SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કરીને તેમણે ૧૭ દિવસમાં ઉર્દૂ ઉપરાંત અફઘાનિસ્તાન પહોંચી માત્ર ૨૧ દિવસમાં પુશ્તો ભાષા શીખ્યા. અફઘાનિસ્તાનની સ્થાનિક પુશ્તો ભાષાની શ્રી પ્રશાંતભાઈની જાણકારીને કારણે અફઘાન લોકોને આનંદ થતો અને તેઓ તેમને આવકાર આવતા કેમકે તેઓ અમેરિકી સૈન્ય અને સ્થાનિક અફઘાન લોકો વચ્ચે સંપર્ક સેતુ બની શક્યા. તેમની આ સિદ્ધિને કારણે અમેરિકી મરીન્સ અને નૌકાદળ એમ બંને દ્વારા વિશેષ સિદ્ધિ માટે બહુમાન કરાયું છે. અફઘાનિસ્તાનમાં સ્થાનિક સેના અને લડાયક સ્વભાવના અફઘાન લોકો વચ્ચે ચાવીરૂપ ભૂમિકા ભજવનાર પ્રશાંત શાહની સિદ્ધિની નોંધ અમેરિકી સમાચાર માધ્યમો અને અમે. સૈન્યની વેબસાઈટ પર અહેવાલના રૂપમાં તથા અન્ય રીતે વ્યાપકરૂપે લેવાઈ. પુશ્તો ભાષાની જાણકારીને કારણે જ અફ.ના ૧૦૦ જેટલા આતંકવાદીઓ પકડાયા; અમેરિકન મરીન્સમાં ‘સ્મૂથ ટૉકર’ના લાડીલા નામે જાણીતા પ્રશાંત શાહને અમે. અખબારો બર્લિટ્ઝ બુક' (વિશ્વની ભાષાઓનું જ્ઞાનવાળું પુસ્તક) કહે છે! પ્રશાંત શાહના ભગિની બેલાબહેન પોતાના ભાઈને કારકિર્દી આયોજનમાં પ્રેરણા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે, માતા નીતાબહેન પોતાના બહાદુર પુત્ર માટે ગૌરવ અનુભવે છે. તેમના પરિવારજનો જેતલપુર રોડ, કાશી વિશ્વેશ્વર ટાઉનશીપ, વડોદરામાં રહે છે. અમેરિકામાં ભાગવતકથાની સુવાસ ફેલાવનાર ભરતભાઈ શાસ્ત્રી દેશ-વિદેશમાં ભાગવતકથાઓ અને ગીતા પ્રવચનોથી ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક સંસ્કારોનો પરિચય પમરાટ ફેલાવનાર ભરતભાઈ શાસ્ત્રીએ ૧૮ વર્ષની ઉંમરે તો કથાનો પ્રારંભ કરી દીધેલો ! અમેરિકાના ઓહાયો, એપલવેલી, ઓરેગન, કેલિફોર્નિયા વ.માં તેઓ કથા કરી ચૂકયા છે. નડિયાદના પ્રસિદ્ધ સંત કથાકાર પ.પૂ. શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીની પ્રેરણા અને આશીર્વાદપ્રાપ્ત ભરતભાઈ શાસ્ત્રીજી હાલમાં રાધાકૃષ્ણમંદિર, લોસ એંજલ્સ-અમેરિકામાં પ્રમુખ શાસ્ત્રીજી તરીકે સેવા આપી રહ્યા છે અને દેવભાષા સંસ્કૃત માટે પણ જાગૃતિ દાખવી રહ્યા છે. ભરતભાઈના ધર્મપત્ની નલિની રાજગોર પણ અમેરિકામાં ગીતાપ્રવચન, યોગ અને સંસ્કૃત ભાષાનો પ્રચારપ્રસાર કરી રહ્યા છે તથા ત્યાં રહેતા ગુજરાતીઓ માટે સંસ્કૃત Jain Education International ૬૩૫ શીખવવા ખાસ વર્ગો ચલાવે છે. ભારતીય સંસ્કૃતિની સુવાસ જાળવી રાખનાર દંપતિ અભિનંદનપાત્ર છે! અમેરિકામાંથી ફ્રોડ એક્ઝામિનરની ડિગ્રી મેળવનાર એક માત્ર ભારતીય : નીરવ અનુપમ તારકસ એસોસિએશન ઑફ સર્ટીફાઈડ ફ્રોડ એક્ઝામિનર્સ નામની અમેરિકન સંસ્થા દ્વારા વડોદરાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી નીરવ અનુપમ તારકસને સર્ટીo ફ્રોડ એક્ઝામિનરની માનદ્ ડિગ્રી એનાયત થઈ છે. ભારતમાં આ પ્રકારની ડિગ્રી મેળવનાર તેઓ પ્રથમ છે. ભારતીય હવાઈદળમાં પાયલોટ તરીકે પસંદગી પામનાર શ્રી નિરવ તારકસ એકમાત્ર સી.એ. છે. બિલ ફ્િલન્ટનની આત્મકથાનું વિશ્વવિક્રમી વેચાણ– પાર્શ્વભૂમિકામાં એક ગુજરાતી : સોની મહેતા અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનની આત્મકથા `My Life' (માય લાઈફ') છે તે જૂન-૨૦૦૪માં વિક્રમી વેચાણ અને બુકિંગ સાથે બજારમાં મુકાતાં જ ૧૫ લાખ જેટલી નકલો ચપોચપ ઉપડી ગઈ! ૯૫૭ પેજનું દળદાર પુસ્તક હેરી પોટરના પુસ્તકના વેચાણ આંકને આંબી જશે તેમ લાગે છે. ક્લિન્ટનના કેટલાક ચર્ચિત સંબંધોનાં અંશો પણ અહીં પ્રતિબિંબિત થાય છે! પુસ્તકની અમેરિકી ઉપરાંત ઇંગ્લેંડ, ફ્રાંસ, હૉલેન્ડ, હંગેરી અને જાપાનમાં પણ ધૂમ ખરીદી થઈ જો કે વિવેચકોનો ભલે સારો આવકાર ન મળે પરંતુ બિલ ક્લિન્ટનને આ પુસ્તક માટે કલમ ચલાવવા બદલ એક કરોડ ડોલર જેટલી રકમ ચુકવવામાં આવી. અંદાજે ૨૫ લાખ પ્રતોના વેચાણની રોટલ્ટી પણ તેમને મળશે. આશ્ચર્ય એ છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કદાચ વિક્રમી વેચાણ ધરાવતા પુસ્તકના પ્રેરણાદાતા કોણ છે? બિલ ક્લિન્ટનના ‘માય લાઈફ’ની પ્રકાશક કંપની આલ્ફ્રેડ નોયફના ‘એડિટર ઇન ચીફ’ મૂળ ગુજરાતી છે. તેમનું નામ સોની મહેતા છે કે જેમણે બિલ ક્લિન્ટનને આત્મકથા લખવા માટે પ્રેર્યા, તેમની સાથે બેઠકો યોજીને પુસ્તકોમાં મહત્ત્વના પ્રસંગો-પ્રકરણ-કદ-શૈલી અંગે પરામર્શ કર્યો એટલું જ નહીં હોલીવૂડની ફિલ્મ એક સાથે જેમ અનેક જગ્યાએ રજૂ થાય છે તે રીતે આ પુસ્તકને પ્રસિદ્ધિ આપવાનો ખ્યાલ પણ સોની મહેતાએ આપ્યો હતો! આ પ્રકારનું લોન્ચિંગ, માર્કેટિંગ અને પ્રસિદ્ધિની બાબતમાં અભૂતપૂર્વતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy