SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ૬૧૧ પાટીદાર સમાજના પ્રતિભાવંતો – ગોરધનદાસ સોરઠિયા સૌરાષ્ટ્રમાં પટેલ તરીકે ઓળખાતી કોમ એક ખમીરવંતી જ્ઞાતિ છે. કૃષિ, વ્યવસાય, શિક્ષણ અને રાજકારણને ક્ષેત્રે પણ તે પ્રભાવી છે અને ગામડાંઓની કરોડરજ્જુ સમાન છે. પટેલોની હિંમત, સાહસ, પરિશ્રમ, પ્રામાણિકતા, ખડતલતા, ગમે તેવી નિરાશાજનક પરિસ્થિતિમાં પણ ધૈર્ય ન ગુમાવે. એની નસેનસમાં હિકમત, હુન્નર અને હિંમત ભર્યા છે. પટેલોને મદદ માટે કોઈ સંસ્થા કે સહાયની જરૂર નથી. દરેક પટેલ પોતે જ એક વટવૃક્ષ છે. સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જ્યાં પટેલ વસતી નહીં હોય! પટેલોની જીભ જરા કડવી છે, પણ એનામાં ધરતી ફાડીને ધાન પેદા કરવાની ખુમારી છે. સૌરાષ્ટ્રની લેઉવા પટેલ કોમે કેવી કેવી વિભૂતિઓ પેદા કરી છે તેની પણ લાંબી યાદી પૈકી થોડાક અંશો જોઈએ. સર્વ પ્રથમ ફતેપુર (અમરેલી) સંતવર્ય ભોજા ભગત, ધોરાજીના તેજા ભગત, સ્વામીનારાયણ સંપ્રદાયના નાની કુંકાવાવના સંતશ્રી કૃષ્ણચરણદાસજી, વાંકીયાના પુરાણી શ્રી ગોપીનાથદાસજી અને શ્રી નારાયણદાસજી, મોટી કુંકાવાવના શાસ્ત્રીશ્રી કૃષ્ણવલ્લભાચાર્યજી, તરવડાના શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસજી, તોરીના શાસ્ત્રીશ્રી ધર્મવલ્લભદાસજી, ખડકાળાના સંન્યાસી શ્રી વાસુદેવાનંદના ઉપદેશથી નવ પટેલોએ સંન્યાસી ધર્મ સ્વીકાર્યો હતો. પટેલ સમાજના ઉત્થાન માટે પણ મહાન પુરૂષો થયા છે. જેમાં અમરેલીના વકીલ શ્રી વીરજીભાઈ અને તેના પુત્ર શ્રી મોહનભાઈ સેંજલિયા, તોરીના શ્રી શંભુભાઈ બોરડ, ખજારી પીપળીયાના શ્રી ઊકાભાઈ માસ્તર, ચિત્તલના શ્રી રાણા આતા પાનેલિયા અને શ્રી ઠાકરશીબાપા દેસાઈ, જાળિયાના શ્રી મોહનભાઈ નાકરાણી, કંડલાના શ્રી દેવશીભાઈ કાનાણી વગેરે. શ્રી ગોરધનદાસ સોરઠિયા-પાટીદાર સમાજના પ્રતિભાવંતોનો પરિચય કરાવે છે ડૉ. રસેશ જમીનદાર, એક નોંધમાં લખે છે કે “અમરેલીના વિખ્યાત પત્રકાર અને શ્રેષ્ઠ અહેવાલ એવોર્ડ વિજેતા શ્રી ગોરધનદાસ સોરઠિયા નિર્ભીક વ્યક્તિ છે. એમનું પત્રકારપણું ફકીરી પ્રકારનું છે. ધ્યેય પ્રજાસમસ્તના પ્રશ્નોને વાચા આપવાનું અને લોકોને સંસ્કારી વાચન પૂરું પાડવાનું. શાળા-મહાશાળા-મહાવિદ્યાલય-વિશ્વવિદ્યાલય સમી શિક્ષણસંસ્થાઓની ઔપચારિક શિક્ષણ પ્રક્રિયાથી તદ્દન અપરિચિત ગોરધનભાઈ લેખનકળામાં જાણે ગળથુથીમાંથી સંસ્કાર પામ્યા હોય તેવી છટાથી લખે છે. તેમણે પાટીદાર જ્ઞાતિ વિશે લખાણો આપ્યાં છે. ધર્માચાર્યો વિશે પુસ્તિકાઓ આપી છે. થોડાંક વ્યક્તિચરિત્રો આપ્યાં છે. એમનો અમરેલીની આરસી' નામનો અમરેલી જિલ્લાનો સંદર્ભગ્રંથ એટલો ઉપયોગી નીવડ્યો છે કે થોડા સમયગાળામાં એની ત્રણ આવૃત્તિ પ્રગટ થઈ. આર્થિકોપાર્જનની દૃષ્ટિએ એમનાં લખાણોમાં અનાસક્તિ છે. પ્રકાશન કરવાનું કાર્ય લોઢાના ચણા ચાવવા જેવું છે અને તે પરિસ્થિતિમાં પણ એમણે એકસો જેટલાં નાનાં મોટાં પ્રકાશનો કર્યા છે. પ્રૌઢશિક્ષણની દૃષ્ટિએ એમનાં આ બધાં પ્રકાશનો ખૂબ જ ધ્યાનાર્હ બની રહે છે. કેટલાંક પ્રકાશનો તો ભાવિ અન્વેષણકારોને માટે પ્રાથમિક સાધનસામગ્રીની ગરજ સારે તે પ્રકારનાં છે. હકીકતમાં એમણે ધૂળધોયાનું કામ કર્યું છે એમ નિઃશંક કહી શકાય. એમનાં બધાં લખાણો આમ તો સમર્પણભાવથી છલોછલ ભરેલાં છે. એમની રજૂઆત નિખાલસ છે. વાક્યો સાદાં છતાં ચોટદાર છે. સંશોધનનું કોઈ વળગણ એમની કોટે બંધાયેલું નથી. સમાજે એમને જે આપ્યું છે તેનું ઋણ અદા કરવા વાસ્તેનાં એમનાં આ પ્રકાશનો છે એવું તેઓ નમ્રભાવે જણાવે છે.” એવું ખસૂસ કહી શકાય કે પદવી પ્રમાણપત્ર વિનાના સાક્ષરજન એટલે ગોરધનદાસ. શ્રી સોરઠિયાને ધન્યવાદ. – સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy