SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ કરમશીભાઈ સ્વબળે વિકાસ સાધતા ગયા અને નિષ્ઠાવાન શિક્ષક, નીવડેલા સમાજસેવક, કોંગ્રેસ પક્ષના અડીખમ નેતા તથા અદના લેખક તરીકે આબરૂ જમાવી હતી. કુટુંબની સ્થિતિ અતિશય ગરીબ. આથી શ્રમ કરવા જેવડી ઉંમર થઈ કે તરત જ ખેતીના કામમાં લાગી જવું પડેલું. પરિણામે મહેનત શી ચીજ છે તેનું તેમને ભાન થયું અને મહેનતુ જીવન કોને કહેવાય તે જાણવા મળ્યું. ગુજરાત વિદ્યાપીઠમાં સમાજસેવા વિદ્યાશાખામાં જોડાયા હતા તેથી અભ્યાસના એક ભાગ તરીકે તેઓને પ્રત્યક્ષ કામ માટે ગામડામાં જવું પડતું. અહીં કામ કરતાં કરતાં તેમણે પાકો નિશ્ચય કર્યો કે અભ્યાસ પૂરો કરી ગામડાંના ઉત્થાનના કાર્યમાં જીવન ગાળવું છે. સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી તેઓ પોતાના વતન ધજાળામાં આવ્યા. અહીંની શાળામાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. પરંતુ માત્ર શિક્ષક ન રહેતાં ધીમેધીમે અઠંગ ગ્રામસેવક પણ બન્યા. એ જ અરસામાં ગુજરાતમાં પંચાયતી રાજ્યપદ્ધતિને અપનાવવામાં આવી. તેથી તેમની ગ્રામોત્કર્ષની પ્રવૃત્તિઓને ખૂબ વેગ મળ્યો. ઇ.સ. ૧૯૬૨ થી તેમણે ગ્રામસેવાની પ્રવૃત્તિનો આરંભ કરેલો તે છેક મૃત્યુ લગી એટલે કે ઇ.સ. ૧૯૯૭ સુધી પૂરાં ૩૫ વર્ષ તેમણે ચાલુ રાખી. ગુજરાતના અગ્રણી રાજકારણી ઘનશ્યામભાઈ ઓઝાએ તેમને પ્રોત્સાહન આપ્યું. પરિણામે સેવાકાર્ય ઉપરાંત રાજકારણમાં પણ તેઓ સક્રિય બન્યા હતા. સમગ્ર પાંચાળ પ્રદેશનાં ધ્રાંગધ્રા, સુદામડા, ભીમોરા, સાયલા વગેરે સ્થળો પર તેમણે લોકજાગૃતિની જે કામગીરી બજાવી તે તેમની ઉમદા પ્રકારની સેવા-પ્રવૃત્તિના પ્રમાણપત્ર સમાન છે. સમગ્ર વિસ્તારમાં તેમણે કેળવણીનો પ્રસાર કર્યો. જરૂર પડી ત્યાં રાજનીતિજ્ઞ પણ બન્યા અને પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવામાં સહાયભૂત થયા. તેઓ પંચાયતના પણ હોદ્દેદાર તરીકે જોડાયા અને ગુજરાત સરકારના પ્રધાનમંડળમાં પણ પ્રધાન બન્યા. આ સર્વ પાછળ તેમનો હેતુ કેવળ એટલો જ હતો કે કોઈ પણ પ્રકારે લોકોનું ભલું કરી શકાય. ગુજરાત પ્રધાનમંડળમાં તેઓ રાજ્યના નશાબંધી અને વનવિભાગના પ્રધાન બન્યા હતા. ઇ.સ. ૧૯૯૦માં તેમણે નાની સિંચાઈ ખાતાના પ્રધાન તરીકે જવાબદારી સંભાળી સ્થળે સ્થળે ચેકડેમો, સેફ-સ્ટેજ વગેરે કાર્યક્રમો પાર પાડી ગ્રામીણ પ્રજાની તકલીફો દૂર કરવા પ્રયત્નશીલ રહ્યા. ઇ.સ. ૧૯૯૦ થી ઇ.સ. ૧૯૯૪ના સમયગાળામાં તેમણે અગાઉ કરેલાં સેવાકાર્યો કરતાં બમણાં કામ કર્યા અને ગુજરાતના સૂકા પ્રદેશને હરિયાળો બનાવવામાં કારણભૂત બન્યા. ૫૩૩ તેમના કાર્યશીલ જીવનમાં જે જે અનુભવો સાંપડ્યા તે સર્વને ગ્રંથસ્થ કરી ઇ.સ. ૧૯૯૩માં તેમણે ‘વનરાનું હું તો ભાઈ, ફૂલડું' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. વર્તમાન રાજનીતિમાં પક્ષપલટો એક મોટામાં મોટું દૂષણ પેસ્યું છે. પરંતુ કેવળ સેવાભાવથી જ સત્તાસ્થાને બિરાજનારને પક્ષપલટાની પ્રવૃત્તિ શી રીતે જશે? તેઓ પક્ષદ્રોહના આ કવળા રોગથી દૂર રહ્યા અને જાહેર જીવન પણ ગૌરવભેર કેમ જીવાય છે તેનો ઉત્તમ આદર્શ પૂરો પાડ્યો. ગ્રામીણ ગુજરાતના આ સંનિષ્ઠ કાર્યકર અને આદર્શ પ્રજાસેવક ઇ.સ. ૧૯૯૭ના જુલાઈ માસની ૧૦મી તારીખે આપણી વચ્ચેથી કાયમને માટે વિદાય થયા. કરુણાશંકર ભટ્ટ ગામ પર બહારવટિયા ધાડ પાડે અને નિર્દોષ વસતીમાં લૂંટફાટ ચલાવે એ જમાનો હતો. ત્યારે જન્મે અને વ્યવસાયે બ્રાહ્મણ એવા કરુણાશંકર હાથમાં તલવાર પકડી સૌ ગામલોકોના સાથમાં એ ધાડપાડુઓનો સામનો કરવા ગયા હતા. ગુજરાતના ઉત્તમ કોટિના શિક્ષક કરુણાશંકરનો જન્મ સારસા મુકામે ઇ.સ. ૧૮૭૩ના ઓગષ્ટની બાવીસમીએ થયો હતો. પિતાનું નામ કુબેરજી અને માતા દિવાળીબા. દિવાળીબાને ભણતર પ્રત્યે ખૂબ લગાવ. તેમના ભાઈ એટલે કરુણાશંકરના મામા કેશવરામ પણ વિદ્યારંગે પૂરેપૂરા રંગાયેલા. આ બંનેએ કરુણાશંકરના જીવન ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. પરિણામે ઉમદા શિક્ષક તરીકે નામના કમાનાર કરુણાશંકરભાઈએ પોતાના વિદ્યાર્થીઓના અને વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓના જીવનમાં સંસ્કારસિંચન કર્યું. પ્રાથમિક શિક્ષણ પૂરું કરી તે વડોદરાની પુરુષ અધ્યાપન પાઠશાળામાં શિક્ષક તરીકેની લાયકાત પ્રાપ્ત કરવા દાખલ થયા. તે પાઠશાળાના તત્કાલીન આચાર્ય મણિશંકર ભટ્ટ (કાન્ત)ના સંપર્કમાં આવ્યા. બંને વચ્ચે આજીવન મૈત્રી બંધાઈ. કવિ કાન્તની પ્રેરણાથી કરુણાશંકર અંગ્રેજી સાહિત્ય અને શિક્ષણના ઇતિહાસથી સુપરિચિત થયા. શિક્ષક તરીકે તેમણે વડોદરા રાજ્યના કોસિંદ્રા ગામથી શરૂઆત કરી. અહીં સાત વર્ષ સુધી રહી તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં સંસ્કાર-સિંચનનું કામ પણ કર્યું. પછી તેઓ ગંભીરા નામના ગામે ગયા. અહીં તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓને વાચનાભિમુખ કર્યા. ત્યારબાદ પેટલાદ ખાતેના મેટ્રિકના ખાનગી વર્ગમાં ગુજરાતી શીખવવા જોડાયા. આ સેવાકાળ દરમિયાન શિશુક્ષેત્રે પ્રશંસનીય કામગીરી બજાવનાર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy