SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ મને યાદ છે ત્યાં સુધી ખંભાતમાં લૉ કૉલેજના વાર્ષિકોત્સવ તા. ૨૨-૨-૮૨ના રોજ પ્રમુખસ્થાનેથી રાવકાકાએ કહ્યું હતું કે, “મતભેદોની દિવાલો એટલી ઊંચી ન ચણાય કે બાજુમાં શું ખોટું કે સાચું ચાલે છે તેની ખબર ન પડે. પડોશીને દૂધ કે છાશ શાની જરૂર છે તે જોઈ શકાય અને હાથ લંબાવી મદદ કરી શકાય. રત્ન પારખુ ખંભાત આ માનવરત્નને કેમ કરીને ભૂલશે? ખંભાતને એના અકીક જોડે જેવો સંબંધ છે, એવો એમનો સંબંધ ખંભાત જોડે થઈ ગયો છે. દાન આપવાની બાબતમાં પહેલાં એ તમામ પ્રશ્નો પૂછી લે તેનું તળિયું, નળિયું કાઢી લે પછી તેને ન ધારી હોય તેવી માતબર રકમનું દાન આપી અને તુરત જ ચેક પણ આપી દે. આવા દિલના દોલા અમારા રાવકાકા છે. ૭૮ વર્ષે પણ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ જોવા મળે છે. (સોમા એક શૂરવીર જન્મે, હજારમાં એક પંડિત, દશ હજારે એક વક્તા જન્મે પરંતુ દાતા તો ક્યારેક જ જન્મે.) રાવકાકાએ પોતાનાં આખાય કુટુંબને એક પરિવારની જેમ રાખ્યું છે. તેમની ત્રણેય પુત્ર સમોવડી પુત્રીઓને પણ સંયુક્ત કુટુંબની ભાવના સદાય જળવાય તથા પોતાના તમામ ગુણોનું અને સંસ્કારોનું સિંચન કર્યું છે. જેમ વૃક્ષ મીઠું હોય તેમ તેનાં ફળો પણ તેટલાં જ મીઠા હોય છે. રાવકાકાનું સમગ્ર જીવન એક ફકીર ઓલિયા જેવું કહી શકાય. તેમના ઉપર ઘણી મુશ્કેલીઓ આવી, વિટંબણાઓ આવી છતાં તેઓ અડીખમ Jain Education International ૬૦૩ ઊભા રહી પોતાનાં ધ્યેય, લક્ષ પ્રત્યે આગળ જ વધ્યા. જીવનમાં તેમણે ઘણી ઊંચી છલાંગો પણ મારી છે અને ન કલ્પી શકાય તેટલો દરિયાઈ વેપાર ખેડ્યો છે. સાથે નાનામાં નાની વાતનું પણ તેટલું જ ધ્યાન રાખ્યું છે. રાવકાકાએ શૂન્યમાંથી સર્જન કર્યું છે અને રાજકારણથી તેઓ હંમેશા દૂર રહ્યા છે. ``Service of humanity is service to God." આજ તેમનો જીવનમંત્ર રહ્યો છે. રાવકાકાએ જે માનવ કલ્યાણ માટે દાનનો ધોધ વહેરાવ્યો છે તે જોતાં બ્રહ્મભટ્ટ જ્ઞાતિમાં છેલ્લાં ૧૦૦ વર્ષમાં આવા દાનવીર કર્ણ પેદા થયા નથી. ઇતિહાસ તેનો સાક્ષી છે અને આવતાં ૧૦૦ વર્ષમાં આવા દાનવીર પેદા થશે કે કેમ તે મને શંકા છે. બ્રહ્મભટ્ટજ્ઞાતિમાં કરોડપતિ તો ઘણા છે અને થશે, પરંતુ દાનવીર ભગવતીલાલ રાવ કદાચ બીજા પેદા નહીં થાય. યાવચંદ્ર દિવાકરૌ જેવી નામના તેમણે મેળવી છે. કેટલાક મહાનુભાવોનું વ્યક્તિત્વ અને કર્મજીવન એટલું વિરાટ હોય છે કે તેમને કોઈપણ એવોર્ડ, માન સન્માન, માનપત્ર, ખિતાબ, થેલી (માનધન) કે જન્મજયંતિઓની ઉજવણીના પ્રસંગોથી માપી ન શકાય. એમનું કદ એટલું વિસ્તૃત અને વિશાળ હોય છે કે એમનાં માટેની માન પ્રદાનની કોઈપણ ચેષ્ટા ટૂંકી જ સિદ્ધ થાય. તેઓ કોઈપણ માન સન્માનથી વેંત ઊંચા જ હોય છે. તેમનાં સત્કૃત્યો સદા ઝળહળતા રહો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy