SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪ પથપ્રદર્શક દેશી-વિદેશી વિદ્વાન પ્રવાસલેખકોની દષ્ટિએ પટેલો દેશ અને દુનિયામાં – પ્રો. જશવંત શેખડીવાળા દેશ અને દુનિયામાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાવંતા પટેલોએ મેળવેલી સિદ્ધિઓ ઉપરની આ લેખમાળાના લેખકનું ગુજરાતના સાહિત્ય જગતમાં બહુ જાણીતું નામ છે. સ્વભાવે મોજીલા અને ઉદારમતવાદી છે. તો આવો એમનો પરિચય મેળવીએ. તા. ૩-૭-૧૯૩૧ના રોજ જન્મેલા શ્રી જશભાઈ મણિભાઈ પટેલ સાહિત્યમાં શ્રી જશવંત શેખડીવાળાના નામે જાણીતા છે. વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક-ગુજરાતી વિભાગમાં લગભગ પાંત્રીસ વર્ષ સુધી તેઓએ વિદ્યાર્થીઓને એમ.એ., એમ.ફીલ. અને પીએચ.ડી. કક્ષાએ ભણાવ્યા છે. તેઓ યુનિ.ની ફેકલ્ટી ઑફ આર્ટ્સના ડીન રહી ચૂક્યા છે. વિવેચક તરીકે તેમનાં સાહિત્ય વિવેચનના દોઢસોથી વધારે અભ્યાસલેખો “બુદ્ધિપ્રકાશ', સંસ્કૃતિ', ‘ગ્રંથ', રુચિ, ‘ક્ષિતિજ', “અભ્યાસ', “પરબ', “શબ્દસૃષ્ટિ', “તાદર્થ્ય', વિગેરે સામાયિકોમાં પ્રકાશિત થયા છે. તેમના પ્રકાશિત વિવેચન સંગ્રહોમાં નાટ્યલોક', “સાહિત્યલેખ”, “ગુજરાતી નવલકથા : ફેરવિચારણા' વગેરે પ્રસિદ્ધ છે. તદુપરાંત “લોકસાહિત્ય-આલોક’. ‘વિવેચનાલોક'. “સાહિત્ય પરિક્રમા' નામક વિવેચનસંગ્રહોની પૂરી હસ્તપ્રતો પ્રકાશન માટે તૈયાર છે. સ્વતંત્ર રૂપમાં કે અન્યના સહયોગમાં તેમણે કરેલાં સંપાદનોમાં “કાવ્યમધુ', કાવ્યસુધા’, ‘ગદ્યગરિમા, ‘વાર્તાસંચય', “વાર્તામધુ’, ‘લોકગુર્જરી’ ગ્રંથ ૧૧ અને ૧૨, ‘બટુકભાઈ ઉમરવાડિયાસમગ્ર સાહિત્ય', ‘વિવિધા'–પેટલીકર ષષ્ટિપૂર્તિ-ગ્રંથ, “સરદાર' સરદાર શતાબ્દી ગ્રંથ વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લાં ચૌદ વર્ષથી તેમના વતનના ગામ શેખડી, તા. પેટલાદ, જિ. આણંદમાં નિવૃત્ત જીવન ગાળે છે. શ્રી શેખડીવાળાને ખૂબ ખૂબ અભિનંદન. - સંપાદક પટેલ' તરીકે ઓળખાતી કોમ (લેઉવા, કડવા, આંજણા, મતિયા પાટીદાર) ગુજરાતની એક ખમીરવંતી જાતિ છે. કૃષિ, વ્યાપાર, ઉદ્યોગ, વ્યવસાય ક્ષેત્રે જ નહિ-સાહિત્ય, કલા, શિક્ષણ, રાજકારણને ક્ષેત્રે પણ તે અગ્રણી છે. ગુજરાતના ગ્રામજગતની તો તે કરોડરજ્જુ છે. બિન-પટેલ દેશી-વિદેશી લેખકોએ પણ | તેનાં હિંમત, સાહસ, ખડતલતા, દઢતા, પહેલ કરવાની વૃત્તિ, પરિશ્રમપ્રીતિ, વ્યવહારસૂઝ, ધૈર્યશીલતા, ઔદાર્ય, ધન-દોલત કમાવાની આવડત અને વ્યક્તિ સમષ્ટિના હિત ખાતર મોટાં દાન કરવાની તત્પરતાની નોંધ લીધી છે અને તેની પ્રશંસા કરી છે. સ્વામી સચ્ચિદાનંદજી, ચન્દ્રકાન્ત બક્ષી, ગુણવંત શાહ, ભગવતીકુમાર શર્મા, પ્રીતિ સેનગુપ્તા, મૂળચંદ વર્મા આદિ લેખકોના પ્રવાસગ્રંથો અને અંગ્રેજ લેખક જ્હોન ડોડના લેખ વાંચતાં તે જોઈ શકાય છે. સ્વામી સચ્ચિદાનંદજી પટેલોને અનુલક્ષી, તેમના પુસ્તક “આપણે અને પશ્ચિમ' (પ્ર. આ. ૧૯૯૫) માં, અહોભાવપૂર્વક લખે છે : “.....આ પટેલો મહા ગજબની પ્રજા છે. વિશ્વના કોઈ પણ દેશમાં, કોઈ પણ ખૂણામાં, કોઈ પણ ધંધામાં લગાડો, બસ લાગી જશે; એટલું જ નહિ, થોડા જ સમયમાં એકસપર્ટ થઈ જશે. બીજી પ્રજા તો રડી રડીને મરી જાય, પણ પટેલો એટલે પટેલો. ગમે તેવી નિરાશાજનક સ્થિતિમાં પણ હિમ્મત અને સાહસ ન ગુમાવે. એક જ વાક્ય બધી નિરાશાને ખંખેરી નાખે : “એની માને પરણું!' (પૃ. ૩, ૪) “પટેલો ક્યાં નથી પહોંચ્યા? અને કઈ ઊંચી જગ્યા નથી મેળવી?....વ્યક્તિત્વવાળી પ્રજા પોતાની મેળે ઊભી થઈ જતી હોય છે અને લાંબો સમય ટકતી હોય છે.” (પૂ. એજન, પૃ. ૩૫૫) “છેલ્લાં ચાલીસ વર્ષમાં ભારતની કોઈ પણ જાતિ કરતાં સૌથી વધુ કાઠું પાટીદારોએ કાઢ્યું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy