SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ એટલે કે પુત્ર પિતાના અધિકારી અને પિતા પુત્રના તાબાના નોકર બન્યા હતા! જાણે કે “ગુરુ કરતાં ચેલો સવાયો બન્યો.' કહેવત સાર્થક થતી હોય તેમ બેટો બાપથી સવાયો સાબિત થયો. એટલું જ નહિં પણ પુત્રે ઇન્સ્પેક્શન કરતાં પિતાને ઠપકો આપવો પડ્યો. અને મેમો પણ પકડાવ્યો હતો. આઝાદી બાદ ચંદુભાઈ રાજકોટ જિલ્લા શાળા મંડળના ચેરમેન બન્યા હતા. તેમણે ૧૯૧૬ થી ૧૯૫૨ સુધી ગોંડલ રાજ્યના અને પછી સૌરાષ્ટ્ર રાજ્યના કેળવણી ખાતાની અને પ્રૌઢ શિક્ષણના મદદનીશ નિયામક તરીકે જવાબદારીભરી જગ્યા સંભાળી હતી. તેમણે ૨૭ વર્ષથી ૭૩ વર્ષ સુધી કુલ ૪૬ વર્ષ નિષ્ઠાપૂર્વક નોકરી કરી હતી. તા. ૧૮-૧૧-૧૯૬૪ના દેહ છોડ્યો ત્યાં સુધી તેમણે આરામ હરામ કર્યો હતો. એમનું શિરમોરકાર્ય ગુજરાતી ભાષાના જ્ઞાનકોષ સમા નવ ભાગના શબ્દકોષ ‘ભદવદ્ ગોમંડળ” કોષનું સંપાદન કાર્ય હતું. તે બદલ ગોંડલ રાજ્યે પંચ પોષાક રૂ. ૧૫૦૦=૦૦ એનાયત કરેલા. ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણ ચંદ્રક, નર્મદ સાહિત્ય સભાએ સન્માનિત કરેલા અને દ્વારકાની શારદાપીઠે વિદ્યાવારિધિની ચંદુભાઈ પટેલને ઉપમા આપી બિરદાવ્યા હતા. આ જ્ઞાનકોષનાં તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની તમોએ સારી સેવા કરી છે. પ્રસ્તાવનાનું મારું ગજું નથી એવું મહાત્મા • ગાંધીજીએ સ્વીકાર્યું હતું. (તા. ૯-૭-૪૪નો પત્ર) જગતમાં જે છે તે બધું મહાભારતમાં છે. મહાભારતમાં હોય તે કદાચ જગતમાં ન હોય—એવું જ આ જ્ઞાનકોષનું છે. એટલે જ ગુજરાતના સાક્ષર શ્રી કૃષ્ણલાલ ઝવેરી, ક. મા. મુનશી અને બ. ક. ઠાકોરે એમના બે મોઢે વખાણ કર્યાં છે. ગુજરાતી ભાષાને ગૌરવશાળી બનાવનાર બે વીર એક ગોંડલના રાજવી અને બીજા પાટીદાર સપુત શ્રી ચંદુભાઈ પટેલ માટે ગુજરાતી ભાષા જ્યાં સુધી બોલાતી રહેશે ત્યાં સુધી તેમનું નામ બોલાતું ને ગાજતું રહેશે. “ભગવદ્ ગોમંડલ” જ્ઞાનકોષ અપ્રાપ્ય થતાં તેની પડતર કિંમત રૂ. ૫૪૫ હતી. પણ રાજ્યાશ્રયની સહાયને કારણે રૂ. ૧૪૫માં વેચાયેલો આ ગ્રંથ પંદરથી વીશ હજારમાં પણ મળતો ન હતો. એથી રાજકોટના પ્રવીણ પુસ્તક ભંડારવાળા ઉત્સાહી સાહિત્ય પ્રકાશક શ્રી ગોપાલભાઈ પટેલે એનું પુનઃ મુદ્રણ કર્યું છે અને તે નવ ભાગના ગ્રંથ રૂ. ૪૦૦૦=૦૦માં હાલ પ્રાપ્ય છે. ચંદુભાઈ સમાજસુધારક પણ હતા. પાટીદાર સમાજના સૌરાષ્ટ્રમાં યોજાયેલા ચારેક સમારંભોમાં અધ્યક્ષ અને ઉત્તમ Jain Education Intemational પથપ્રદર્શક વક્તા તરીકે અસરકારક કામગીરી બજાવી હતી. પોતાની પુત્રી સાવિત્રીને એ યુગમાં લગ્ન પછી પણ ભણતર ચાલુ રાખવાની શરતે પરણાવી હતી. અને બી.એ. બી.એડ. અને ડી.પી.એડ. કરાવી હતી. અને તેણે અમદાવાદની કાલીદાસ દવે ગર્લ્સ સ્કૂલમાં ૩૨ વર્ષ સુધી હેડ મિસ્ટ્રેસ તરીકે સેવા આપી હતી. એટલું જ નહિં તેમનાં લગ્ન વખતે, અમદાવાદથી જાન ગોંડલ આવી ત્યારે પતિદેવનો સત્કાર કરવા ચંદુભાઈએ પોતાની પુત્રી સાવિત્રીબેનને જ મોકલી સમાજ સુધારાનું અદ્ભુત અને અભૂતપૂર્વ પગલું ભરી સમાજને દિશાદર્શન કર્યુ હતું. ગાંધીવાદી અને સાહિત્યપ્રેમી ચંદુભાઈએ ગોંડલના રાજવીને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. એટલે એમની શક્તિનો લાભ પાટીદાર સમાજને પૂરો મળી શક્યો નથી. અંગ્રેજ સરકાર ચંદુભાઈને સુવર્ણચંદ્રક આપવા ઇચ્છતી હતી. પણ તેમણે તે સ્વીકાર્યો ન હતો. તેઓ માનતા હતા કે સર ભગતસિંહને સમસ્ત હિંદના રાજવી બનાવ્યા હોત તો દેશની સિકલ જુદી હોત. •ઉત્તમ બાંધકામ અને કરવેરા વિનાનું રાજ્ય બનાવનાર ગોંડલના આ પ્રજાપ્રિય રાજવી હતા. ગરવી ગુજરાતી ભાષાની સઘન સેવા કરી પોતાની સેવા જ્યોત ચંદુભાઈ સદાકાળ માટે જલતી રાખતા ગયા છે. એ બદલ લેઉવા પાટીદાર સમાજ ગૌરવ અનુભવે છે. પ્રેરણા મૂર્તિ શ્રી ભગવાન રાજા પટેલ કાદવમાંથી કમળ વિકસી શકતું હોય, પહાડમાંથી પ્રભુની મૂર્તિ કંડારી શકાતી હોય તો માનવી, માનવીમાંથી મહામાનવ કેમ ન બની શકે? કમળની પેઠે જગતના કુળમાંથી મુક્ત રહેતા આવડે કે પથ્થરની પેઠે કલેજું કોતરતાં આવડે તો ખરેખર મહાન બની શકાય છે. અર્જુનના જેવી એકાગ્રતા અને એકલવ્ય જેવી નિષ્ઠાથી કોઈ પણ માણસ કામ કરે તો સિદ્ધિ તેમને વરે છે. કારણ કે, સિદ્ધિનો સ્વભાવ જ પરસેવે નહાનારને વરવાનો છે. અણખેડ્યા કે અધૂરા ખેડ્યા ખેતર પૂરો પાક આપતા નથી એ આપણા સ્વાનુભવની વાત છે. આ બધી વાત સ્વ. ભગવાન બાપા સમજીને બેઠા હતા. તેથી જેતપુર પાસેના વારાસડાના એક સામાન્ય કણબીના દીકરા એક મોટા કોન્ટ્રાક્ટર બની ગયા જેણે કાળા અક્ષરો કુહાડે માર્યા હતા તે અનેકને સાક્ષર બનાવી શક્યા. વારાસડાવાસી ભગવાનભાઈની સ્થિતિ સાવ નબળી. વળી એ જમાનામાં શિક્ષણના માહાત્મ્યને સમજે પણ કોણ? વળી તેમાંયે આ કણબીના દીકરા મજૂરી કરે, ખેડ કરે, વારાસડાની બાજુમાં જેતપુર ગામ કાંઈક શહેર કહેવાય. શહેરનું આકર્ષણ જાગ્યું. જેતપુરમાં આવી વસ્યા પણ તેનું ભાગ્ય તેને જેતપુરમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy