SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૬ પથપ્રદર્શક ધરાવતા “માય લાઈફ'ની પાછળ પ્રકાશક કંપનીના વડા તરીકે એક ગુજરાતીનું યોગદાન પુસ્તક પ્રકાશનના ઇતિહાસમાં નોંધપાત્ર બની રહે છે! ગુજરાતમાં પારાના વિશિષ્ટ શિવલિંગના દર્શન કરાવતા પ. પૂ. મહંત શ્રી બટુકગિરિજી મહારાજ (ગિરનારી બાપુ), અટલ આશ્રમ, પાલ. વિરાટ વિશ્વચેતનામાં સ્થળ તરફથી સૂક્ષ્મ તરફ, આકાર તરફથી નિરાકારમાં ગતિનો સંદેશો સાંપડે છે શિવલિંગમાંથી. તેના બે પ્રકાર પડે-(૧) ચલ લિંગ-કદમાં નાનાં તથા ફેરવી શકાય, તેના ૬ પ્રકાર પડે-(૧) મૃણમય-માટીનું (૨) લોહજલોખંડનું મિશ્રધાતુનું (૩) રત્નજ-નવ પ્રકારનાં રત્નોમાંથી બને છે. (૪) દારૂજ લિંગ–કાષ્ઠમાંથી (૫) શૈલજ લિંગપાષાણ / પથ્થરમાંથી (૬) ક્ષણિક લિંગ-પૂજાના અંતે તેનું વિસર્જન કરવામાં આવે છે જે ગંધક, ભસ્મ, ઘી, કસ્તુરી, લવણ વ.માંથી બનાવાય છે. (૨) અચલ લિંગ-ફેરવી ન શકાય તેવાં સ્થિર હોય છે. તેનાં ચાર / છ/ નવ સુધી પ્રકાર પાડેલ છે. આમ માટીનાં શિવલિંગથી માંડીને પથ્થર અને હીરામોતીનાં શિવલિંગ પણ હોઈ શકે. આ બધામાં શ્રેષ્ઠ શિવલિંગ તરીકે પારામાંથી બનાવેલ શિવલિંગને ગમ્યું છે. ગુજરાતમાં જવલ્લે જ જોવા મળતું પારદ-શિવલિંગ ભક્તોના કલ્યાણ માટે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પૂજાઅર્ચના-અભિષેક માટે ખુલ્લું મૂકવાનો યશ પ.પૂ. મહંત શ્રી બટુકગિરિજી મહારાજ ગુરુશ્રી મહંત મહાદેવગિરિબાપુને ફાળે જાય છે. આવા શિવલિંગ માટે પારો એકત્ર કરીને તેને રાસાયણિક પ્રક્રિયાથી બાંધવો પડે છે. આવા પારદ શિવલિંગના દર્શન સૂર્યપુત્રી તાપી નદીના કિનારે સુરત–હજીરા રોડ પર પાલ જકાત નાકા પાસે જ્યાં સમુદ્ર અને તાપીનો સંગમ થાય છે તે તાપી નદીના મુખ પાસે પ. પૂ. મહંત શ્રી બટુકગિરિજી મહારાજ (ગિરનારી બાપુ) ગુરુશ્રી મહંત મહાદેવગિરિજી બાપુ-અટલ આશ્રમ, મુ. પો.પાલ, તા. ચોર્યાસી, સુરતમાં થાય છે ઉપરાંત આશ્રમની અંદર અંબાજી માતા, હનુમાનજી બિરાજમાન છે. આશ્રમમાં ગૌશાળાના આયોજન ઉપરાંત સાધુસંતોને વિસામો અને પ્રસાદ તથા શનિવારે તમામને સાંજે ખીચડી-કઢી-શાક પિરસાય છે. આશ્રમમાં વિવિધ ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. તાપીતટે બારેક વર્ષ સુધી ઝાડી વચ્ચે કઠોર સાધના કરનાર પ.પૂ. બટુકગિરિજી મહારાજ જંગલમાં મંગલ સર્જવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી શક્યા છે. આશ્રમને અવારનવાર તાપીમૈયાના ધસમસતા પૂરનો ભોગ બનવું પડ્યું હોવા છતાં ‘અરે દ્વારિકા' ના અટલ નિશ્ચયમાંથી તેમની પીછેહઠ નથી થઈ. સૌરાષ્ટ્રના ભાવનગરની ગોહિલવાડી બોલીનો હોંકારો, ઉદારતા, સરળતા, અવાજમાં ચુંબકીય આકર્ષણ શ્રદ્ધાળુ ભક્તને પોતીકા બનાવી લે છે! સ્તંભેશ્વર આશ્રમ, કંબોઈ (કાવી)ના અધિષ્ઠાતા પ.પૂ, શ્રી વિધાનંદજી મહારાજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા કેન્દ્રથી ત્રીસ કિલોમીટર દૂર આવેલ પુરાતન ગામ કાવી પાસે હાલના કંબોઈના દરિયામાં સ્કંદપુરાણોલેખિત અને ભગવાન શિવજીના પુત્ર કાર્તિકેયજી દ્વારા સ્થાપિત શિવલિંગ છે જે ‘સ્તંભેશ્વર' નામે ઓળખાય છે. પૌરાણિક કથા પ્રમાણે વરદાન મેળવીને છકી ગયેલા તારકાસુરને મારવા શિવ-પાર્વતીના પુત્ર તરીકે કાર્તિકેયજીએ જન્મ લીધો, જન્મના પાંચમા દિવસે દેવોનું સેનાપતિપદ ધારણ કરીને આ કાર્ય પાર પાડ્યું પણ પછી પસ્તાવો થયો કે ગમે તેવો તો ય તારકાસુર શિવભક્ત હતો! કાર્તિકેયજી (સ્કંદ કુમાર) ના મનનો આ બોજો હળવો કરવા તેમના હાથે જે શિવલિંગની સ્થાપના થઈ તે જ સ્તંભેશ્વર જે મહીસાગરસંગમ પર આવેલ છે! એક વખત બધા તીર્થદેવો બ્રહ્માજીની સભામાં એકત્ર થયા ત્યારે પહેલું પૂજન કોનું કરવું તેની વિસામણમાં પડેલા બ્રહ્માજીએ શ્રેષ્ઠતીર્થનું પૂજન બધાં તીર્થો વતી કરવાનું નક્કી કરીને ‘શ્રેષ્ઠતીર્થ કહ્યું?' તેનો નિર્ણય તીર્થદેવો પર જ છોડ્યો ત્યારે મહીસાગર સંગમ પરના સ્થંભેશ્વર તીર્થે પોતાની મહત્તા જાતે જ વર્ણવી. આ બાબતને અવિવેક ગણીને બ્રહ્માજીના પુત્ર ધર્મદેવ દ્વારા આ તીર્થને ગુપ્ત / અપ્રસિદ્ધ થઈ જવાનો શ્રાપ આપવામાં આવ્યો પરંતુ કાર્તિકેયજીએ તેનું નિવારણ કરવાનું કહ્યું તેથી ધર્મદેવે કહ્યું કે–‘શનિવારની અમાસે મહીસાગર સંગમની માત્ર એક જ વખત યાત્રા કરનારને પ્રભાસની દસવારની, પુષ્કરની સાતવાર અને પ્રયાગની આઠવાર યાત્રા કર્યાનું ફળ મળશે.....' આ સ્થળે ૧૯૯૨માં પૂ. શ્રી બજરંગગિરિજી મહારાજ અને હાલના સ્તંભેશ્વર આશ્રમના અધિષ્ઠાતા પૂ. શ્રી વિદ્યાનંદજી મહારાજે “મહારુદ્રયજ્ઞ' કર્યો અને ત્યારથી પુનઃ આ તીર્થ ધમધમતું થયું! યુવાન વયના, લાંબી જટાવાળા, ઉઘાડા પગે આ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy