SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૧ પ્રતિભાઓ સંશોધનના મુખ્ય વિષયો હિંદુવિવાહ, હિંદુ કુટુંબ અને રક્તસબંધ રહ્યા છે. તેમણે દક્ષિણ ગુજરાતના ગામડાઓની વિકાસની પ્રક્રિયા તેમને જ્ઞાતિમાં થતા પરિવર્તનોના અભ્યાસો કરી અનેક લેખો લખ્યા હતા. તે લેખો સમાજશાસ્ત્રની પત્રિકા સોશ્યોલોજીકલ બુલેટીન' માં પ્રસિદ્ધ થયા હતા. તેમને તેમનું પ્રખ્યાત પુસ્તક “ભારતમાં લગ્ન અને કુટુંબ માં ડૉ. કાપડિયાએ હિન્દુ જીવનદર્શન ઔર મુસ્લિમ જીવનના દૃષ્ટિકોણનું વિશદ વિવેચન કરી હિન્દુ અને મુસ્લિમોની લગ્નપ્રથા કુટુંબપ્રથા સાથે સંબંધિત બાબતો અને તેમાં આવેલા પરિવર્તનો પર ખૂબ જ અભ્યાસપૂર્ણ પ્રકાશ ફેંક્યો છે. આ સિવાય તેમણે બહુપતિત્વ અને બહુપત્નીત્વપ્રથાના ઇતિહાસના મૂળ સુધી જઈ તેના ધાર્મિક પૃષ્ઠભૂમિ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. | ડૉ. કાપડિયાએ હિંદુઓની સામાજીક સંગઠનનો આધાર આશ્રમવ્યવસ્થામાં છે તેમ જ ગૃહસ્થાશ્રમનું વિવેચન તેમણે હિંદુલગ્ન એક સંસ્કાર છે. ના સ્વરૂપમાં દર્શાવ્યું છે. આધુનિકતા, શિક્ષણ, ઉદ્યોગીકરણ, શહેરીકરણ વિગેરેનું પ્રભાવ હિંદુ લગ્નપ્રથા અને કુટુંબપ્રથા પર પડીને ભવિષ્યમાં પરિવર્તનનો સંકેત પણ તેમના અભ્યાસો દ્વારા મળે છે. | મુંબઈ યુનિવર્સિટીમાં ડૉ. ધર્યો પછી સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે સ્વીકારનાર ડૉ. કાપડિયાની ગણના ભારતના સમાજશાસ્ત્રીઓના પ્રથમ પીઢીના સમાજશાસ્ત્રી તરીકે થાય છે. ડૉ. કાપડિયા પર ડૉ. ધુના સંશોધનો, પરિપ્રેક્ષ તેમ જ પદ્ધતિ પર સ્પષ્ટ પ્રભાવ પડેલો જોવા મળે છે. ડૉ. ધુર્યોની જેમ જ તેમણે પણ તેમના અભ્યાસોમાં પૌરાણિક સંસ્કૃત, સાહિત્ય, બૌદ્ધ ધર્મ, યાત્રીઓના યાત્રાવર્ણન, વૃત્તાંતો તેમ જ દસ્તાવેજોનો ભરપૂર ઉપયોગ કર્યો છે. તેમના અભ્યાસોનો મૂળ સ્વરૂપ મોટાભાગે “ઇન્ડોલોજીકલ” રહ્યું છે. સાથોસાથ તેમના અભ્યાસોમાં આધુનિક અભ્યાસપદ્ધતિનો પણ તેમણે ઉપયોગ કરેલ છે. ડૉ. કાપડિયાને ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદ'નું સંચાલન પણ કર્યું હતું. તેમને સોશ્યાલોજીકલ બુલેટીનના સંપાદનમાં પણ સક્રિય કામગીરી બજાવી હતી. પ્રમુખ કૃતિયા -1947-Hindu Kinship -1955-Marriage and Family in India (સંકલન : ડો. સુમનબેન ચૌધરી) ડૉ. વિમળભાઈ પી. શાહ ડૉ. વિમળભાઈ શાહે ગુજરાત યુનિવર્સિટી એમ.એ. (સમાજશાસ્ત્રી અને વિસ્કોન્સિન યુનિવર્સિટી પી.એચ.ડી. (સમાજશાસ્ત્ર) ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં રિસર્ચ અસોસિયેટ તરીકે અને ફોર્ડ ફાઉન્ડેશન નવી દિલ્હીમાં પ્રોગ્રામ અસોસિયેટ તરીકે કામગીરી બજાવી છે. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં ૨૪ વર્ષ અધ્યાપનકાર્ય કરીને નિવૃત્ત થયા પછી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રીસર્ચ, ગોતા અમદાવાદમાં માનદ્ સિનિયર ફેલો તરીકે કામ કરે છે. તેમણે સામાજીક, આર્થિક, પરિસ્થિતિ અને શૈક્ષણિક આકાંક્ષાઓ, સિદ્ધિઓ, હરિજનો / આદિવાસીઓના શૈક્ષણિક પ્રશ્નો, ગ્રામ-શહેર આંતરક્રિયાઓ, કુટુંબ વગેરે અંગે ઘણા સંશોધન લેખો અને મોનોગ્રાફ પ્રસિદ્ધ કર્યા છે. સામાજીક શાસ્ત્રોમાં સંશોધન પદ્ધતિઓ, આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ અને કોમ્યુટરનો ઉપયોગ એ તેમના અધ્યયન-અધ્યાપનના તેમ જ સંશોધનના કેન્દ્રીય રસના વિષયો છે. તેમની લેખનકૃતિઓ આ પ્રમાણે છે. -સંશોધન અહેવાલ લેખન–૧૯૮૮ -સંશોધન ડિઝાઈન–૧૯૯૦ | (સંકલન : ડૉ. સુમનબેન ચૌધરી) મહિલા સશક્તિકરણના હિમાયતી' . પ્રા. ડો. હેમિક્ષાબેન રાવ ગુજરાતમાં યુનિવર્સિટી કક્ષાએ વર્તમાન સમયમાં સૌથી નાની ઉંમરે સમાજશાસ્ત્રના વિભાગનું સુકાન (અધ્યક્ષ) સંભાળનાર ડૉ. હેમીક્ષા રાવ છે. તેઓએ પોતાની કારકિર્દીનો પ્રારંભ મહુધા કોલેજથી (મહુધા) શરૂ કરેલો. ત્યારબાદ એ. કે. દોશી મહિલા કોલેજમાં સેવા આપેલી હતી. (૧૯૭૭-૮૧) તેઓ એમ.એ., એમ.ફીલ. અને પી.એચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. તેઓ સંશોધનની પ્રારંભિક કેડી “માનવશાસ્ત્રમાં કંડારેલી હતી. તેઓના મહત્ત્વના આયામોમાં, | (૧) ઘોડીયા ઘરનું મૂલ્યાંકન (૨) એમ.આઈ.વી. એઈસ પરના પાંચ પ્રોજેક્ટ (Sponsoread By NACO) 74 Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy