SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ અનેક અડચણો ભોગવીને ૨૧ વર્ષ ચલાવ્યું. તેમને ઈશ્વરમાં નહીં પરંતુ નીતિ, માનવતા તથા અધ્યાત્મમાં વિશ્વાસ હતો. ઇ.સ. ૧૯૩૦માં ગાંધીજીએ શરૂ કરેલી ‘દાંડીકૂચ’નું નરસિંહભાઈએ આણંદમાં સ્વાગત કર્યું અને કૂચ સાથે નભાડ સુધી ગયા. સમગ્ર પરિવાર આ કૂચમાં જોડાયો હતો. આ કાર્ય બદલ તેઓને પકડવામાં આવ્યા અને છ માસની કારાગારની સજા કરવામાં આવી. ઈશ્વરનો ઇન્કાર' અને લગ્નનો પ્રપંચ' તેમણે લખેલાં પુસ્તકો છે. તેમણે વિઠ્ઠલ કન્યા વિદ્યાલયની સ્થાપનામાં અને હરિજન સંઘની પ્રવૃત્તિઓમાં સક્રિય સહયોગ આપ્યો હતો. ખેડા જિલ્લાના સોજિત્રા મુકામે ઇ.સ. ૧૯૪૫ના ઑક્ટોબર માસની ૧૭મી તારીખે તેમનું દેહાવસાન થયું. નાથાલાલ ભાણજી દવે નાથાલાલ ‘સાદુળ ભગત’ અથવા ‘અધીરો ભગત'ના ઉપનામથી ઓળખાતા. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામે ઇ.સ. ૧૯૧૨ના જૂનની ૩જી તારીખે થયો. પિતાનું નામ હતું ભાણજી કાનજી દવે અને માતાનું નામ કસ્તૂરબા. તેમણે નર્મદાબહેન સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે પ્રાથમિક શિક્ષણ ભુવામા અને માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં લીધું. ભાવનગરની શામળદાસ કૉલેજ તથા વડોદરાની બરોડા કૉલેજમાં અભ્યાસ કરી તેઓ ઇ.સ. ૧૯૩૪માં બી.એ. તથા ઇ.સ. ૧૯૩૬માં એમ.એ. થયા. બી.એ.માં તેમનો મુખ્ય વિષય અંગ્રેજી હતો જ્યારે એમ.એ.માં ગુજરાતી હતો. ઇ.સ. ૧૯૪૩માં તેમણે શિક્ષણખાતાની બી.ટી.ની ડિગ્રી પણ મેળવી હતી. અભ્યાસ પૂરો કરી તે શિક્ષક બન્યા. ત્યારબાદ આચાર્ય તરીકે પણ સેવા આપી તે પદ પરથી તેઓ શિક્ષણાધિકારી પણ બન્યા. ઇ.સ. ૧૯૭૦માં નિવૃત્ત થયા ત્યારે તેઓ માંગરોળ ખાતેની ગવર્મેન્ટ બેચલર ઓફ ટ્રેનિંગ સરકારી (G.B.T.C.) ગ્રેજ્યુએટ બેઝિક ટ્રેનિંગ કોલેજના આચાર્ય હતા. સેવાકાળ દરમિયાન ‘સરસ્વતી’ તથા ‘જીવનશિક્ષણ' નું તંત્રીપદ સંભાળ્યું હતું. ભાવનગર સાહિત્ય સભા'ના તેઓ મંત્રી અને ‘સાહિત્યભારતી’ના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા. અનુગાંધીયુગના મહત્ત્વના કવિ-વાર્તાકાર નાથાલાલના નામે અનેક પુસ્તકો ચઢ્યાં છે. તેમનાં કાવ્યોમાં શુદ્ધ કવિતા પ્રત્યેનું વલણ અને સૌંદર્યાનુરાગ જોવા મળે છે. તેમણે દોરેલાં Jain Education International ૫૪૫ શબ્દચિત્રો રમ્ય હોય છે. તેમનું પ્રભુત્વ ભાવ માધુર્ય, છંદો અને ગેય ઢાળો પર છે. વધુમાં તેમની લલિતમધુર કાવ્યબાની તેમનાં કાવ્યોને આસ્વાદ્ય બનાવે છે-ઉપદ્રવ' અને ‘હળવે હાથે' કાવ્યગ્રંથો છે. ‘મુખવાસ' એ પુસ્તક સંગ્રહ અને ‘આનંદધારા’ ભક્તિકાવ્યોનો સંચય છે. ‘રવીન્દ્રવૈભવ'માં તેમણે ટાગોરનાં કાવ્યોનો સુંદર પદ્યાનુવાદ આપ્યો છે. તદુપરાંત તેમણે પ્રીતનો ગુલાબી રંગ’, ‘ઉપહાર’, ‘ગાયે જા મારા પ્રાણ’ અને ‘પ્રણય માધુરી'ના નામે અન્ય કાવ્યસંગ્રહો પણ આપ્યા છે. તેમના વાર્તાસંગ્રહો છે ‘નવું જીવતર’, ‘ભદ્રા’, ‘ઊડતો માનવી’, ‘શિખરોને પેલે પાર' અને ‘મીઠી છે જિંદગી'. આ સંગ્રહની વાર્તાઓ અત્યંત રસપ્રદ બની છે તેનું શ્રેય જાય છે નાથાલાલના નોંધપાત્ર વિષય–વૈવિધ્યને, રોચક વર્ણનોને, પાત્રોના સૂક્ષ્મ મનોભાવના, આલેખનને, વાર્તાકથનની સહજ ફાવટને અને સરળ, પ્રવાહી ગદ્યને. ‘શ્રી અરવિંદયોગદર્શન' અને ‘મુદ્રારાક્ષસ’ તેમનાં અનૂદિત પુસ્તકો છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોનું પણ તેમણે સંપાદન કર્યું હતું. સચિત્ર વાચનપોથીઓ પણ તેમણે તૈયાર કરી છે. પ્રસ્થાન' અને ‘ફૂલછાબ’માં જે અવલોકનો તેમણે લખ્યાં છે તે ગ્રંથસ્થ થવાની રાહ જોતાં પડ્યાં છે. આવડા વિસ્તૃત પ્રમાણમાં વિવિધ સાહિત્યપ્રકાર પર પુસ્તકો લખી તેમણે વિવિધ પારિતોષિકો મેળવ્યાં હતાં. જેમાંના કેટલાંક છે : ગુજરાત રાજ્ય દ્વારા ‘જાહ્નવી’ અને ‘અનુરાગ’ ને શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે : ‘હસાહસ’ માસિક દ્વારા ‘ઉપદ્રવ’ ને શ્રેષ્ઠ હાસ્યકૃતિ તરીકે : ડૉ. લાખાણી સુવર્ણચંદ્રક ‘રવીન્દ્ર વૈભવ'ના શ્રેષ્ઠ પદ્યાનુવાદ માટે : ન.મા. સુરતી પારિતોષિક ‘ભદ્રા' ને : ‘સજની' વાર્તા-માસિક દ્વારા દાયકાના શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે શિખરોને પેલે પાર' માટે : એ જ વાર્તા સંગ્રહને ગુજરાત સરકારનું પારિતોષિક તથા જયંતી ખત્રી એવોર્ડ પણ અપાયા હતા : વીસનગરના પારેખ પુસ્તકાલય દ્વારા મીઠી છે જિંદગી' ને શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ તરીકે. તેમનું અવસાન ભાવનગર ખાતે ઇ.સ. ૧૯૯૩ના ડિસેમ્બરની ૨૫મી એ થયું. ડૉ. પી. ડી. પાઠક આંતર્રાષ્ટ્રીય નામના પ્રાપ્ત કરનાર ગુજરાતના ભૌતિકવિજ્ઞાની ડૉ. પુષ્કરરાય દલપતરાય પાઠકનો જન્મ ઇ.સ. ૧૯૧૬ના એપ્રિલની ૧૬મીએ ભરૂચ ખાતે થયો છે. તેમણે પ્રાથમિકથી શરૂ કરી ઉચ્ચશિક્ષણ વડોદરા ખાતે લીધું. સંશોધન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy