SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસનું ઉત્તુંગ શિખર ડો. યૂથી માત્ર ગુજરાતમાં જ નહીં પરનું ભારતમાં પણ અક્ષયકુમાર નોંધે છે કે, ધૂર્યો, આઈ. પી. દેસાઈ, અને પ્રો. મુકરજી બાદ ભારતમાં વિશેષતઃ ગુજરાતમાં ડો. યૂથીનું સ્થાન રહેલું છે. ડો. યૂથીનો “ગુજરાતના વૈષ્ણવો” ઉપરનો અભ્યાસ નોંધપાત્ર છે. તેમણે તે ગ્રંથ સિવાય નિબંધો અને સામયિકોમાં લેખો પણ લખ્યા છે, પરંતુ પોતાના સ્વતંત્ર અભ્યાસોનાં પ્રકાશનો ઘણાં જ ઓછા છે. પ્રો. યૂથી મૂર્તિકલા અને શિલ્પસ્થાપત્યના પણ ઊંડા અભ્યાસી હતા. આ સર્વ જ્ઞાનનો તેમણે ઘણા ઊગતા અભ્યાસીઓને લાભ આપ્યો છે. ડો. યૂથીની બીજી દેણગી તેમણે પોતાના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓ પાસે અનેક ક્ષેત્રોમાં વિકસાવેલા અભ્યાસોમાં વ્યક્ત થાય છે. તેમના વિદ્યાર્થીઓએ એમ.એ. અને પી.એચ.ડી. માટે ઠીક ઠીક અભ્યાસો ખીલવ્યા હતા. સ્વ. પ્રો. પ્રતાપગીરી, પ્રો. અંજારિયા, શ્રી ઘીવાળા, તેમની નીચે તાલીમ પામ્યા હતા. તેમની નીચે પછાત જાતિઓના અભ્યાસો થયા હતા. તેમના માર્ગદર્શન હેઠળ બ્રિટીશ યુગ પહેલાના ગુજરાત અંગે ડો. મુંજુલાલ મઝમુદારે મહાનિબંધ લખ્યો હતો. તેમના વિદ્યાર્થીઓએ ભારતીય સંગીત અને ભારતીય નૃત્ય અંગે સમાજશાસ્ત્રીય ભૂમિકાથી આલેખનો કરવાનો અને કલાના સમાજશાસ્ત્રના વણખેડાયેલા ક્ષેત્ર છે. તેમના માર્ગદર્શન નીચે તૈયાર થયેલો ડો. જયકરનો મુંબઈની ગણિકાઓ ઉપરનો મહાનિબંધ પણ સમાજશાસ્ત્રના અભ્યાસોના પરિઘમાં એક નવા ક્ષેત્રને આણી દે છે. ગુજરાતમાં સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક અભ્યાસો માટે જાણીતા અને હમણાં જ નિવૃત્ત થયેલા ડો. મજમુદાર પણ ડો. શ્થીના વિદ્યાર્થી હતા. ડો. યૂથીએ પ્રથમ બોમ્બે યુનિવર્સિટીમાં કાર્ય કર્યું, અને ત્યારબાદ જીવન પર્યંત તેઓએ સરદાર પટેલ યુનિવર્સિટીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તેઓ નિવૃત્ત પણ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી જ થયા. ડો. એ. એસ. પટેલ, ડો. યૂથીના વિદ્યાર્થી હતા તેમણે ખેડા જીલ્લાની શાળાઓમાંથી ગાપચી મારતા વિદ્યાર્થીઓ ઉપર કામ કર્યું છે. જે કાર્ય માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ તેમની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નોંધ લેવાયેલ છે. પ૦૫ આઈ.આઈ.એમ.ના ભૂતપૂર્વ પ્રાધ્યાપક અને ડાયરેક્ટર ડો. એન. આર. શેઠ બરોડા જુથ યુનિવર્સિટીએ સમાજશાસ્ત્રની આગવી કેડી કંડારેલ છે, ત્યાં ભારતના પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રી એમ. એન. શ્રીનિવાસ, આઈ.પી. દેસાઈ, શ્રી અને શ્રીમતી પંચનદીકર જેવા મહાનુભાવોએ સેવા આપેલ છે તેમાં એક સમાજશાસ્ત્ર અને અર્થકારણ સાથે નિસ્બત ધરાવતા ડો. એન. આર. શેઠ અગ્રગણ્ય પ્રાધ્યાપક છે. એક ગુજરાતી તરીકે તેઓએ પ્રથમ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આઈ.આઈ.એમ.ના પ્રાધ્યાપક અને ડાયરેકટરનું બહુમાન પ્રાપ્ત કરેલ હતું. તેઓએ પી. જે. પટેલ (કુલપતિ, એસ. પી. યુનિવર્સિટી) કે જેઓની સમાજશાસ્ત્રના રાષ્ટ્રીયકક્ષાના પ્રાધ્યાપકમાં ગણના થાય છે તેમની સાથે લેખન અને અધ્યાપન કાર્ય કરેલ છે. ભારતમાં ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં સંશોધન અને અભ્યાસ કરનારા તેઓ પ્રથમ સમાજશાસ્ત્રી હતા, તેમણે બરોડામાં ‘જ્યોતિ' ઔદ્યોગિકગૃહ કે જે સમયે ગુજરાતમાં સૌથી મોટું ઔદ્યોગિક એકમ હતું તેનો અભ્યાસ કરેલો. પોતાની નિવૃત્તિ બાદ તેઓએ પાંડુરંગ શાસ્ત્રીની પ્રવૃત્તિનો અભ્યાસ સમાજશાસ્ત્રીય ઢબે કરેલ. સાથોસાથ પાંડુરંગજીનો સ્વાધ્યાય પ્રવૃત્તિની સમીક્ષા અને વિવેચન કરેલ હતું. તેમના આ અંગેના લેખો સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકાશિત થયેલા છે, વંચાયા છે અને વ્યાપક રીતે તેની ચર્ચા થયેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા પ્રતિવર્ષ યોજાતી સ્વ. એ. આર. દેસાઈ વ્યાખ્યાન માળાના તેઓ પ્રથમ વક્તા હતાં. તેઓ ૧૯૮૬ થી ૧૯૮૯ સુધી ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના પ્રમુખ હતા. હાલમાં તેઓ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે, અને આઈ.આઈ.એમ.માં મુલાકાતી પ્રાધ્યાપક તરીકેની સેવા આપે છે. ગુજરાતની જ્ઞાતિ પ્રથાનું પરંપરાગત તેમજ આધુનિક વિહંગાવલોકન કરનાર વિવેચક પ્રા. (ડો.) એ. એમ. શાહ ડો. એ. એમ. શાહ ભારતના પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક એમ. એન. શ્રીનિવાસના વિદ્યાર્થી હતા. તેઓએ તેમની કારકિર્દીનો પ્રારંભ બરોડા યુનિવર્સિટીમાં કરેલ હતો, અને ત્યારબાદ દિલ્હી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy