SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૫ પ્રતિભાઓ સંચાલકો છે. તેઓ “એક્સેલ ક્રોપ કેર લિ૦ને (ECCL) સ્થાનિકથી વૈશ્વિક સ્તરે-Local to Global કાર્યરત કરીને એક ડગલું આગળ લઈ ગયા છે. આ દંપતીએ અમેરિકામાં પોતપોતાનું કાર્યક્ષેત્ર રહ્યું છે, આજે વૃદ્ધો અને યુવાનોને પણ તેઓ માર્ગદર્શક બન્યાં છે. હરિકૃષ્ણભાઈ મજમુદાર મૂળ વતન મહુધા. (નડિયાદ) પિતા જયકરલાલ જે. મજમુદાર, માતા નવીનબા. ૨૫ ઓગષ્ટ ૧૯૧૯માં જન્મ. ભારતમાં બી.એ., એલ.એલ.બી., બી.કોમ. સુધી અભ્યાસ કર્યો. ગણિતશાસ્ત્ર એમનો પ્રિય વિષય. ગમે તેવા મુશ્કેલ કોયડાઓ સહજ રીતે ઉકેલી આપે. તેમના જીવનનો એક સુખદ અકસ્માત પણ ગણિત નિમિત્તે થયો. કોલેજમાં ભણતાં એક બહેન તેમની પાસે ગણિતનો દાખલો શીખવા ગયાં. એ હતાં પ્રેમલતા દેસાઈ. પરિચય પ્રેમમાં પરિણમ્યો અને પછી લગ્નની ગાંઠે બંધાયાં. જિંદગીનું ગણિત સાથે ગણતાં થયાં. ૧૯૪૩થી ૧૯૬૧ એકાઉન્ટ જનરલની ઓફિસમાં ઓડિટર તરીકે અને ૧૯૬૧થી ૧૯૭૭ સુધી પર્સોનેલ ઓફિસર તરીકે ‘ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર', બોમ્બેમાં જવાબદારીઓ અદા કરી અને ૧૯૭૭માં નિવૃત્ત થયા. ૫૮ વર્ષે નિવૃત્ત થયા પછી અમેરિકા ગયા. અહીં તેમના જીવનનો બીજો તબક્કો શરૂ થયો. કેટલીક અવિસ્મરણીય વ્યક્તિઓ) ૧૯૯૯-૨૦૦૦ની સાલમાં સાન હોઝે કેલિફોર્નિયા (યુ.એસ.એ.) જવાનું થયું ત્યાં વસતા ગુજરાતી સમૂહોમાં અને સંસ્થાઓમાં વાર્તાલાપ નિમિત્તે ગુજરાતી કુટુંબોને મળવાનું બન્યું. કેટલીક વ્યક્તિઓ (Parents) તેમનાં સંતાનો વ્યવસાય અર્થે અમેરિકા ગયાં એટલે નિવૃત્ત થયા પછી તેમની સાથે અમેરિકા જઈને વસી. તો કેટલીક એવી વ્યક્તિઓ જે પોતે ધંધાર્થે અમેરિકામાં જઈને સ્થિર થયા, ટેકનોલોજી ક્ષેત્રે તેજસ્વી બુદ્ધિપ્રતિભા ધરાવતા ગુજરાતી યુવાનો ઉચ્ચ હોદ્દાઓ પર છે, તો વ્યવહારદક્ષ અને મહેનતું ગુજરાતીઓ અન્ય વ્યવસાયમાં પણ પોતાની વિશિષ્ટ છાપ ઊભી કરે છે. | ગુજરાતીઓએ અહીં પોતાનું અલગ વ્યક્તિત્વ ઊભું કર્યું છે. વાતાવરણ રચ્યું છે. તો ભારતના જુદા જુદા પ્રાંતના લોકો સાથે ભારતીય તરીકે અને અમેરિકાના પ્રજાજનો સાથે પણ ગ્નેહભર્યો સંબંધ રચી જાણ્યો છે. નિવૃત્તિમાં પ્રવૃત્તિથી હર્યુભર્યું દંપતી શ્રી હરિકૃષ્ણભાઈ મજમુદાર શ્રીમતી પ્રેમલતાબહેન મજમુદાર શ્રી હરિકૃષ્ણભાઈ અને શ્રીમતી પ્રેમલતાબહેન પુત્રીનાં સંતાનોની સંભાળ લેવા માટે વ્યવસાયમાંથી નિવૃત્ત થયાં પછી અમેરિકા ગયાં. પુત્રી માત્રા મશરૂવાળા અને જમાઈ રાજેશ મશરૂવાળાએ તેમને અમેરિકા જઈને રહી શકે એ માટેના પ્રયાસો કર્યા. એ અંગેની બંધી કાર્યવાહી કરી. કેલિફોર્નિયાનું હવામાન અમુક અંશે આપણા દેશને મળતું હોવાથી તેમને માફક આવ્યું. પ્રસિદ્ધ અને સમૃદ્ધ સિલિકોન વેલીના સાન્ટા કુલારા કાઉન્ટીમાં પાલો આલ્ટોમાં તેઓ સ્થાયી થયાં. નાના-નાની તરીકે પુત્રીના પરિવારમાં હૂંફ-સ્નેહ મળે છે. તેમના અમેરિકા-નિવાસને કારણે બીજાં સંતાનોને માટે પણ ત્યાં જવાનું શક્ય બન્યું. બીજાં દીકરી અને પુત્ર પણ અમેરિકામાં છે. તેમના તરફથી પણ સન્માન અને સ્નેહ મળે છે. તેમની બે દૌહિત્રીઓ છે. ચીવટ અને કાળજીથી બાળકોને ઉપયોગી થવાનો તેઓ પ્રયાસ કરે છે. અધ્યયન, અધ્યાપન અને બ્રિજની રમત તેમના શોખના વિષયો. ગણિતશાસ્ત્રના તો તેઓ નિષ્ણાત. અમેરિકામાં ગયા ત્યારે શરૂઆતમાં પ્રાદેશિક અને માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને ફી લઈને ખાનગી ટ્યૂશન આપતા હતા. અમેરિકાના નાગરિક થયા પછી તેમને સોશ્યલ સિક્યોરિટીની રકમ મળતી થઈ. એટલે ફી લઈને ટ્યૂશન કરવાનું બંધ કર્યું. જરૂર હોય તેને મફતમાં ભણાવવા તૈયાર. સૌથી મોટી પ્રવૃત્તિ તો કાયદાના અભ્યાસી હરિકૃષ્ણભાઈએ બિનરહેવાસી ભારતીયોને-સીનિયર સિટીઝન્સનેમાર્ગદર્શન આપવાનું શરૂ કર્યું તે જ કહી શકાય. ઇમિગ્રેશનના સંદર્ભમાં વિઝા, પાસપોર્ટ, મિલ્કત, નોકરી, સરકારી નાણાંકીય સહાય, તબીબી સહાય અંગે તેઓ માર્ગદર્શન આપે છે. અભ્યાસરસિયા હરિકૃષ્ણભાઈએ અમેરિકામાં શેફસપિયરનાં નાટકો અને સોનેટ્સનો અભ્યાસ કરી સ્નાતકની ડિગ્રી મેળવી. તદુપરાંત હાયર મેપ્સ, હ્યુમેનિટીઝ, ફ્રેન્ચ ભાષા અને કમ્યુટર (બેઝિક)નો અભ્યાસ કર્યો. તેમનાં પુત્રી માત્રા મશરૂવાળાએ "aging" વિશે અભ્યાસ કર્યો હતો. ‘ભારતીય વડીલો' (ભારતીય અમેરિકનો) Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy