SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ પથપ્રદર્શક તેમનાં મૌલિક સર્જનોમાં ટૂંકી વાર્તાઓ, ચરિત્રાત્મક લેખો અને પ્રવાસવર્ણનો મુખ્ય છે. ગમી ગયેલી કૃતિઓનો અનુવાદ કરવો તેમની પ્રિય પ્રવૃત્તિ રહી છે. અંગ્રેજી અને હિન્દીમાંથી વાર્તાઓ અને શિક્ષણવિષયક લેખોના તેમણે અનુવાદો કર્યા છે. આકાશવાણી રાજકોટ પરથી તેમનાં પુસ્તકપરિચય, સમીક્ષાઓ, પ્રસંગકથાઓ, હળવી શૈલીના વાર્તાલાપ, સાહિત્ય અને કલાવિષયક વાર્તાલાપ પ્રસારિત થતાં રહ્યાં છે. ૧૯૫૫માં હેલસિંકી (ફિલૅન્ડ)માં યોજાયેલ શાંતિ-પરિષદમાં વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધેલો ત્યારે રશિયા અને ઝેકોસ્લોવેકિયાનો પ્રવાસ કર્યો હતો. “રશિયાનું આછેરું દર્શન' એ શીર્ષક નીચે ‘જનસત્તા' દૈનિકના મેગેઝિન વિભાગમાં પ્રવાસસંસ્મરણોની તેમની લેખમાળા પ્રસિદ્ધ થયેલી. ૧૯૬૦-૬૧ બે વર્ષ “ગુજરાત બાલવિકાસ સમિતિ રાજકોટના મુખપત્ર દેવનાં દીધેલાં'ના તંત્રી તરીકે તેમણે કામ કરેલું. ૧૯૯૯-૨૦૦૦માં કેલિફોર્નિયા (યુ.એસ.એ.)ની મુલાકાત લીધી ત્યારે ત્યાંની સ્થાનિક સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકસાહિત્ય અને લોકવાર્તા, હિન્દુ ધર્મસાહિત્યમાં ભક્તિતત્ત્વ, ઇત્યાદિ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં. કેલિફોર્નિયામાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો ગોઠવાયાં હતાં. કૉલેજમાંથી નિવૃત્ત થયાં પછી લેખન અને ચિત્ર તેમની મુખ્ય પ્રવૃત્તિ રહ્યાં છે. હાલમાં રામનારાયણ ના. પાઠક (તેમના પિતાશ્રી)ના અગ્રંથસ્થ સાહિત્યનું તેઓ સંપાદન કરી રહ્યાં છે, તો નિર્બન્ધ રીતે ચિત્રો કરે છે. નિજાનંદ માટે કરેલાં તેમનાં ચિત્રોમાં દશ્યચિત્રો, સ્ટીલલાઇફ, માનવપાત્રો અને અમૂર્ત શૈલીનાં ચિત્રો મુખ્ય છે. ૨૦૦૪માં સરદારસ્મૃતિ, ભાવનગરમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. સાહિત્ય, ચિત્રકલા, સંગીત, કૃષિ વગેરે અનેક ક્ષેત્રે સતત કાર્યરત ઉષાબહેન મિત્રપરિવાર અને અન્ય સામાજિક સંબંધોમાં પણ પ્રવૃત્ત રહીને બધાની ચાહના મેળવી શક્યાં છે. | ‘વિદ્યા વિનયથી શોભે છે' એ પ્રચલિત ઉક્તિનું સાર્થક્ય ઉષાબહેનનાં વ્યક્તિત્વમાં દીપે છે. “આંબો ફળે ત્યારે નમે' ઉષાબહેનની અનેક ઉપલબ્ધિ છતાં તેમની નમ્રતા, ઋજુતા અને લાગણીસભર વ્યવહાર સૌને પ્રભાવિત કરે છે. ધન્યવાદ. – સંપાદક ભૂમિકા : પૂર્વજો ગુજરાતના ઉદ્યોગજગતમાં “એકસેલ'નું વિશેષ નામ છે, સ્થાન છે, યોગદાન છે. ‘એકસેલ'ના સ્થાપક અને સંચાલક અને વિકસાવનાર શ્રોફ પરિવારે વ્યવસાયક્ષેત્રે ઉચ્ચ ભાવના સાથે કામ કરીને સહકર્તૃત્વઅને “સહભાગીપણાનો માર્ગદર્શક આદર્શ પૂરો પાડ્યો છે. કચ્છ-માંડવીના “ભાટિયા' દરિયાખેડુના વારસદારો સાહસિક અને પુરુષાર્થી લોકો, જેમણે દેશ-પરદેશમાં વ્યવસાય અને સમાજોપયોગી કાર્યો દ્વારા સન્માન અને પ્રતિષ્ઠા મેળવ્યા છે. આ ભાટિયા જ્ઞાતિનું એક ગૌરવવંતુ નામ છે “શ્રોફ પરિવાર'. શ્રી કાંતિસેનભાઈ શ્રોફે કહ્યું છે કે તેમના દાદા સ્વ. કે. કે. શ્રોફ બાર વર્ષની ઉંમરે વહાણમાં બેસીને કમાણી અર્થે આફ્રિકા ગયેલા. ત્યાં એક ભાટિયા કુટુંબમાં નોકરી કરતા હતા, પરંતુ બાળકોના અભ્યાસ માટે આફ્રિકા કરતાં મુંબઈમાં મુક્ત વાતાવરણ મળશે તેવું લાગતાં આફ્રિકા છોડીને મુંબઈ આવ્યા. વ્યવસાય શરૂ કર્યો. થોડા સમયમાં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy