SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ પ૦૩ ગુજરાતના સમાજશાસ્ત્રીઓ –(ડો.) હરેશકુમાર એસ. ઝાલા માનવજીવનને અને તેનાં સર્જનોને સમજવા અનેક પ્રકારના અભ્યાસો અને શાસ્ત્રો વિકસતાં જાય છે. સામાજિક સંબંધોને જ કેન્દ્રમાં રાખીને વિકસતું જતું સામાજિક વિજ્ઞાન એટલે જ સમાજશાસ્ત્ર. ગુજરાતે જેમ વિવિધક્ષેત્રે અનેક પરિવર્તનો જોયાં, અનેક નરપુંગવોએ જેમ પોતાના ક્ષેત્રમાં પ્રબળ ક્ષમતાનું દર્શન કરાવ્યું તેમ સમાજશાસ્ત્રીઓએ પણ મૂલ્યવાન પ્રદાન નોધાવીને અનોખી ભાત પાડી છે. સંશોધન, પ્રકાશન અને ગુજરાતના સમાજશાસ્ત્રને એક નવી દિશા, માર્ગદર્શન આપ્યું છે. ગુજરાતમાં ૧૯૪૮-'૫૧ના ગાળામાં બરોડા અને ભાવનગરમાં સમાજશાસ્ત્ર વિષયનો પ્રારંભ થયો. પ્રસ્તુત લેખમાળામાં કર્મલક્ષીઓની જીવન સાધનાનું સુપેરે દર્શન કરાવ્યું છે. પ્રસ્તુત, “ગુજરાતના સમાજશાસ્ત્રીઓ” ની લેખમાળા રજૂ કરનાર (ડૉ.) હરેશકુમાર એસ. ઝાલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાજશાસ્ત્રભવનમાં રીડર તરીકેની સેવા આપી રહ્યા છે, એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરેલ છે. નાઘેર' વિસ્તારની કોળી જ્ઞાતિ પર તેમણે પી.એચ.ડી. કરેલ છે. સમાજશાસ્ત્રમાં અસંખ્ય પુસ્તકો અને અભ્યાસ લેખો લખ્યા છે. તેઓએ અનેકવિધ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક વર્કશોપ, પરિષદ અને કોન્ફરન્સમાં હાજરી આપી છે. ડૉ. ઝાલાના પિતાશ્રી શામજીભાઈ ઝાલા કુંડલિયા બી.એડ. કૉલેજમાં આચાર્ય તરીકે સેવા આપેલ છે. હાલમાં શ્રી મીરામ્બિકા એજ્યુકેશન કોપ્લેકસના નિયામક તરીકે સેવા આપે છે. તેમનાં માતુશ્રી વસંતબેન શિક્ષિક હતાં, તેમનાં બેન (ડૉ.) સ્મિતાબેન ઝાલા કુંડલિયા આર્ટ્સ-કોમર્સ કોલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે સેવા આપે છે. (ડૉ.) હરેશકુમાર ઝાલાએ આ લેખમાળા તૈયાર કરવામાં અનેકવિધ–સંદર્ભો તેમજ વ્યક્તિગત મુલાકાતનો આધાર લીધેલ છે. સમગ્ર પરિવાર શિક્ષિત છે, સાહિત્યિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. આ લેખમાળામાં ભાવનગર યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગના નિવૃત્ત અધ્યક્ષ ડૉ. સુમનબેન ચૌધરી પાસેથી પણ કેટલાંક પરિચયો ઉપલબ્ધ બન્યા છે. ધન્યવાદ. - સંપાદક સમાજ અને સંસ્કૃતિના કાશી અને મક્કા સ્વ. ડો. આઈ. પી. દેસાઈ ગુજરાતના સમાજ શાસ્ત્રીઓનો પ્રારંભ સ્વ. આઈ. પી. દેસાઈ સાહેબના નામથી થાય. દેસાઈ સાહેબનો જન્મ નવસારી જિલ્લાના પણ ગામમાં ૩૧, જુલાઈ ૧૯૧૧ના થયેલ હતો. તેઓનો અભ્યાસ સુરત અને મુંબઈમાં થયો હતો. તેઓએ પોતાનું પી.એચ.ડી.નું શોધ કાર્ય મૂર્ધન્ય-સમાજશાસ્ત્રી પ્રો. પૂર્વેનાં માર્ગદર્શન હેઠળ કરેલ હતું. તેઓએ પોતાની સેવા શામળદાસ કોલેજ, ભાવનગર, પૂના યુનિવર્સિટી, તેમજ એમ.એસ. યુનિવર્સિટી, બરોડામાં આપેલ હતી. તેઓએ ૧૯૯૬માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ સ્વ. ખર્ચે ‘સેન્ટર ફોર રીજીયોનલ ડેવલપમેન્ટ સ્ટડીઝ' નામનું કેન્દ્ર સુરત શહેરમાં શરુ કર્યું. તેઓએ, તેમનાં સમગ્ર જીવન દરમ્યાન અનેક પુસ્તકો, નિબંધો અને અહેવાલો લખ્યા હતાં. પોતાના જીવનકાળ દરમ્યાન અનેક પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેઓ ગુજરાત સરકારની અનેક કમીટીમાં સ્થાન પામ્યા હતાં જેમાં, તેમની કામગીરી અને માર્ગદર્શન અતિ મહત્ત્વનાં રહ્યાં હતા. તેઓ ૧૯૭૭-૭૯ સુધી ભારતીય સમાજશાસ્ત્ર પરિષદના પ્રમુખ હતા. રાજશ્રીમુનિના ધાર્મિક મઠમાં તેઓ (પંચમહાલ) રહ્યા હતા. સમગ્ર જીવન દરમ્યાન તેમણે સત્તાધીશો, લોકશાહીમાં અતૂટ વિશ્વાસ ધરાવતા લોકોના સંપર્કમાં રહ્યા. ભારતીય સમાજશાસ્ત્રીય પરિષદના મંત્રી તેમજ 73 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy