SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ શારીરિક ક્ષતિ નહીં પણ કાર્યદક્ષતા અને સેવાભાવના છે. ખેડૂત પિતાને ત્યાં સુધાબહેન આંખોના અંધકાર સાથે જમ્યા એ તો ઠીક પરંતુ તેમની રાધા નામની બહેન પણ અંધ છે છતાં પરિવારજનોએ સતત પ્રોત્સાહન આપ્યું તેથી બંને બહેનોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. સુધાબહેને તો ગ્રેજ્યુએટ થઈને બી.એ.ની પદવી પણ મેળવી છે, ચાંગામાં એકવીસ વર્ષની ઉંમરે આ અંધમહિલા સરપંચ બની અને ૧૯૯૫ થી ૨૦૦૦ સુધીના પાંચ વર્ષમાં ગામની સિકલ બદલી નાખી! વિવિધ સરકારી યોજનાઓનો લાભ તેમણે ગ્રામજનોએ અપાવ્યો, કૌશલ્યતાથી અધિકારીઓનો સહકાર મેળવ્યો. અંધ, વિકલાંગ, મંદબુદ્ધિના બાળકો અને મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યરત એવા સુધાબહેન સરકારી અને બિનસરકારી સંસ્થાઓની યોજનાના લાભો પોતાના ગામને અપાવવામાં કાર્યરત રહ્યા છે જેથી તેમને દેશ-વિદેશના છ જેટલા એવો મળ્યા છે, જેમ કે (૧) ૧૯૯૬માં ઇન્દોર ખાતે ટેન આઉટ સ્ટેન્ડિંગ યંગ પર્સન ઓફ ધ ઇન્ડિયા (૨) ૧૯૯૭માં હોનોલુલુઅમેરિકામાં ટેન આઉટ સ્ટેન્ડિંગ યંગ પર્સન ઑફ ધ ઇન્ડિયા (૩) ૧૯૯૯માં આઉટ સ્ટેન્ડિંગ વુમન પંચાયત લીડર ઑફ ઇન્ડિયા એવો દિલ્હીના મુખ્યમંત્રી શિલા દીક્ષિતના હસ્તે મળ્યો. (૪) ૨૦૦૩માં વર્લ્ડ હ્યુમન રાઈટ પ્રમોશન એવો (૫) ૨00૪માં ‘આઉટ સ્ટેન્ડિંગ કોન્ટ્રિબ્યુશન ફોર ટિચિંગ એન્ડ સોશ્યલ વર્ક બદલ ગાંધીનગર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી મંગળભાઈ પટેલના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયો હતો....જે અહીં યાદ કરી શકાય. | ‘વિઝન' ફિલ્મ કંપનીએ સુધાબહેન પટેલના કાર્યો પર દસ્તાવેજી ફિલ્મ પણ બનાવી છે. મુંબઈના પ્રફુલ્લભાઈ પટેલે સુધાબહેનના જીવન પર લખેલી વાર્તાના આધારે ફિલ્મ નિર્માતા જયંતભાઈ ધ વ્હાઈટ લેન્ડ' નામની ફિલ્મ બનાવવાના છે. ગુજરાતી ટચવાળી આ ફિચર ફિલ્મની મુખ્ય નાયિકા “લગાન'થી જાણીતી બનેલી ગ્રેસી સિંહ છે. આમ ચાંગાની અંધ મહિલા શિક્ષિકા અને પૂર્વ-સરપંચ પર ફિલ્મ બનશે જે અન્યને માટે તો પ્રેરણારૂપ અજવાળું પાથરશે જ! પથપ્રદર્શક “માધવ નિદાન'ના હોશીલા અનુવાદક તથા પ્રચારક - ત્રિકમભાઈ જીકાદરા આયુર્વેદની ચરકસંહિતા, સુશ્રુત સંહિતા, માધવ નિદાનમાં અનુક્રમે ઉપચારવિધિ, વાઢકાપવિધિ અને રોગનિદાન વિધિ વર્ણવેલી છે પરંતુ તે સંસ્કૃતમાં છે તેથી સંસ્કૃત નહીં જાણતા અને અભણ લોકોને સમજવામાં મુશ્કેલી પડે છે. વળી કેટલાક નાનાં ગામડાંઓમાં જવાનું આધુનિક ડૉક્ટરો ટાળતા હોય છે તેવા સંજોગોમાં સૌરાષ્ટ્રના સાવરકુંડલા પાસે વણોદના ખેડૂત ત્રિકમભાઈ માધાભાઈ જીકાદરાએ આયુર્વેદના પ્રાચીન સંસ્કૃત ગ્રંથ ‘માધવનિદાન’નું ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે. ત્રિકમભાઈનો અભ્યાસ માત્ર સાત ધોરણ સુધીનો છે પણ તેમણે ૧૦ વર્ષની મહેનત લઈને, ૨૯ રાગરાગિણીમાં, સિત્તેર પ્રકરણમાં ‘માધવનિદાન'ની ૧૬૦૦ કડીઓ ગુજરાતીમાં દૂહા જેવી રચી છે જેને નાનું બાળક પણ સમજી શકે અને રોગનિદાનને લગતી સભાનતા કેળવી શકે. અડખેપડખેના જૂની પેઢીના વૃદ્ધ વૈદોએ ગ્રંથો લખવાની પ્રેરણા આપી, ત્યારબાદ આ લખાણની ચકાસણી કરાવવામાં આવી. લખાણને લીલી ઝંડી' સાંપડી! ત્રિકમભાઈએ હજી તેનું પુસ્તકરૂપે પ્રકાશન નથી કર્યું પરંતુ તેઓ આ કડીઓને અડખેપડખેના ગામોમાં નવી પેઢીને રાગ-રાગિણીમાં ગાઈને સરળતાથી આયુર્વેદનો બોધ આપી રહ્યા છે! અમેરિકી સૈન્યના ગૌરવશીલ ગુજરાતી પ્રશાંત એમ. શાહ વડોદરાના વતની શ્રી પ્રશાંતભાઈ મહેન્દ્રભાઈ શાહે સાહસિક અને અનોખી કારકિર્દી ઘડવાના ઉદ્દેશથી ધો. ૧૨ પછી એમ.એસ. યુનિ. માં એકાદ વર્ષનો અભ્યાસ કરીને સને ૨૦૦૧માં અમેરિકામાં ઇલે. એન્જિ.ના પ્રથમ વર્ષમાં જોડાયા પછી ૨૦૦૨માં નૌકા સૈન્યમાં, વિવિધ દેશોના પ્રવાસની તક મેળવી. લાન્સ કોર્પોરલ અને પછી આસિ. વેરહાઉસ ચીફના હોદ્દે પહોંચ્યા છે. અમેરિકી સૈન્યમાં તેમની ફરજ દરમિયાન અફઘાનિસ્તાનમાં શ્રેષ્ઠ કામગીરી બજાવવા બદલ તેમની ‘નેવી એન્ડ મરીન કોર્ણ એચિવમેન્ટ એવોર્ડ અને કોમ્બોટ એક્શન રિબન એવોર્ડ એનાયત થયો છે. અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્યનું યુદ્ધ ઓપરેશન ચાલ્યું ત્યારે પ્રશાંત શાહની પણ પસંદગી થતાં મરીન્સના ૨૦00 સૈનિકો સાથે તે દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન પહોંચ્યા. માતૃભાષા ગુજરાતી ઉપરાંત હિંદી, પંજાબી અને અંગ્રેજી તો તેઓ જાણે જ છે પરંતુ એટલાન્ટિક સમુદ્રમાં નૌકાદળની પોતાની ફરજ દરમિયાન સમયનો સદુપયોગ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy