SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ વાઈસ ચેરમેન તરીકે તે ચૂંટાયેલા. મુંબઈ વિધાન પરિષદમાં કોંગ્રેસ તરફથી સભ્યપદે દ્વિભાષીના સમયે પણ તેમણે સેવા આપેલી. અમદાવાદમાં પોતાની કારકિર્દીની શરૂઆતથી કર્મભૂમિ વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ સાથે સંકળાયેલી શ્રીમતી એન.એચ.એલ. મ્યુનિસિપલ મેડિકલ કોલેજની સ્થાપનામાં પણ તેમનો બહુ મોટો હાથ હતો. પોતાના વતન નાવલીમાં તેમને ઉછેરનાર અને અનેકરીતે ભોગ આપનાર કાકાશ્રી દાદાભાઈને નામે ૧૯૩૯માં સખાવત આપીને ગુજરાતી પ્રાથમિક શાળા પણ બંધાવી. ગુજરાત યુનિવર્સિટીમાં તેમના નામે એમ.બી.બી.એસ.માં સર્જરીના વિષયમાં પ્રથમ આવનારને તેમના નામનો ચંદ્રક મળે છે. ગુજરાતના સર્જનોની સ્ટેટ લેવલની વાર્ષિક પરિષદમાં તેમના માનમાં ડૉ. મોતીભાઈ પટેલ ઑરેશન' (સમારંભ પ્રસંગનું ભાષણ) હોય છે. તેવી જ રીતે રાષ્ટ્રીય કક્ષાએ ભારતના જુદા જુદા શહેરોમાં યોજાતી ઇન્ડિયન એસોસિએશન ઑફ ઑન્કોલોજી'ની વાર્ષિક પરિષદમાં તેમને અંજલીરૂપે તેમના નામનું ઑરેશન હોય છે. ડૉ. મોતીભાઈનો શૈક્ષણિક વારસો જળવાઈ રહે તે આશયથી તેમના કુટુંબીજનોએ તેમના અવસાન બાદ મોતી ગંગા રિસર્ચ ફાઉન્ડેશન' નામના ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. ડૉ. મોતીભાઈ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, રૉટરી ક્લબ, ગુજરાત રાજ્યના દારુબંધી નિગમના સભ્ય વગેરે જેવી વિવિધ સામાજિક-રાજનૈતિક સંસ્થાઓ કે સંગઠનો સાથે ગાઢપણે સંકળાયેલા હતા. રૉટરી ક્લબના પ્રમુખ પણ ચૂંટાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલના અંતેવાસી અને ગાંધીજીના અનુયાયી હતા. એક પ્રસંગે ગાંધીજીના પુત્રનું ઑપરેશન કરવાનું પણ તેમના હાથે જ થયેલું. ડૉ. મોતીભાઈ હંમેશા ખાદી અને ગાંધી ટોપી પહેરતા. મેડિકલ પરિષદમાં રમૂજમાં તે ‘ટોપીવાળા ડૉક્ટર' તરીકે ઓળખાતા. તબીબી વાંચન તો ખરું જ, ગુજરાતી-અંગ્રેજી સાહિત્યના વાંચનના અને તેમાંના કાવ્યોના પણ ભારે શોખીન હતા. સંસ્કૃતના પણ જાણકાર, ઘણાં કાવ્યો અને શ્લોકો તેમને કંઠસ્થ હતા. ઘરમાં એક અલગ ઓરડામાં વિશાળ પુસ્તકાલય વસાવ્યું હતું. દેશ વિદેશના વિવિધ વિષયો પરના થોકબંધ સામયિકો મંગાવતા. બાગબાની અને ચિત્રકામ પણ તેમના શોખના વિષયો હતા. આંઝણા પાટીદારો પરશુરામના પ્રહારથી બચવા આબુ પર્વતની અધિષ્ઠાત્રી દેવી અર્બુદાનું શરણું લઈ છુપાયા. “અજાણ્યા' થઈને રહ્યા, Jain Education International પથપ્રદર્શક પોતાના વ્યક્તિત્વથી કોઈને આંજી ન નાખે, અથવા સહસ્ત્રાર્જુનના વંશજ કે અંજનીના પુત્રો તે આંઝણા પાટીદારો કહેવાયા. આ પ્રજા રાજવંશી લડાયક મૂડવાળી છે. એમને કોઈના તાબામાં રહેવું ગમતું નથી. સત્તાથી એ ક્યારેય અંજાતી નથી, બલકે સત્તાની સામે ઝઝૂમવાની એને મજા પડે છે. એ ગરમ મિજાજનો જીવ છે. એને કોઈપણના ઓશિયાળા કે દબાયેલા થઈને જીવવાનું પસંદ નથી. કોઈની સામે નાકલીટી તાણે તે ચૌધરી પાટીદાર નહીં. “ચૌધરી” કોઈ અટક નથી, એ ઇલકાબ છે. અભણ આંઝણાના યુવાને મેઘરજ ગામના આંબાવાડિયામાં ઇડરના મહારાજા સર મહારાજકુમાર બાવજીને ભજન સંભળાવ્યું. તેથી પ્રસન્ન થઈને એને ઇડરની હાઈસ્કુલમાં દાખલ કરાવી દીધો. કાળક્રમે એ યુવાને “મળેલા જીવ' અને “માનવીની ભવાઈ” જેવી માતબર સાહિત્ય કૃતિઓનો સર્જક બન્યો! ગુજરાતી સાહિત્યમાં આવો કાશીની જ્ઞાનપીઠનો પુરસ્કાર એકમાત્ર સર્જક પન્નાલાલ પટેલને મળ્યો છે. આમ, ચૌધરી પાટીદાર સમાજ જ્યાં હોય ત્યાં ઝળકે છે. પછી તે પન્નાલાલ પટેલ અને ગુજરાતના સાક્ષર શ્રી રઘુવીર ચૌધરી હોય કે ગુજરાત સમાચારના દેવેન્દ્ર પટેલ અને મુંબઈના હિર દેસાઈ જેવા પત્રકાર હોય. હજી એક વસ્તુ ચૌધરી પાટીદારોએ મેળવવાની બાકી છે તે ગુજરાતનું મુખ્યમંત્રી પદ. એ મેળવે તો ચૌધરી પાટીદારોનો આશ્ચર્યજનક ચમત્કાર ગણાશે! મરણાસન્ન શ્રીમદ્ રાજચંદ્રને તેના અનુયાયીઓએ તપસ્યારતગુરુને સજળનેત્રે પૂછ્યું : “બાપુ, હવે અમારે કોના આશરે જીવવું?' રાજચન્દ્રે ક્ષીણ અવાજે ખેડબ્રહ્માની સોડમાં સૂતેલા ગલોડા (લક્ષ્મીપુરા) ગામના આંઝણા પાટીદાર રામા ભગત ભણી આંગળી ચીંધી. ખેડબ્રહ્માના કેશર મોઘજીને ગુજરાતના મહાકવિ ન્હાનાલાલે ઇડરનો સિંહ' કહી અમથા થોડા બિરદાવ્યા હશે!!! દંતાલીવાળા સંત, ચિંતક અને સાહિત્યસર્જક સ્વામી શ્રી સચ્ચિદાનંદજી આંઝણા પાટીદારોના કુળગોર છે. અને આબુનાં અધ્ધરદેવી અર્બુદા ચૌધરી પાટીદાર સમાજનાં કુળદેવી છે. ચૌધરી સમાજના અભણ માણસો પણ કોઠાસૂઝના બળે કેવા ઊંચા શિખરો સર કરી સમાજને ઉપયોગી બની શકે છે એનું આંઝણા પાટીદાર સમાજ આદર્શ ઉદાહરણરૂપ છે. સુશિક્ષિત છતાં સૌમ્ય સેવક શ્રી રતિભાઈ ઉકાભાઈ પટેલ શ્રી રતિભાઈ ઉકાભાઈ પટેલને એમના પિતાશ્રીનો સેવાનો વારસો મળેલ છે. લેઉવા પટેલ જ્ઞાતિમાં સામાજિક સુધારણા માટે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy