને ધર્મક્ષેત્ર શ્રી યુ. એન. મહેતા પરિવાર પાસે ઘણી અપેક્ષા રાખે છે. કહેવાય છે કે તેમના જીવન દરમ્યાન આશરે દશ કરોડ જેવી માતબર રકમ તેમણે દાનમાં આપી હતી. જૈન સમાજનું તેઓ મૂલ્યવાન રત્ન હતા. એક અજોડ પ્રેરણાદાયી વ્યક્તિ કુમારપાળભાઈ વિ. શાહ એ શાસનપ્રભાવક, દયા-કરુણા અને પવિત્રતાના અવતાર, દીર્ઘદૃષ્ટા આયોજક, આપત્તિમાં આંસું લૂછનાર, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy