SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કાશીરામ લલ્લુભાઈ મહેતા કેળવણીકાર, ગાંધીયુગના સત્યનિષ્ઠ આદર્શ ગ્રામસેવક અને દેશના આઝાદીજંગના વિનમ્ર સૈનિક કાશીરામનો જન્મ ઇ.સ. ૧૮૯૫માં વલ્લભીપુર ખાતે થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષકો માટેની તાલીમ કૉલેજમાં અભ્યાસ કરી વલ્લભીપુરની દરબારી શાળામાં માસિક રૂપિયા બેના પગારથી શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી. તેમનાં પત્ની નર્મદાબહેન પણ શિક્ષિકા તરીકે નોકરી કરતાં હતાં. સોનગઢ ખાતે આવેલ ગુરુકુળમાં પણ કાશીરામે સેવા આપી હતી પરંતુ તેઓ જ્યારે ખીરસરાની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા ત્યારે ભારતે ગુલામીની સાંકળ તોડી આઝાદ થવું જોઈએ આવી વાતો શાળાનાં બાળકો પાસે કરી તેમને સ્વદેશપ્રેમી બનવાની શીખ આપી તેથી આ નોકરીમાંથી તેમણે છૂટા થવું પડ્યું. ‘દક્ષિણામૂર્તિ’ના શિક્ષકો જે શાળાને ‘શિક્ષણના તીર્થક્ષેત્ર' તરીકે ઓળખાવતા તે વિનામૂલ્યે ચાલતી રાત્રીશાળા તેમણે ઝીંઝાવદરમાં શરૂ કરી. વઢવાણની રાષ્ટ્રીય શાળામાં તે જોડાયા હતા. અહીં અદના શિક્ષક ફૂલચંદભાઈ સાથે કામ કરવાની તેમને તક સાંપડી હતી. ત્યાગની ભાવના એવડી તો પ્રબળ કે પોતાને ગરાસમાં મળેલી સો વીઘા જમીનનું જાહેર ટ્રસ્ટ બનાવ્યું. ટ્રસ્ટની આવકમાંથી પોતે એક પાઈ પણ ન લીધી. બધી આવક વિદ્યાર્થીઓ માટે વપરાય એવી જોગવાઈ કરી. જે કાંઈ ઘરવખરી હતી તે પણ ગરીબગુરબાંને વહેંચી દીધી અને દ્વારકા તથા અન્ય તીર્થધામોની પગપાળા યાત્રાએ ચાલી નીકળ્યા. દરમિયાનમાં તેમને ખાત્રી થઈ કે જ્યાં સુધી દેશ સ્વતંત્ર નહીં બને ત્યાં સુધી બીજી કોઈ પણ પ્રવૃત્તિ દેશ માટે લાભદાયી બને તેમ નથી. આથી શિક્ષણકાર્યને તિલાંજલિ આપી કાઠિયાવાડ રાજકીય પરિષદ, યુવકસંઘ અને કોંગ્રેસમાં કાર્યરત રહ્યા. આ તબક્કે તેમને બળવંતરાય મહેતાનું માર્ગદર્શન સાંપડતું હતું. વળા ગામમાં જ્યારે સત્યાગ્રહનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે પ્રથમ પ્રમુખ તરીકે કાશીરામે જવાબદારી સંભાળી હતી. ખેડૂતસંઘના પણ તેઓ સુકાની હતા. રાજકોટમાં વીરાવાળા જ્યારે દમનનો કોરડો ચલાવતા હતા ત્યારે સક્રિય વિરોધ કર્યો અને પોલીસનો માર ખાધો. તેઓ કાઠિયાવાડના એકેએક ગામડે ચાલીને જતા અને લોકોની સ્વતંત્ર ભાવના જગાડવા પ્રયત્નશીલ રહેતા. વર્તમાનપત્રોમાં ફરિયાદરૂપે લોકોની મુશ્કેલીઓ પણ રજૂ કરતા. તેમણે જેલસજા પણ ભોગવી હતી. તેમણે શરૂ કરેલા એક નવતર પ્રયોગરૂપે ઝીંઝાવદરમાં Jain Education International ૫૩૫ એમણે બે ગામકોઠી બનાવી હતી. એ કોઠીઓમાં ગામલોકો સ્વેચ્છાપૂર્વક અનાજ નાખતા અને જરૂર પડે ત્યારે વગરપૂછ્યું કોઠીમાંથી અનાજ લઈ જતા. અસ્પૃશ્યતા નિવારણ માટે તેઓ સતત જાગ્રત રહેતા. ગામ-મંદિરના ઠાકોરજી સામે અન્નકૂટ ભરાય તો કોઈપણ પ્રકારના નાતજાતના ભેદ વિના હરિજન પરિવારોને પણ પ્રસાદ મોકલાવતા. અમદાવાદ ખાતે વજુભાઈ દવેએ શારદામંદિરની સ્થાપના કરેલી તેમાં પણ તે જોડાયા હતા. ‘દક્ષિણામૂર્તિ’નામના ત્રૈમાસિકમાં તેમણે ‘મારી સ્વપ્નસૃષ્ટિની એક શાળા' શીર્ષક હેઠળ શિક્ષક, શિક્ષણ અને બાળકો વિષે તેમણે ઉત્કૃષ્ટ વિચારો રજૂ કર્યા છે. તેઓ માનતા કે જો બાળકને તેમની ઇચ્છા મુજબ કામ કરવા દેવાય તો તે ઝડપી પ્રગતિ સાધી શકે છે. બાળકો માટે ઇતર પ્રવૃત્તિઓ યોજવામાં આવે તો તેથી બાળકોમાં સહકારની ભાવના, નિર્ણયશક્તિનો વિકાસ અને આત્મવિશ્વાસ સાથે સુયોગ્ય વ્યક્તિત્વનું ઘડતર થાય છે એવા સિદ્ધાંતો કાશીરામે પ્રસ્થાપિત કર્યા હતા. ઇ.સ. ૧૯૫૯ના મે માસની સત્તરમી તારીખે અમદાવાદ ખાતે તેઓ પંચત્વને પામ્યા. કુંવરજી વિઠ્ઠલભાઈ મહેતા કુંવરજી મહેતાનો જન્મ સૂરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે ઇ.સ. ૧૮૮૬માં થયો હતો. વાંઝ ગામે આવશ્યક અભ્યાસ કરી એ જ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક બન્યા. ઇ.સ. ૧૯૦૫ માં બંગભંગની ચળવળ થઈ હતી ત્યારથી તેઓ દેશસેવા પણ કરવા લાગ્યા અને સ્વદેશના પ્રચારનું કાર્ય શરૂ કર્યું. ઇ.સ. ૧૯૦૭ માં સુરતમાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું કુંવરજી આ અધિવેશનમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે લોકમાન્ય ટિળક અને અરવિંદ ઘોષના જુસ્સાદાર ભાષણો સાંભળ્યાં. પરિણામ એ આવ્યું કે તેઓને પોતાનું સમગ્ર જીવન દેશસેવા ખાતર અર્પણ કરવાનો વિચાર આવ્યો. બીજે જ વર્ષે ટીળક ઉપર દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો અને અંગ્રેજ સરકારે તેમને છ વર્ષની કારાવાસની સજા કરી. આ અન્યાયનો વિરોધ કરવા કુંવરજીએ વાંઝમાં એક જાહેર સભા ભરી અને શ્રોતાઓ સમક્ષ એક ગરમાગરમ પ્રવચન કર્યું. શિક્ષણખાતાના અમલદારો પોતાના ખાતાના એક સામાન્ય શિક્ષકની આવી હિંમત શી રીતે સાંખી શકે? એથી તરત જ તેમની બદલી વરાડ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy