SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૨ વંદનીય સરદાર પટેલ ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ ૩૧ ઓકટો. ૧૮૭૫ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ગામે માતા લાડબાઈની કૂખે ચોથા સંતાન તરીકે જન્મ્યા હતા. પિતા ઝવેરભાઈએ ૧૮૫૭ના બળવામાં ભાગ લીધો હતો તેથી એના આ બાળકમાં પણ સ્વાભિમાનની ભાવના, આઝાદીની ખુમારી અને અસલ ક્ષત્રિય કુળનું ખમીર એની નસેનસમાં વહેતું હતું. બગલની બામલાઈનું ઓપરશન ધગધગતા સળિયા દ્વારા થયા છતાં ઊંહકારો કર્યો નહિ એટલું જ નહિ પણ પત્નીના અવસાનનો તાર કોર્ટમાં મળ્યો તે વાંચ્યા વિના ખિસ્સામાં મૂકી દઈને ચહેરા પરની રેખામાં જરાપણ ફેરફાર લાવ્યા વિના પોતાના અસીલનો કેસ કોર્ટમાં લડ્યા હતા. આવા સંયમી અને કાર્ય પ્રત્યેની નિષ્ઠાવાળા વકીલ સરદાર પટેલ હતા. ૧૯૨૮માં બારડોલીનો સત્યાગ્રહ વલ્લભભાઈના નેજા નીચે લડવામાં આવ્યો હતો. તેણે એવી કાર્યકુશળતાથી અને ખેડૂતોની સંગઠ્ઠિત તાકાતથી તેમાં વિજય હાંસલ કર્યો. જે તાકાત તલવાર નથી કરી શકતી તેથી વિશેષ અહિંસાની તાકાતનો પરચો બતાવ્યો. આ પ્રસંગે વિદેશી અખબારોએ લખ્યું-“બારડોલી તાલુકામાં યુનિયન ઝેક ઊતરી ગયો છે.' શિવાજી મહારાજે મોગલ શહેનશાહને તોબા પોકારાવી હતી તેમ સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહમાં અંગ્રેજોના પગે પાણી ઉતારી દીધું હતું. તેમના આક્રોશભર્યા વક્તવ્યમાં જબરી તાકાત હતી તેના કારણે ખેડા જિલ્લાની માટીમાંથી મર્દો પેદા થવા લાગ્યા હતા. એટલે જ મહાત્મા ગાંધીજીએ તેમને સરદારનું બિરૂદ આપ્યું હતું. આ દેશમાં સરદાર ભગતસિંહ અને સરદાર વલ્લભભાઈ પટેલ બે જ સરદારો પેદા થયા છે. નેતાઓ તો અનેક હશે પણ સરદાર તો જવલ્લે જ હોય છે. કારણ કે સરદાર સિદ્ધાંતમાં બાંધછોડ કદી કરતા નથી. અંગત લાભ ખાતર સમજતી કરતા નથી. તે વાસ્તવિકતાની ભૂમિ પર પોતાના પગ રાખી ચાલે છે. તેમના જીવનમાં કલ્પનાવિહારને સ્થાન નથી. તે આદર્શવાદી વિચારો ધરાવે છે. પણ વેવલા હોતા નથી. વ્યવહારિકતા અને આદર્શનો સુમેળ કરનાર સરદાર એટલે જ આવતા દિવસોમાં પૂજાવાના પથપ્રદર્શક હતું. ગાંધીજી પણ હિંદુસ્તાનના બે ભાગલા કોઈ કાળે ઇચ્છતા ન હતા. પણ સરદાર પટેલના વ્યવહારિક ડહાપણના કારણે તેમણે સ્વીકારી લીધા. તેમણે ભારતને મુત્સદીગીરી, દઢ વહીવટ અને કુનેહ પૂરા પાડ્યા તેનું દૃષ્ટાંત દેશના વિભાજન પછી પાકિસ્તાનનું સૈન્ય શ્રીનગરના સીમાડા સુધી આવી ગયું ત્યારે વિચારણા કરવા બેઠેલા ચિંતીત વડાપ્રધાન, પદાધિકારી અને સેનાપતિઓ વચ્ચે સરદાર પટેલ રણકી ઊઠ્યા. “કોઈપણ ભોગે અને ગમે તેવા પ્રતિકૂળ સંજોગો વચ્ચે કાશ્મીર બચવું જોઈએ. હવાઈ માર્ગે કાશ્મીરને મદદ પહોંચાડવાની વ્યવસ્થા આવતી કાલે સવારે થઈ જશે. “યાહોમ કરીને કૂદી પડો” તેવી લશ્કરને હાકલ આજે દરેક પ્રશ્નને આવી નિર્ણાયક શક્તિ અને સંકલ્પબળ કેળવવા તેમના જીવનમાંથી દેશ નેતાઓએ પ્રેરણા લેવા જેવી છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ને પંડિત નહેરુ તેના પહેલા વડાપ્રધાન બન્યા તે દિવસથી આજ સુધી વિવિધ શાસકો દ્વારા કોઈ અગમ્ય કારણોસર સરદાર પટેલની આઝાદીની લડતમાં ક્યારેક આક્રમક તો ક્યારેક ચાણક્ય જેવી અત્યંત મહત્ત્વની ભૂમિકા તેમજ તેમનાં કાર્યોની ભારોભાર ઉપેક્ષા કરવામાં આવી છે. તેમાંય, જે પેઢી આઝાદીનાં ૨૫ વર્ષ પછી જન્મી છે અને ભારતનું ભવિષ્ય જેના હાથમાં છે તેવી સાવ નાની પેઢીને તો સરદાર પટેલની ઓળખથી સાવ અળગી રાખવાના જે હીન પ્રયાસો થયા છે તેને કયા શબ્દોમાં વખોડવા તે સમજાતું નથી. નવી પેઢી મહાત્મા ગાંધી, નહેરુ, મૌલાના આઝાદ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, લોકમાન્ય તિલક કે લાલા લજપતરાય વિષે કદાચ જેટલું જાણે છે તેટલું સરદાર પટેલ વિષે નથી જાણતી. ૧૯૫૯ના મે મહિનામાં રાષ્ટ્રપતિ શ્રી ડૉ. રાજેન્દ્ર પ્રસાદે લખ્યું હતું, “આજે આપણે જેનો વિચાર અને વાત કરીએ છીએ તે ભારત ઘણે અંશે સરદારની મુત્સદીગીરી અને દૃઢ વહીવટી કુનેહને કારણે છે. તેમ છતાં તેમને અવગણવામાં આવે છે તે આપણને કેમ ખૂંચતું નથી?” આ પ્રસંગને યાદ કરીને ૧૯૭૨માં ભારતના પ્રથમ ગવર્નર જનરલ શ્રી રાજગોપાલાચારી સ્પષ્ટ ભાષામાં શબ્દોની કોઈ રમત વિના લખે છે. “નહેરુને વિદેશ પ્રધાન થવાનું જણાવ્યું હોત અને સરદારને પ્રધાનમંત્રી બનાવ્યા હોત તો ખરેખર સારું થાત એ શંકા વગરની વાત છે.” તા. ૩૦મી મે અને ૧ લી જૂને પાંચમી ગુજરાત રાજકીય પરિષદના પ્રમુખપદેથી સરદાર પટેલે પોતાના સ્વપ્નનું ભારત કેવું હશે. તેની કલ્પના રજૂ કરતાં કહ્યું હતું કે, “આપણે એવું નવી પેઢી કદાચ જાણતી નથી કે આજે તે જે મુક્ત હવામાં આઝાદીના શ્વાસ આ વિશાળ ભારત દેશમાં લઈ રહી છે તેના મહત્ત્વના શિલ્પી પાટીદાર સમાજમાં જન્મેલા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. જેમણે અખંડ ભારતનું સ્વપ્ન સેવ્યું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy