SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ શિષ્ટ હાસ્યકાર તરીકે પરિચય થાય છે. તેમનું હાસ્ય સ્વભોગે નિષ્પન્ન થતું હોવાથી તે વધુ કલાત્મક બન્યું છે. સહુને મરક મરક હસાવ્યા કરે એવું કડવાશ વિનાનું સ્વચ્છ હાસ્ય તેમની કૃતિઓમાં હોય છે. ક્યાંય વ્યક્તિગત વ્યંગ નહીં દેખાય કે કશેય પ્રબળ કટાક્ષપ્રહાર અનુભવવા નહીં મળે. ઇ.સ. ૧૯૯૪માં હાસ્યનવલકથાના પ્રયોગરૂપે તેમણે ‘સંભવામિ યુગે યુગે’ નામની નવલકથા લખી. રમણભાઈ નીલકંઠના અતિ વિખ્યાત ‘ભદ્રંભદ્ર'નો વર્તમાન કાળમાં પુનર્જન્મ કરાવી તે પાત્ર દ્વારા નર્મદાયોજનાની હાસ્યમય આલોચના કરી છે. આ પુસ્તકમાં ડૉ. બોરીસાગરે હળવા કટાક્ષો વાપર્યા છે. કશેય ડંખ દેખાતો નથી. ઇ.સ. ૧૯૭૭માં તેમણે આત્મકથાત્મક હાસ્યરસિક નવલકથા‘એન્જૉયગ્રાફી' પ્રકાશિત કરી. આ નવલમાં હ્રદયની બીમારીનો સ્વાનુભવ એટલી સરળતાથી રજૂ કર્યો છે કે ‘એન્જીયોગ્રાફી’ નું સહજ પરિવર્તન ‘એન્જૉયગ્રાફી’માં થઈ ગયું છે. આ પુસ્તક દ્વારા ડૉ. બોરીસાગરે હાસ્યકલાનું ઉત્તમ શિખર પ્રાપ્ત કર્યું છે. લેખક પોતે બુદ્ધુ હોય, અશિક્ષિત હોય એવું વાતાવરણ ખડું કરી આસપાસમાં અનેક પાત્રોની તેઓ મીઠી મજાક કરી શક્યા છે. ડૉકટરો પર, હૉસ્પિટલના અન્ય કર્મચારીઓ પર તેમણે માર્મિક કટાક્ષોનો મારો ચલાવ્યો છે. તેમના ‘મરક મરક' માટે જ્યોતીન્દ્ર દવે પારિતોષિક અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક અપાયાં છે. તેમના ‘આનંદલોક’ ને પણ ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ‘એન્જૉયગ્રાફી’ ને ઘનશ્યામ શરાફે ઇનામથી નવાજી છે. ઇ.સ. ૧૯૯૪માં લખાયેલું તેમનું ‘બાળવંદના' નામનું પુસ્તક તેમનો બાળકો પ્રત્યેના વાત્સલ્યનો સંકેત આપે છે. તેમણે નાટકો અને વિવેચનો પણ લખ્યાં છે. અમદાવાદથી પ્રસિદ્ધ થતાં દૈનિક ‘સંદેશ'માં તેઓની કટાર નિયમિતપણે પ્રકાશિત થાય છે. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ગુજરાતના કેળવણીકાર કરતાં પણ એક ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સૈનિક, સમાજસુધારક અને પત્રકાર તરીકે વધારે જાણીતા થયેલા નરસિંહભાઈનો જન્મ ગરીબ પાટીદાર કુટુંબમાં ઇ.સ. ૧૮૭૪ના ઑક્ટોબર માસની તેરમી તારીખે ખેડા જિલ્લાના નાર ગામે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ સોજિત્રામાં અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં લીધું. ઇ.સ. Jain Education Intemational પથપ્રદર્શક ૧૮૯૫માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને વડોદરા રાજ્યના શિક્ષણ વિભાગમાં માસિક રૂા. ૨૦=૦૦ના પગારથી શિક્ષક તરીકે જોડાયા. નોકરી દરમિયાન તેમણે ‘શિક્ષક' નામનું એક સામયિક પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું. ફુરસદના સમયે તેઓ બંગાળી ભાષા શીખતા. બંગાળી ભાષા પર એટલું પ્રભુત્વ મેળવ્યું કે અરવિંદ ઘોષના ભાઈ બારીન્દ્ર ઘોષે લખેલા ‘મુક્તિ કોન પથે' નામના પુસ્તકનો તેમણે ગુજરાતી અનુવાદ બહાર પાડ્યો હતો. અરવિંદ ઘોષનાં કેટલાંક રાજદ્રોહી પ્રવચનો પણ તેમણે ગુજરાતીમાં ઉતાર્યા હતાં. ઇટાલીના દેશભક્ત ગૅરિબાલ્ડીના જીવનચરિત્રનું પણ ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. દેશમાં ગુલામી સામે લડત આપી શકાય એ હેતુથી બોંબ બનાવવાની પદ્ધતિ વિષેની પુસ્તિકાઓ તેમણે છપાવી હતી અને ‘વનસ્પતિની દવાઓ’,‘કસરત', ‘નાહવાનો સાબુ', ‘કિસ્સાએ ગુલાબ’ અને ‘કાયદાનો સંગ્રહ' એવાં નામ આપ્યા હતાં જેથી પોલીસ શીર્ષકથી છેતરાય અને આડે માર્ગે દોરવાય. બ્રિટીશ સરકારે ખૂબ મહેનત કરી આવી પુસ્તિકાઓ કોણ છપાવે છે તે ખોળી કાઢ્યું પરિણામે નરસિંહભાઈ અને તેમના સાથી મોહનલાલ કામેશ્વર પંડ્યાને નોકરી ખોવી પડી. નરસિંહભાઈને રાજ્યમાંથી હદપાર પણ કર્યા. ખોટી જુબાની આપવાના આરોપસર તેમને બે માસની જેલની સજા પણ કરવામાં આવી. સજા પૂરી થયે નરસિંહભાઈ છૂટ્યા ત્યારે જાણવા મળ્યું કે તેમને પકડી તેમના પર કામ ચલાવી આંદામાન પર કાળાપાણીની સજા ભોગવવા મોકલવાની પેરવી ચાલે છે. આથી તેઓ ગુપ્ત વેશે ફ્રેન્ચ સંસ્થાન પોંડીચેરી ગયા. અહીં પણ બ્રિટીશ પોલીસનો ભય જણાતાં કોલમ્બો થઈ મોમ્બાસા પહોંચ્યા. ત્યાંથી પણ તેમને ભાગવું પડ્યું અને તે આફ્રિકાના મવાન્ઝા ગયા. પ્રવાસની આ દોડધામ દરમિયાન તેમને દમનો રોગ તો લાગુ પડ્યો હતો વધારામાં કાળા આજાર'ની બીમારીથી પણ તે પીડાવા લાગ્યા. ઇ.સ. ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ તેઓ યુગાન્ડાના ઝિંઝા ગયા. અહીં ગાંધીભક્ત ચાર્લ્સ એન્ડ્રુઝના સંપર્કમાં આવ્યા. તેમની સાથે કામ કરતા બંને વચ્ચે ગાઢ મૈત્રી વિકસી. પછી બંને ભારત આવ્યા. નરસિંહભાઈ શાંતિનિકેતનમાં અધ્યાપનકાર્યમાં જોડાયા. પરંતુ અહીંની આબોહવા તેમને ફાવી નહીં. વધુમાં તેમની વિરુદ્ધની તપાસ અને કાર્યવાહી પોલીસે ફાઈલ કરી દીધી હતી. આથી તેમને લાગ્યું કે હવે ગુજરાત જવામાં જોખમ નથી. આથી તે આણંદ ગયા અને પાટીદારી' માસિક શરૂ કર્યું. (૧૯૨૩). આ માસિક તેમણે એકલે હાથે અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy