SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ ગામે કરી. વરાડમાં કુંવરજી બાળકોને દેશભક્તિનાં ગીતો ગવડાવતા અને ગામના લોકોને સ્વદેશી ખાદીનાં વસ્ત્રો પહેરવાની ભલામણ કરતા. આ કારણે વરાડથી તેમને સુંવાડી નામના ગામમાં બદલી કરવામાં આવી. બદલીઓથી ભોગવવી પડતી અવિરત અસ્થિરતાથી કંટાળી અંતે તેમણે નોકરીનું રાજીનામું આપ્યું અને પૂર્ણ સમય માટે જાહેર સેવાને વ્યવસાય તરીકે સ્વીકારી. પોતાની પટેલ જ્ઞાતિમાં અનેક કુરિવાજો પગ કરી ચૂક્યા હતા. પટેલો ટૂંકી દૃષ્ટિના બની આપસઆપસમાં ઝઘડતા હતા. . એક માસિક શરૂ કર્યું. ઈ.સ. ૧૯૧૧માં સૂરત ખાતે “વલ્લભ વિદ્યાર્થી આશ્રમ' નામથી પાટીદાર આશ્રમની સ્થાપના કરી. વખતોવખત પાટીદારોના વિશાળ સંમેલનો બોલાવી આ સંમેલનોમાં જ્ઞાતિ-સુધારા અંગેના નિયમો ઘડાવ્યા અને પસાર કરાવ્યા. પછીથી આ જ પાટીદાર આશ્રમ સત્યાગ્રહની વિવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યો હતો. આશ્રમ માટે ફંડ ઊભું કરવા ખાતર તેઓએ રંગૂન તથા આફ્રિકાનો પ્રવાસ ખેડ્યો હતો. સૂરતમાં તેમણે એક દુકાન શરૂ કરી જેમાં લેખનસામગ્રી, પુસ્તકો તથા સ્વદેશી કાપડ વેચવામાં આવતું. ખેડા સત્યાગ્રહ અને ઇ.સ. ૧૯૨૨માં શરૂ થયેલી અસહકારની ચળવળમાં પણ તેમણે ભાગ લીધો હતો. બારડોલી તાલુકાના ખેડૂતો જો સરકાર તેઓની માંગણીઓ મંજૂર ન કરે તો નાકરની લડાઈ આપે એ વાત ખેડૂતોને સમજાવી સત્યાગ્રહ માટે તૈયાર કર્યા. બારડોલી તાલુકાના ખેડૂતોનું મહેસૂલ અન્યાયી રીતે વધારવામાં આવ્યું. આથી ઇ.સ. ૧૯૨૮માં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની નીચે સત્યાગ્રહ શરૂ કરાવ્યો અને ઝુંબેશને સફળતા સાંપડી ત્યારે જ જંપ્યા. ઇ.સ. ૧૯૩૦માં ગાંધીજીએ સવિનય કાનૂનભંગનું આંદોલન શરૂ કરવાનો આદેશ આપ્યો. આ આંદોલન દરમિયાન સત્યાગ્રહની ચળવળનું કેન્દ્ર બની ચૂકેલા પાટીદાર આશ્રમને સરકારે જપ્ત કર્યો. કુંવરજી તથા ભાઈની વ્યક્તિગત મિલકત પણ જપ્ત કરી. આવા અન્યાયોનો સામનો કરવા કુંવરજીભાઈએ બારડોલી તાલુકાના ખેડૂતોને સામૂહિક હિજરત કરવાનો આદેશ આપ્યો. કુંવરજીના આદેશને અનુસરી બારડોલીના કૃષિકારોએ અનેક અચડણોનો સામનો કર્યો પણ નમતું ન જોખ્યું. સૂરત સ્થિત રાષ્ટ્રીય શાળાઓનું સંચાલન કરવામાં ત્યાંની સુધરાઈને આઝાદીના રંગે રંગવામાં કુંવરજીભાઈએ મહત્ત્વની ભૂમિકા પથપ્રદર્શક ભજવી હતી. આ સર્વ પ્રવૃત્તિઓના કારણે તેઓ સરદાર પટેલના જમણા હાથ સમાન બન્યા હતા. ઇ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થયું. સરદાર વલ્લભભાઈ પટેલનો સાથ અને પોતે કરેલી નિઃસ્પૃહ સેવાના કારણે કુંવરજીભાઈએ ધાર્યું હોત તો કોઈ સરકારી હોદ્દો ભોગવી શક્યા હોત પણ નિઃસ્વાર્થ સેવાને વરેલા તેમણે એવી કોઈ સ્પ્રહા રાખી નહોતી. જીવનમાં આખરી વર્ષો દરમિયાન તેઓ મુંબઈમાં વસ્યા. વધતી ઉંમર અને લથડતી તબિયત છતાં ત્યાં રહીને લોકોની બની એટલી સેવા તેઓ કરી છૂટ્યા. મલાડની નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટી લોકોએ તેમણે કરેલી ઉદાત્ત સેવાનો યત્કિંચિત બદલો વાળી આપવાની કોશિશ કરી હતી. કોઈ પણ કઠણાઈ સામે આવે ત્યારે હૈયાઉકલતથી તેનો નિકાલ કરવાની તેમનામાં અજબ શક્તિ હતી. એક વખત કોઈ પણ કામ હાથ પર લે પછી કોઈ પણ ભોગે તે પાર પાડે પછી જ જંપે. ભારતના વડા પ્રધાનનું પદ શોભાવનાર મોરારજી દેસાઈ જાહેર કાર્યનો પ્રત્યક્ષ અનુભવ લેવા કુંવરજીભાઈ સાથે રહ્યા હતા. ઇ.સ. ૧૯૮૨ના ફેબ્રુઆરીની ૧૮ મી તારીખે લોકપ્રિય આગેવાન, સ્વાતંત્ર્યસેનાની, દેશભક્ત અને સમાજસુધારક એવા કુંવરજીભાઈનું મુંબઈ ખાતે દેહાવસાન થયું. કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા શિક્ષક તરીકે વિવિધ સ્થળની શાળાઓમાં ગણનાપાત્ર સેવા આપનાર કૌશિકરામનો જન્મ સૂરતમાં ઇ.સ. ૧૮૭૪માં થયો હતો. પિતાનું નામ વિઘ્નહરરામ અને માતાનું નામ હરદયાગૌરી. દાદાનું નામ બલરામ હતું. સૂરતમાં જ તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ઇ.સ. ૧૮૮૯માં મેટ્રિકની પરીક્ષામાં તે ઉત્તીર્ણ થયા. વધુ અભ્યાસ માટે વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ઇ.સ. ૧૯૮૨માં ભાષા અને સાહિત્યના ઐચ્છિક વિષયો લઈ તેમણ બીજા વર્ગમાં બી.એ.ની પરીક્ષા પાસ કરી. આ વિષયો ઉપરાંત તેમને તત્ત્વજ્ઞાન, શિક્ષણશાસ્ત્ર વગેરે વિષયોમાં પર વિશેષ રુચિ હતી. પોતાને ગમતા વિષયો પર તેમણે વિવિધ લેખો લખ્યા છે જુદા જુદા સામયિકોમાં પ્રકાશિત થયા અને તે વિષયના રસજ્ઞોની સૌરાષ્ટ્ર વિસ્તારની વિધવિધ માધ્યમિક શાળાઓમાં તેમણે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy