SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૦ પ્રતિભાઓ તીર્થધામના વિકાસ કાજે સદા કાર્યરત એવા પૂ. શ્રી વિદ્યાનંદજી મહારાજ ગુજરાતના અને દેશના બીજા ભાગોમાંથી પધારતા ભક્તોને આવકારે છે, એકંદરે તેઓને વ્યક્તિગત પિછાને પણ છે. તેમની પાસે તીર્થ વિકાસની અનેક યોજનાઓ છે. અંભેશ્વર આશ્રમના દરિયામાં શિવલિંગ સુધી જવાનો યાત્રાપથ, સ્તંભેશ્વર આશ્રમ, અતિથિગૃહ, યજ્ઞશાળા, અતિથિગૃહનું તેમણે નિર્માણ કર્યું છે. કપિલ ભગવાન, યાજ્ઞવક્ય મુનિ, દધીચિ, સૌભદ્ર મુનિ અહીં થયા. શ્રાવણ માસ, ગ્રહણ, કારતક, અધિક માસ, વૈધૃતિ યોગ, સોમવારી અમાસ, શનિવારી અમાસે સ્તંભેશ્વર તીર્થે સમુદ્ર સ્નાન, પૂજન-દાન, પિતૃપિંડનો વિશેષ મહિમા છે. મહામંડલેશ્વર પ.પૂ. શ્રી અલખગિરિજી મ. ગુજરાત સમૃદ્ધ બને એ લક્ષ્યને સિદ્ધ કરવા મા નર્મદાની દિવ્ય પ્રસન્નતાની પ્રાપ્તિ કાજે અનેક સંત-સાધુ-સિદ્ધોના પાવન સાન્નિધ્યમાં તા. ૧૫-૨-૨૦૧૫ ના રોજ “ભવ્ય નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી : ૧૦૮ નૌકા, ૧૦૮ ભજનમંડળીઓ, વાજિંત્રો સાથે નર્મદા ઘોષ, અલખધામ ઓવારેથી ‘નર્મદેહર' ના દિવ્યઘોષ સાથે નર્મદામાં ૨૫ કિ.મી. ભવ્ય જલયાત્રા અને સાંજે સંધ્યાકાળે સવા લાખ દીવડાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરનાર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ આચાર્યશ્રી અલખગિરિ મહારાજ [શ્રી ગાયત્રી વેદાચાર્ય, કૈલાસરન, સિદ્ધવિભૂષણ, મહામંડલેશ્વર] નો સંક્ષિપ્તમાં પરિચય આપવો મુશ્કેલ છે. પ.પૂ. આચાર્યશ્રી અલખગિરિજી મહારાજની તપોભૂમિ ગિરનાર–કૈલાસ અને હિમાલય છે. ભગવાન શંકરની પરમકૃપાથી ગાયત્રીમાતાનો સાક્ષાત્કાર થયો. તપશ્ચર્યા દરમિયાન કૈલાસમાં બેઠા હતા તે ગાળામાં ભગવતી વેદમાતા વિશ્વગાયત્રીની દિવ્યકથા શ્રવણ કરી જે સંદેશો ગાયત્રી દિવ્યકથાના રૂપમાં ભારત ઉપરાંત તિબેટ અને નેપાળમાં આપીને આ કથાનું પોતાની વિશિષ્ટ રીતે રસપાન કરાવ્યું છે. સાધના, સત્સંગ, સેવા, સાક્ષાત્કાર, માર્ગદર્શન માટે શ્રી વિશ્વગાયત્રી મહાપીઠ-કાસોર (જિ. આણંદ), શ્રી વિશ્વગાયત્રી બ્રહ્મપીઠ-અલખધામ, ઝાડેશ્વર (ભરૂચ), શ્રી વિશ્વ ગાયત્રી મહીપીઠ, કનોડા (તા. સાવલી), શ્રી વિશ્વગાયત્રી શ્રી પીઠખંભાત, શ્રી વિશ્વ ગાયત્રી યોગિની પીઠ-આણંદ, શ્રી વિશ્વગાયત્રી ભક્તિપીઠ-સાવલી, શ્રી વિશ્વગાયત્રી બ્રહ્મર્ષિપીઠ-વડોદરાની સ્થાપના દ્વારા ધાર્મિક માર્ગદર્શન અને પ્રેરણા આપીને તથા ‘વિશ્વગાયત્રી પરિવાર દ્વારા માનવ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યા છે. “જય ગાયત્રી' મહામંત્ર આપનાર અને “વિશ્વગાયત્રી' આધ્યાત્મિક માસિકનું પ્રકાશન કરતા પ.પૂ.શ્રી અલખગિરિજી નર્મદાજીના પવિત્ર કિનારે ૧૫૦' x ૨૨૫’ x'૩૫ = ૩,૫૦,000 સ્કે. ફૂટના મહાસ્નાનઘાટનું નિર્માણ, સપ્તર્ષિની મૂર્તિઓ, મંડપ, કમાનો, નવગ્રહોની છત્રીઓ, સંતઘાટ, પુરુષઘાટ, મહિલાઘાટ કરોડો રૂપિયાના ખર્ચે કરી રહ્યા છે જેમાં એક લાખ પથ્થરની શિલાઓ વપરાશે. આપશ્રી દર મંગળવારે કાસોર (જિ. આણંદ) તથા ગુરુવારે ઝાડેશ્વર આશ્રમ-ભરૂચમાં મુંઝવતા પ્રશ્નોમાં અને સાધનાવિષયક માર્ગદર્શન આપે છે. પ. પૂ. શ્રી પ્રમુખસ્વામી મહારાજના કૃપાપાત્ર ભક્ત પ્રાગજીભાઈ પટેલ (લંડન) વડોદરા જિ.ના પાદરા તાલુકાના પ્રગતિશીલ ગામ સાધીના વતની શ્રી પ્રાગજીભાઈ મથુરભાઈ પટેલ લંડન ખાતે ૧૯૭૬ થી સ્થાયી છે, અત્યારે ૯૩ વર્ષની ઉંમરે પણ તરોતાજા-ચપળ છે, આંખે ચશ્માના નંબર નથી અને કોઈ પણ પ્રકારની કાર પૂરપાટ હંકારી શકે છે! ડિસે. ૧૯૩૦ માં કેરીઓ-આફ્રિકામાં કાપડના વેપારાર્થે ગયેલા ત્યારે અઢારેક વર્ષની ઉંમર. લગ્ન કર્યું ૧૯૩૮ માં. બોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના વડા સંત પૂ. શ્રી યોગીજી મહારાજ અને સાથે આવેલા પ્રમુખ સ્વામીના પરિચયથી સત્સંગનો પાકો રંગ ચડ્યો. સત્સંગ અને અન્નકૂટનો કાર્યક્રમ આદર્યો. ૪૫ વર્ષ આફ્રિકામાં રહ્યા પછી ૧૯૭૬ માં માન્ચેસ્ટર-લંડન ખાતે સ્થિર થયા છે અને આ સંપ્રદાયના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરે છે. લંડનમાં લગભગ બાર વર્ષથી ફંડપ્રાપ્તિના ઉમદા હેતુ માટે યોજાતી સ્પોન્સર વોક (૧૦ કિ.મી.ની) અને વોકેથોનમાં પ્રાગજીભાઈ પટેલે એકધારો પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. સ્પોન્સર્ડ વોકમાં ૩ હજાર જેટલા સ્પર્ધકોમાં પ્રથમ નંબરે આવીને પ.પૂ. શ્રી પ્રમુખસ્વામીનો મેડલ મેળવ્યો. સ્પર્ધા વખતે ખાણીપીણીની સગવડ હોવા છતાં પ્રાગજીભાઈએ તે લીધેલ નહીં! પોતાના પરિવારની ચાર પેઢીના ૧૦૦ સદસ્યોનું વિશાળ વટવૃક્ષ ધરાવતા, અનેક દેશોમાં પરિભ્રમણ કરતા, અટલાદરાબોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના કૃપાપાત્ર હોવાથી તેમની આસપાસ ભક્તિભાવે નાચતા-કુદતા અથવા વિવિધ દેશોમાં સંપ્રદાયના મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વચ્ચે અચૂક ઉપસ્થિતિ આપતા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy