SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ લેખકે મીરાંના આધ્યાત્મિક જીવનને અને તેનાં કવિહૃદયને પામવાનો પ્રયત્ન કર્યો છે. એમનું અન્ય મરણોત્તર પ્રકાશન છે ‘શેષ લેખો'. આ પુસ્તકમાં તેમના કેટલાક અભ્યાસલેખો સમાવાયા છે. એમનું ગદ્ય પ્રસન્નગંભીર છે અને સંસ્કૃત શબ્દોના વિનિયોગથી તાજગીભર્યું બન્યું છે. સંસ્કૃત તેમજ અંગ્રેજી સાહિત્યનો તેમણે ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. આ સઘન અભ્યાસની ફોરમ તેમના પુસ્તકોમાં સુપેરે પ્રસરેલી છે. અર્થઘટન તેમજ અર્થદર્શન ક્ષેત્રે તેમણે અર્જિત કરેલી કુશળતાને કારણે તેમના નિબંધો ધ્યાનાર્હ બન્યા છે. અમદાવાદ ખાતે ઇ.સ. ૧૯૫૬ના એપ્રિલની ૨૪મી તારીખે તેઓ પંચત્વ પામ્યા. વિઠ્ઠલદાસ મગનલાલ કોઠારી ઇ.સ. ૧૯૦૦ના ઑગષ્ટની ૨૮મી તારીખે કલોલમાં જન્મેલા વિઠ્ઠલદાસ ગુજરાત વિદ્યાપીઠના આજીવન સેવક હતા. અર્થશાસ્ત્ર વિષે તેમનો અભ્યાસ એટલો તો ગહન અને વ્યાપક હતો કે વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે તેઓ કીર્તિ પામ્યા હતા. તેમના પિતા મગનલાલ અને માતા ચંચળબા હતાં. મેટ્રિક સુધીનું શિક્ષણ તેમણે કલોલમાં લીધું. ઇ.સ. ૧૯૨૦માં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ વધુ અભ્યાસ માટે તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા. ગાંધીજીએ આ વર્ષે જ ભારતભરમાં ગુલામીનું બંધન તોડી વિદેશી સરકારની હકાલપટ્ટી માટેનું આંદોલન છેડ્યું. વિદેશી પદ્ધતિથી અપાતા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનો ત્યાગ કરી ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણ માટે હાકલ કરી. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. વિઠ્ઠલદાસભાઈએ કૉલેજનો ત્યાગ કર્યો અને ગુજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. ઇ.સ. ૧૯૨૩માં અર્થશાસ્ત્રના વિષય સાથે તેઓ સ્નાતક થયા અને તરત જ એ જ વિદ્યાપીઠમાં તેમને શિક્ષણકાર્યની જવાબદારી સોંપવામાં આવી. શિક્ષણક્ષેત્રે તથા રાષ્ટ્ર માટે પોતે અવિચ્છિન્ન સેવા કરી શકે એવા આદર્શ હેતુથી પ્રેરાઈ તેમણે આજીવન અપરિણીત રહેવાનો સંકલ્પ કર્યો અને તેનો સંપૂર્ણપણે અમલ કર્યો. ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે સતત ૪૯ વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. અધ્યાપકની ફરજ બજાવવા ઉપરાંત તેઓ વિદ્યાપીઠના મદદનીશ મહામાત્ર અને ઉપાચાર્ય પણ રહ્યા હતા. Jain Education International ૫૫૩ તેમની નિયુક્તિ વિદ્યાપીઠના ટ્રસ્ટી તરીકે કરવામાં આવી હતી. વિદ્યાપીઠની કારોબારીના પણ તે સભ્ય નિમાયા હતા. આ બન્ને પદ પર તેઓ જીવનના અંત સુધી રહ્યા હતા. ગાંધી–સિદ્ધાંતોને પૂરેપૂરા પચાવી જનાર આ વ્યક્તિએ સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી હતી અને ઇ.સ. ૧૯૬૦ સુધી એટલે કે જ્યાંસુધી સેવાકાર્યમાં ચાલુ રહ્યા ત્યાં સુધી માસિક પગાર પેટે માત્ર પચાસ રૂપિયા જ લેતા. તેમણે લખેલાં મનનીય પુસ્તકોમાંનાં કેટલાંક છે ‘અર્થશાસ્ત્રપ્રવેશિકા’, ‘હિંદનું પ્રજાકીય અર્થશાસ્ત્ર’, ‘ખેડૂતપોથી’, ‘કેળવણી વડે ક્રાંતિ’, ‘દોઢ સદીનો આર્થિક ઇતિહાસ’, ‘પ્રાચીન અર્થશાસ્ત્ર : એક દોહન’ અને ‘પ્રૌઢશિક્ષણ'. ઇ.સ. ૧૯૭૨ના ડિસેમ્બરની ૨૫મી તારીખે તેમણે આ દુનિયાની કાયમી વિદાય અમદાવાદ ખાતે લીધી. સંતપ્રસાદ રણછોડદાસ ભટ્ટ ઇ.સ. ૧૯૧૬ના ફેબ્રુઆરીની ૨૪મીએ સુરતમાં જન્મેલા સંતપ્રસાદ અંગ્રેજી ભાષાના માતબર પ્રાધ્યાપક હતા. તેઓ સારા વક્તા, નીડર રાજકારણી અને વિદ્વાન લેખક હતા. પિતા રણછોડદાસ અને માતા વિજ્યાગૌરી બંને શિક્ષણકાર્યમાં જોડાયાં હતાં. આમ સંતપ્રસાદને વારસામાં જ શિક્ષણ મળ્યું હતું. સંતપ્રસાદ તેમના માતાપિતાના એક માત્ર સંતાન હોવાથી તેમનું બાળપણ એકાકી રહ્યું હતું. તેમણે બાળક તરીકે એકલતા અનુભવી અને બહિર્મુખ તેમજ અંતર્મુખ રહી પોતાના સમગ્ર જીવનને ઉજ્વળ બનાવ્યું. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ તેમણે સુરતમાં જ મેળવ્યું. ત્યારપછી સુરતની એમ.ટી,બી. કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ માટે દાખલ થયા અને અંગ્રેજી વિષય સાથે બી.એ. થયા. ત્યાંથી તેઓ મુંબઈની એલિફિન્સ્ટન કૉલેજમાં જોડાયા અને ઇ.સ. ૧૯૩૮માં એમ.એ.ની પરીક્ષામાં પાસ થયા. વિદ્યાર્થી તરીકે તેઓ અતિ તેજસ્વી હતા. આથી સમગ્ર વિદ્યાકાળ દરમિયાન તેમને વિવિધ સંસ્થાઓ તરફથી શિષ્યવૃત્તિ મળતી અને આથી વધુ અભ્યાસ કરવાની સગવડ પ્રાપ્ત થતી. માત્ર ૧૫ વર્ષની વયે સુરતમાં પોતાના પડોશમાં જ ઉજવાતા ઇકબાલ જયંતીના પ્રસંગે તેમણે અંગ્રેજીમાં ભાષણ કરી સૌને અભિભૂત કર્યા હતા. મેટ્રિક ભણતા ત્યારે ચીમનભાઈ પટેલ તેમના અંગ્રેજીના શિક્ષક હતા. તેમના અંગત પુસ્તકાલયનો સંતપ્રસાદે ભરપેટ ઉપયોગ કર્યો અને કલાકો સુધી વાંચન કરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy