SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ રસાયણ ઉદ્યોગક્ષેત્રે ભારતને સ્વનિર્ભર બનાવવાનું તેમનું લક્ષ્ય હતું. વર્ષો સુધી એક્સેલના કેટલાયે પ્લાન્ટ ઉપર છાપરાં નહોતાં. તેઓ કહેતા કે “તમારે આકાશ સુધી પહોંચવું છે તો પછી પ્લાન્ટ ઉપર છાપરાં શા માટે?'' પોતાના કાર્યક્ષેત્રમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાનું તેમને ગમતું. એટલું જ નહિ લાખો રૂપિયાનાં કેમિકલ્સ બનાવવા જેટલો જ ૨સ તેમને હેરઓઇલ અને પેઇન બામ બનાવવામાં હતો. મહાન સ્વપ્નસેવી ચાંપરાજભાઈના પગ ધરતી પર ખોડાયેલા હતા. તેમની નજર હંમેશાં ગરીબ કર્મચારીઓ પર રહેતી હતી. સમગ્ર ‘એક્સેલ' પરિવાર સ્નેહાદરથી તેમને પપ્પા’ અને શ્રીમતી સ્નેહલતાબહેનને ‘મમ્મી' કહીને સંબોધતો હતો. આ સંબોધનમાં એક્સેલ પિરવાર પ્રત્યેનો તેમનો વાત્સલ્યભાવ જોવા મળે છે. પારદર્શક દૃષ્ટિ અને વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવનારા ચાંપરાજભાઈ સંશોધન અને ઉત્પાદનક્ષેત્રે બીજાને માર્ગદર્શન આપતા અને પ્રોત્સાહિત કરતા. સંપૂર્ણપણે પ્રામાણિક અને ધ્યેયનિષ્ઠ ચાંપરાજભાઈ દૃઢપણે માનતા કે વ્યવસાય માત્ર નફાનુકશાનને આધારે જ ચાલતો નથી, તેના પાયામાં શુભભાવના હોવી જરૂરી છે. ભારતમાં મળતી સામગ્રી દ્વારા ભારતમાં કેમિકલ્સ ઇનું ઉત્પાદન કરવા ઉપર તેઓ ભાર મૂકતા. તેઓ કહેતા કે "Buy Indian, make Indian." ૧૯૫૭થી એક્સેલે એગ્રોકેમિકલ્સનું ઉત્પાદન શરૂ કર્યું. ભારતના કૃષિ ઉત્પાદનમાં અને ખેડૂતોના વિકાસમાં ઉપયોગી થવાનું તેમનું લક્ષ્ય હતું. એક્સેલના કેટલાક મિત્રોએ તેની ટીકા પણ કરેલી, પરંતુ ચાંપરાજભાઈ આશાવાદી વ્યક્તિ હતા. ભારતના ખેડૂતોમાં તેમને વિશ્વાસ હતો. વળી કૃષિ ઉત્પાદનમાં ભારત સ્વનિર્ભર બને એમ તેઓ ઇચ્છતા હતા. એગ્રો કેમિકલ્સ દ્વારા ખેડૂતોને પાકસંરક્ષણની તાલીમ આપવા માગતા હતા. ૧૯૬૫માં, ઇન્ડિયન કેમિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન'ની ૨૪મી વાર્ષિક સામાન્યસભામાં તેમણે અભ્યાસલેખ રજૂ કરેલો. એ જ વર્ષે ઇન્ડિયન કેમિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન' દ્વારા એક્સેલને તેની ઉત્તમ કામગીરી બદલ ‘સર પી. સી. રોય એવોર્ડ' મળ્યો. આ પ્રથમ એવોર્ડ મળ્યા પછી તો ક્રમશઃ એવોર્ડ્સ પ્રાપ્ત થતા ગયા. સી.સી. શ્રોફે એવોર્ડનો આભારસહ સ્વીકાર કરતાં ‘એક્સેલ'ના કાર્યનો સંક્ષેપમાં પરિચય આપ્યો હતો. Jain Education International ५५७ મૃત્યુને પણ તેઓ શુભદૃષ્ટિથી જોતા હતા. તેઓ કહેતા કે ‘જ્યારે પોતાનું ગંતવ્ય સ્થળ આવી જાય છે ત્યારે મુસાફર ટ્રેઇનમાંથી નીચે ઊતરી જાય છે. એવું જ આ જિંદગીનું છે. ત્રીજી જાન્યુઆરી ૧૯૬૮ના દિવસે તેઓએ આંબોલી (મુંબઈ)ની તેમની લેબોરેટરીમાં કામ કરતાં કરતાં જ છેલ્લા શ્વાસ લીધા. રસાયણક્ષેત્રે નવી શોધો કરનાર અને ઉદ્યોગક્ષેત્રે સર્વોત્કૃષ્ટ કામગીરી કરનાર ચાંપરાજભાઈ-‘પપ્પા’ દીર્ઘદૃષ્ટા અને મૂલ્યનિષ્ઠ વ્યક્તિ હતા. આજે પણ એક્સેલ પિરવારના હૃદયમાં તેઓ વસેલા છે. રાષ્ટ્રભાવના, આત્મવિશ્વાસ અને સમાજસેવાની તેમણે જે પરંપરા શરૂ કરેલી તે આજે પણ એક્સેલમાં જોવા મળે છે. એક્સેલ તેના ગ્રાહકોને હંમેશાં કહે છે. “તમે એ વસ્તુનું નામ આપો, અમે તે બનાવી આપીશું.” આદનિષ્ઠ અને વ્યવહારદક્ષ ગોવિન્દજીભાઈ શ્રોફ ૨૮ ફેબ્રુઆરી ૧૯૧૧માં ગોવિન્દજીભાઈનો જન્મ. ચાંપરાજભાઈથી બે વર્ષ નાના. ગોવિન્દજીભાઈ કોમર્સ કૉલેજમાં અભ્યાસ કરતા હતા અને એ સમયગાળામાં (૧૯૩૦) ગાંધીજીની રાહબરી નીચે ભારતમાં અસહકારનાં આંદોલનો શરૂ થયાં, તેના પ્રભાવ નીચે ગોવિન્દજીભાઈએ કૉલેજનો અભ્યાસ છોડ્યો. ડૉ. સુરેશ દલાલ સાથેની મુલાકાતમાં તેમણે જણાવેલું કે ૧૯૩૦થી ૧૯૫૦નો સમય ભારતનો સુવર્ણકાળ હતો. તેમના બધા ભાઈઓ ગાંધીજીના પ્રભાવ નીચે આવેલા. નાના ભાઈ, બહેન અને પત્ની તો ૧૯૪૨ની ‘કરેંગે યા મરેંગે'ની લડતમાં ભાગ લઈને જેલમાં પણ ગયેલાં. વેપારની દૃષ્ટિએ આ સમય આર્થિક મંદીનો હતો. ધંધાપાણી નબળાં હતાં. તેમણે કામની શોધ શરૂ કરી. શ્રી ભાઈદાસ મંગળદાસની પેઢી સાથે શેરબજારમાં જોડાયા. શ્રી ભાઈદાસ મંગળદાસ સિદ્ધાંતનિષ્ઠ અને પ્રામાણિક વ્યક્તિ હતા, તો ગોવિન્દજીભાઈ પણ એવા જ ઉચ્ચ આદર્શો ધરાવતા કુટુંબમાંથી આવતા હતા. તેમણે શેરબજારમાં ૧૦ વર્ષ સુધી સફળતાપૂર્વક કામ કર્યું. ૧૯૪૧માં ચાંપરાજભાઈએ સ્વતંત્ર ફેક્ટરી ‘એક્સેલ’ની સ્થાપના કરી. એ પછી તેમને ગોવિન્દજીભાઈની મદદની જરૂર પડી. શ્રોફ પરિવાર સંયુક્ત પરિવાર હતો. ફેક્ટરીની સ્થાપનામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy