SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ 3 જીવનમાં અને ઉધોગક્ષેત્રે સહવિર્ય ના પુરસ્કaઓ – ડો. ઉષા રા. પાઠક શેષ' રૂપે અહીં જુદાંજુદાં ક્ષેત્રના કેટલાક મહાનુભાવોના વ્યક્તિત્વ અને કાર્યનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો છે. જેઓ જીવનમાં કોઈને કોઈ આદર્શ અને ભાવના સાથે સ્વધર્મ અને પ્રાપ્તકર્તવ્યનું નિષ્ઠાપૂર્વક સંપૂર્ણપણે વહન કરનારાં છે (૧) જીવનમાં અને ઉધોગક્ષેત્રે “સહવિર્યમુ”ના પુરસ્કતઓઃ શ્રોફ પરિવારે ઉદ્યોગક્ષેત્રે વિપુલ ઉત્પાદનો દ્વારા ક્રાન્તિ સર્જી, પરંતુ તેમની તેથી યે મોટી વાત છે જીવનમૂલ્યોની જાળવણીની. તેમાં જ શ્રોફ પરિવારની સફળતા અને મહત્તા રહેલી છે. તેઓએ જીવનઆદર્શોને વળગી રહીને, ઉચ્ચોચ્ચ સફળતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે. (૨) કેટલીક અવિસ્મરણીય વ્યકિતઓ : અમેરિકામાં વસનારા મોટેભાગે સ્વકેન્દ્રિત હોય છે પણ અહીં એવા પણ લોકો છે જેઓ વતનને ઝંખે છે. પરદેશમાંથી વતનમાં પરોપકારના કાર્યો કરતાં રહે છે. સહજ પણ ધ્યાનાકર્ષક વાત એ છે કે દેશમાંથી અમેરિકા જઈને વસવા માગતા લોકોને માર્ગદર્શન આપનારા-મદદરૂપ થનારા મહાનુભાવો પણ અહીં છે. એવાં અવિસ્મરણીય વ્યક્તિત્વોની અહીં ઝાંખી કરાવી (૩) પત્તાં અને પંખાના સંગ્રાહક કિશોર ન.ગોરધનદાસઃ કિશોરભાઈ વિષે જિજ્ઞાસુ વ્યક્તિને સંશોધન અને અભ્યાસ માટે હંમેશાં અનોખા વિષયો મળી રહે છે. તેનું પણ એક દૃષ્ટાન્ત છે કિશોરભાઈ. આ લેખમાળા રજૂ કરનાર ડૉ. ઉષાબહેન પાઠકનો પણ પ્રેરક પરિચય મેળવીએ પ્રા. ડૉ. ઉષાબહેન રામનારાયણ પાઠક (એમ.એ. પી.એચ.ડી.) ૧૯૬૩થી ૧૯૮૮ સુધી ભાવનગરની શ્રીમતી ગાંધી મહિલા કૉલેજમાં, ગુજરાતી ભાષા સાહિત્યનાં એક સફળ અને વિદ્યાર્થીપ્રિય પ્રાધ્યાપિકા હતાં, પરંતુ એક વ્યક્તિ તરીકે તેઓ જે નિરંતર વિકાસ કરતાં રહ્યાં છે તે આનંદ અને વિસ્મય જગાવે તેવી સાધના છે. સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રીમ સેનાની માતાપિતા પાસેથી જે કેટલાંક આદર્શો-જીવનમૂલ્યો પામ્યાં એ તેમનું સદ્ભાગ્ય તેઓ જીવનભર સતત જાગ્રતપણે એ મૂલ્યોનું સંવર્ધન કરતાં રહ્યાં છે, તેના આજે તો ઘણા સાક્ષીઓ વિદ્યાવ્યાસંગી સાહિત્યકાર પિતા પાસેથી વિદ્યાનો અને સ્વાધ્યાયાત ના પ્રમ: એ સૂત્ર દ્વારા સ્વાધ્યાયનો વારસો મળ્યો. કૉલેજના અધ્યાપનકાર્યની સાથે તેમની સાહિત્યિક પ્રવૃત્તિ પણ સતત ચાલતી રહી છે, તેઓ ઉત્તમ વક્તા છે તો યથાવકાશ નિજાનંદ અર્થે ચિત્રો દોરતાં રહે છે. | ‘રામભાઈની બાલવાર્તાઓ', “સ્મરણોની પાંખે (રામનારાયણ ના. પાઠક સ્મૃતિગ્રંથ)', “મહામના મનુભાઈ બક્ષી સ્મૃતિગ્રંથ' અને “સમર્પિત જીવનની ઝાંખી’ શ્રી રતુભાઈ અદાણીનાં જીવનસ્મરણોનો ગ્રંથ-આ સંપાદનો તેમણે કર્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy