SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ પથપ્રદર્શક ૬૦૬ માટે અન્ય મિત્રોની મદદથી તેણે ઇન્ડો-અમેરિકન સર્વિસ સેન્ટર' (Icsc)ની ઈ.સ. ૧૯૮૯માં સ્થાપના કરી. હરિકૃષ્ણભાઈ શરૂઆતથી જ તેના સભ્ય છે. અહીં તેઓ સીનિયર સિટીઝન્સ અને યુવાનોને ઇમિગ્રેશન નીચે તેમના હક્ક મેળવી આપવા અંગે માર્ગદર્શન આપે છે, તેમને કાયદાની દષ્ટિએ જરૂરી સલાહ-સૂચનો આપે છે અને તેમની ફરજ સમજાવે છે. ૧૯૯૬માં શ્રી હરિકૃષ્ણભાઈ, શ્રીમતી પ્રેમલતાબહેન, મૂળ મધ્યપ્રદેશના શ્રી આર્યભૂષણજી વગેરે સીનિયર સિટીઝન્સે સાથે મળીને “ કા ચૌબારા', “ઓટલાની વાતો' નામની સંસ્થા શરૂ કરી, જ્યાં ભારતીય વડીલો (સમગ્ર ભારતનાં) અઠવાડિયામાં બે વાર એકઠાં થાય છે. હરિકૃષ્ણભાઈ ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે, પરંતુ ક્રિયાકાંડમાં માનતા નથી. સવિચાર અને સત્કાર્યને જ મોટો ધર્મ ગણે છે. વાંચન, બ્રિજની રમત ઉપરાંત આંતરરાષ્ટ્રીય નાટકો તથા ફિલ્મો જોવાનો તેમને શોખ છે. અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીના તેઓ સભ્ય છે. ઉંમર અને અન્ય મર્યાદાઓને કારણે સક્રિયપણે રાજકારણમાં ભાગ લેતા નથી, પરંતુ સામાજિક પ્રવૃત્તિઓ કરતા રહે છે. ૧૯૯૯- ૨000માં એમની સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ બદલ સાન્તાક્લારા કાઉન્ટીના માનવસંબંધ કમિશનનો એમને એવોર્ડ મળ્યો છે. અમેરિકાનાં નીતિનિયમો, શિસ્તપાલન તેમને ગમે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે તેમનું અસાધારણ કામ છે તેમ કહે છે. બુદ્ધિશાળી અને ઉદ્યમી અમેરિકન પ્રજા પાસે પ્રાકૃતિક સ્ત્રોતો અને પૈસા હોવાને કારણે તેઓ વિશ્વને સમૃદ્ધ કરવાનું કાર્ય કરી શકે તેમ છે એમ હરિકૃષ્ણભાઈ માને છે. હરિકૃષ્ણભાઈએ સાદી સરળ ભાષામાં સીનિયર સિટીઝન્સ માટે એક પુસ્તક લખ્યું છે “મેપિંગ ધ મેઝ-ગાઇડ ટુ વેલ્ફર ફોર એલ્ડરલી ઇમિગ્રન્ટ્સ-જેમાં સીનિયર સિટીઝન્સને અમેરિકામાં મળતાં સરકારી લાભો, ઇમિગ્રન્ટસુને લગતા કાયદાઓ વગેરે અંગેની ઝીણવટભરી માહિતી આપી છે. આજે ૮૬ વર્ષે પણ ખુશમિજાજ હરિકૃષ્ણભાઈને લોકોને મળતાં રહેવાનું અને યથાશક્ય સહાય કરવાનું ખૂબ ગમે છે. શ્રીમતી પ્રેમલતાબહેન મજમુદાર (દેસાઈ) પિતા પ્રસનકુમાર દેસાઈ, માતા તનુબહેન, વતન ડભોઈ (ગુજરાત). વડોદરામાં મહારાણી ચીમનાબાઈ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે સવર્તણૂંક (Good conduct) માટે ભાવનગરના મહારાણી નંદકુંવરબા તરફથી ૧૯૩૯માં “ગોલ્ડ મેડલ’ મળ્યો હતો. અભ્યાસમાં તેજસ્વી અને ખંતીલા પ્રેમલતાબહેને બરોડા કૉલેજમાંથી (મુંબઈ યુનિવ) બી.એ. (ઓનર્સ), બી.ટી. અને એમ. એની ડિગ્રી મેળવી. રાષ્ટ્રભાષા હિન્દીની સાહિત્યરત્ન’ પરીક્ષા પાસ કરી. હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે ૩૦ વર્ષ અધ્યાપન કાર્ય કર્યું. છેલ્લે સુપરવાઇઝરની જવાબદારી અદા કરી અને નિવૃત્ત થયાં. મધુરભાષી અને પ્રભાવક વ્યક્તિત્વ ધરાવતાં પ્રેમલતાબહેન ભાષા, સાહિત્ય અને કલાની ઊંડી સૂઝસમજ ધરાવે છે. શાળામાં વિદ્યાર્થીપ્રિય અધ્યાપિકા તરીકેની તેમની નામના હતી. તેઓ ઉત્તમ વક્તા છે. ભાષા, સાહિત્ય, યોગ, વસ્તૃત્વ તેમના શોખના વિષયો. સાહિત્યલેખન, વાર્તાલાપ, હસ્તકલા એ તેમની ગમતી પ્રવૃત્તિઓ. | નિવૃત્ત થયાં પછી હરિકૃષ્ણભાઈ અને પ્રેમલતાબહેન બાળકોને મદદરૂપ થવા અમેરિકા ગયાં. નવો દેશ જોવાની હોંશ હતી અને બીજાં બે સંતાનોને અમેરિકા લઈ જવાનો ઉદ્દેશ હતો. તે કાર્ય તો તેમણે સિદ્ધ કર્યું, પરંતુ પછી અમેરિકામાં ‘વૃદ્ધ વડીલો” તરીકે સમય પસાર કરવાને બદલે તેમણે જાણે કે નવી જિંદગી શરૂ કરી. પ્રેમલતાબહેને તુલનાત્મક ધર્મવિચાર' અને સ્પેનિશ ભાષાનો અભ્યાસ કર્યો. અમેરિકામાં વસતા ‘ભારતીય વડીલી' સીનિયર સિટીઝન્સ અને યુવાનોને પણ પ્રેરણારૂપ બને તેવી પ્રવૃત્તિઓ શરૂ કરી. ‘ઇન્ડો અમેરિકન સર્વિસ સેન્ટર”ના પ્રારંભથી જ તેઓ સક્રિય સભ. છે, તો “છલ્લુકા ચૌબારા'ની સ્થાપનામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. અiડળના તેઓ અધ્યક્ષા રહી ચૂક્યાં છે. તેમણે પોતે જણાવ્યું છે તેમ “એનો ઉદ્દેશ ‘ઓટલાની વાતો’ કે ‘ચોરાની વાતો એ છે. પોતાની અભિવ્યક્તિ દ્વારા જીવનનો ખાલીપો' (અમેરિકામાં અનુભવતો) ખાળવો. સુખ લેખનશક્તિ ખીલવવી, જીવનના અનું વો નિવૃત્તિમાં વાગોળી વાગોળીને પચાવવા.” Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy