SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ દoo. પ્રતિભાઓ પ્રેમલતાબહેન પોતે સંપૂર્ણપણે સ્વાવલંબી રહીને પોતાનાં પ્રાપ્ત કર્તવ્યો નિભાવે છે, તો ગમતી પ્રવૃત્તિ દ્વારા જીવનને સભરતાથી માણી જાણે છે, તેમને ગમતી પ્રવૃત્તિઓની વિગત તેમના જ શબ્દોમાં જોઈએ : “અમેરિકન સમાજના સીનિયર સેન્ટરમાં જઈ હળવું મળવું, અરસપરસ શીખવું, શીખવાડવુંમૈત્રીમેળો માણવો (Senior Friendship Day) બાગકામ કરવું, પુસ્તકાલયમાં જવું, ભરતગૂંથણ, લેખનમંડળ છજુકા ચૌબારા'માં પોતાનું લખાણ વાંચવું, સારાં નાટકો જોવાં, સંગીત, નૃત્ય અને સાહિત્યના કાર્યક્રમોમાં જવું.” જાણે કે દિવસના ૧૨ કલાકો ઓછા પડે તેટલા તેમના રસના વિષયો છે. અમેરિકનોની અભ્યાસનિષ્ઠા, નિખાલસતા તેમને ગમે છે, પરંતુ કાગળો વાપરવાનો દુર્વ્યય તેમને ખૂંચે છે. તત્ત્વજ્ઞાનનો અભ્યાસ અને આધ્યાત્મિક વલણને કારણે જીવન વિશે સૂક્ષ્મ રીતે વિચારનારાં છે. પ્રેમલતાબહેન યથાર્થને પણ સંપૂર્ણપણે સ્વીકારીને ચાલે છે. એકાગ્ર ચિત્તે વાચનની જેમ એકીટશે કલાકૃતિઓ નિહાળવાનું તેમને ગમે છે. મજમુદાર દંપતી બને એટલાં સ્વાવલંબી રહીને પોતાનાં મનગમતાં કાર્યો કરે છે, એટલું જ નહિ પણ જરૂરિયાત પ્રમાણે અન્યને મદદરૂપ થવા સદાયે તત્પર રહે છે. પરમાર્થ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ચાહક આયોજક દંપતી શ્રી પ્રફુલ્લભાઈ કોઠારી, શ્રીમતી ઇલાબહેન કોઠારી ચંપાબહેન અને શિવલાલભાઈ કોઠારીના પુત્ર પ્રફુલ્લભાઈ મૂળ જામનગરના વતની. બી.એ., એલ.એલ.બી. થયા પછી મુંબઈમાં “અમર ડાઇ કેમ લિમિટેડ'માં પર્સોનેલ એડમિનિસ્ટ્રેટર તરીકે ૨૫ વર્ષ કામ કર્યું. ઇલાબહેન મૂળ જૂનાગઢના વતની. માતા શાન્તાબહેન, પિતા જયેન્દ્રલાલ દોશી. ઇલાબહેને મુંબઈમાં સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર વિષયો સાથે બી.એ. થયા પછી લાઇબ્રેરી સાયન્સમાં ગ્રેજ્યુએટ થયાં. તેમનાં નાનાં બહેન લગ્ન કરીને અમેરિકા ગયેલાં. તેમના આગ્રહથી ૧૯૮૦માં તેઓ અમેરિકા ગયાં. તેમના એક ભાઈ પણ સાનહોઝમાં સ્થાયી થયાં છે. ઇલાબહેને શિકાગોમાંથી લાઇબ્રેરી સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. ૧૯૮૬માં પ્રફુલ્લભાઈ સાથે તેમનાં લગ્ન થયાં. એ પછી બે વર્ષ ભારતમાં રહ્યાં. ૧૯૮૮માં બને જણાં વ્યવસાય અર્થે અમેરિકા ગયાં. ઇલાબહેન કહે છે તેમ “અહીંની ધરતી પોકારતી હશે એટલે પછી અહીં જ રહી ગયાં.” પ્રફુલ્લભાઈને ભારતમાં તો ઊંચા હોદ્દાવાળી નોકરીપર્સોનેલ મેનેજર, ગાડી, ડ્રાઇવર અને અન્ય સુવિધાઓ. થોડો સમય બહુ અડવું લાગ્યું. શરૂઆતના દિવસોમાં સ્થિર થવા માટે સંઘર્ષ કરવો પડ્યો. પ્રફુલ્લભાઈએ આઠેક મહિના કયૂટરનું કામ કર્યું. પછી ઇસ્યુરન્સ બ્રોકર તરીકે સ્વતંત્ર કામ કરતા થયા. જો કે તેમણે વ્યવસાય તો જરૂરિયાત પૂરતો જ કર્યો. પ્રફુલ્લભાઈ પ્રકૃતિએ અંતર્મુખી, આધ્યાત્મિક વલણ ધરાવતા વ્યક્તિ. સત્સંગ, વાચન, પર્યટન, સંગીત ગમેઇલાબહેનને પણ સાહિત્યવાચન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગમે. અમેરિકામાં વસતાં ગુજરાતીઓને વતન સાથેનો તંતુ જળવાઈ રહે, વતનથી દૂર થઈ ગયાનો ખાલીપો કંઈક ઓછો થાય તે માટેના સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્નેહમિલનો યોજવામાં પ્રફુલ્લભાઈ અને ઇલાબહેન સૌથી આગળ રહેનારાં. તહેવારોની ઉજવણી હોંશથી કરનારાં. હુતાશણી, કૃષ્ણજન્મોત્સવ, રામનવમી, દિવાળી, રક્ષાબંધન વગેરે તહેવારો ગુજરાતી કુટુંબો સાથે મળીને ઊજવે. કલા અને સાહિત્યના કાર્યક્રમોનાં જુદાં જુદાં ગ્રુપ છે. કવિઓ અને સાહિત્યકારોના વાર્તાલાપો વારાફરતી સૌને ઘેર ગોઠવવામાં આવે અને સૌ યજમાન કુટુંબને ઘેર એકઠાં થાય. બસંત બહાર' નામે કલાનું ગ્રુપ છે, જેની કમિટીમાં પ્રફુલ્લભાઈ હતા. તેઓ સંગીતના કાર્યક્રમો ગોઠવે છે. પંડિત રવિશંકર, હરિપ્રસાદ ચૌરસિયા, પંડિત જસરાજ વગેરે સંગીતકારોને તેમણે નિમંત્ર્યા હતા. સ્થાનિક કલાકારોના કાર્યક્રમો પણ ગોઠવે છે. વિદ્યાર્થીઓ-યુવાનોમાં કલાની રૂચિ જાગે તે માટે પણ તેઓ પ્રયત્નશીલ રહે છે. કેલિફોર્નિયા સ્ટેટના “સાન્ટા કુલારા’ કાઉન્ટીમાં તેઓ રહે છે. “ઇન્ડો અમેરિકન સર્વિસ સેન્ટર' સ્થપાયા પછી ત્યાં સૌને મળવા પહોંચી જાય છે. ભારત અને ગુજરાતથી અમેરિકા આવનારા મુલાકાતીઓ, સાહિત્યકારો, કલાકારો, વાર્તાકારોને જઈને મળે, સ્નેહીજનો સાથે તેમના વાર્તાલાપો ગોઠવે અને પોતાને ઘેર તેમની ભરપૂર મહેમાનગતિ કરે. સાન્ટા કુલારા જઈને આવેલી વ્યક્તિ જો ઇલાબહેનની મહેમાન ન બની હોય તો તેનો અમેરિકાનો પ્રવાસ અધૂરો ગણાય. ઇલાબહેનની પ્રિય પ્રવૃત્તિ તેમના જ શબ્દોમાં–‘ઘર, વર 36 Jain Education Intemational ducation Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy