SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ કર્યો છે. “રાજસ્થાની સાહિત્યનો ઇતિહાસ' નામનો તેમનો અનુવાદગ્રંથ પણ નોંધપાત્ર રહ્યો છે. સાહિત્યતત્ત્વની વિશદ ચર્ચા કરતા તેમના લેખો, “થોડોક કાવ્યવિચાર', ‘ભટ્ટનાયકનો ભાવ વ્યાપાર' અને “ઊર્મિકાવ્યો” અતિ જાણીતા બન્યા છે. ઇ.સ. ૧૯૯૮ના નવેમ્બર માસની તેરમી તારીખે રાજકોટ ખાતે ૭૯ વર્ષની પાકટ વયે તેમણે આખરી શ્વાસ લીધા. ઊર્મિલાબહેન ચીમનભાઈ પટેલ ઊર્મિલાબહેનનો જન્મ વડોદરા ખાતે ઇ.સ. ૧૯૩૨ના માર્ચની પાંચમી તારીખે થયો છે. પિતા પ્રેમાનંદ વ્યવસાયે ડૉક્ટર હતા. માતાનું નામ હતું નર્મદાબહેન. વૈષ્ણવ વણિક પરિવારની દીકરી સામાન્ય ખેડૂતના દીકરા સાથે લગ્ન કરે એ સમાજ સામેનો બળવો ગણાતો તે જમાનામાં ઊર્મિલાબહેને ખેડૂતપુત્ર ચીમનભાઈ જીવાભાઈ પટેલ સાથે લગ્ન કર્યા હતાં અને પતિની સાડાચાર દાયકાથી વધુ સમયની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ દરમિયાન તે ચીમનભાઈની પડખે ઊભા રહી સતત ક્રિયાશીલ રહ્યાં હતાં. તેમણે પ્રાથમિક શિક્ષાણ વીસનગર અને તે લીધું. માધ્યમિક શિક્ષણ વડોદરામાં પ્રાપ્ત કર્યું અને એસ.એન.ડી.ટી. વિદ્યાપીઠમાંથી ગુજરાતી વિષય સાથે સ્નાતકની જી.એ.ની પરીક્ષા પાસ કરી. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના વિષય સાથે એમ.એ. કર્યું અને ગુજરાત વિદ્યાપીઠની પી.એચ.ડી.ની સમકક્ષ ગણાતી ‘વિદ્યાવાચસ્પતિ'ની પદવી પ્રાપ્ત કરી. અભ્યાસકાળ દરમિયાન તેઓ કૉલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલાં રહેતાં. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિનયન શાખાના વિદ્યાર્થી મંડળનાં તેઓ અધ્યક્ષ હતાં. ઇ.સ. ૧૯૬૦ સુધી માધ્યમિક શાળાઓમાં શિક્ષણકાર્યની કામગીરી બજાવી. ઈ.સ. ૧૯૬૦ થી ઈ.સ. ૧૯૬૭ સુધી અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કૉલેજમાં સમાજશાસ્ત્રનાં પ્રાધ્યાપિકા, તે વિભાગનાં વડા તથા ઇ.સ. ૧૯૬૭ થી નિવૃત્ત થતાં સુધીમાં એટલે કે ઇ.સ. ૧૯૯૨ સુધીમાં તે જ કૉલેજમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવી. | સામાજિક સેવાકાર્યોમાં તેઓ ઇ.સ. ૧૯૪૯ થી જોડાયેલાં. આમ લગભગ પાંચ દાયકાના તેમણે કરેલાં સમાજસેવા-કાર્યો દરમિયાન રાજ્યકક્ષાની, રાષ્ટ્રકક્ષાની તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની અનેક સંસ્થાઓમાં વિવિધ સ્થાનો પર રહી પથપ્રદર્શક જવાબદારી નિભાવી છે. નશીલા પદાર્થોનાં સેવનથી પરેશાન થતાં માણસોને એ કુટેવથી મુક્ત કરવા અમદાવાદમાં “નયા જીવન’ અને ‘નયા રાસ્તા' નામથી સલાહ અને માર્ગદર્શન કેન્દ્રો ચલાવવામાં આવે છે. આ કેન્દ્રોના ઊર્મિલાબહેન સંચાલિકા છે. અત્યાર સુધીમાં આ કેન્દ્રોનાં પ્રયાસથી લગભગ ૭,000 વ્યસનીઓ વ્યસનમુક્ત થયા છે. તેમણે જે સંસ્થાઓમાં પોતાનો સક્રિય સહયોગ આપ્યો છે. તેમાંની કેટલીક છે ગુજરાત કેળવણી ટ્રસ્ટ, મંદબુદ્ધિનાં બાળકોના શિક્ષણમાં જોડાયેલા શિક્ષકોને તાલીમ આપતી કૉલેજ અને સરદાર વલ્લભભાઈ એજ્યુકેશન ફાઉન્ડેશન. જે પ્રવૃત્તિઓમાં જોડાઈ ઊર્મિલાબહેને સામાજિક ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેવી પ્રવૃત્તિઓમાંની કેટલીક છે અપંગ અને મંદબુદ્ધિનાં બાળકોનાં પુનઃ સ્થાપનની પ્રવૃત્તિ, ઓછી આવક ધરાવતા ગ્રામ તથા શહેરી વિસ્તારોના પરિવારની મહિલાઓ માટે સ્વરોજગારલક્ષી પ્રવૃત્તિઓ, પ્રૌઢ શિક્ષણની પ્રવૃત્તિઓ અને ગુજરાત રાજ્યના હરિજન તથા આદિવાસી લોકો માટે આવકઉપાર્જનની પ્રવૃત્તિઓ. તેઓ એશિયન ફોરમ ઓફ પાર્લામેન્ટેરિયન્સ ફોર પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટનાં તથા ઇન્ડિયન એસોસિએશન ઓફ પાર્લામેન્ટેરિયન્સ ફોર પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટના ઉપાધ્યક્ષ તથા ગુજરાત વિમેન્સ એક્શન ગ્રુપનાં અધ્યક્ષ છે. તેમણે યુરોપ, અમેરિકા અને એશિયાના અનેક દેશોનો પ્રવાસ કર્યો છે. તેઓએ રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી છે. ઇ.સ. ૧૯૪૯ થી ઇ.સ. ૧૯૯૬ના સમયગાળામાં તેઓ કેન્દ્ર સરકારના ઊર્જા-મંત્રાલયના રાજયકક્ષાના મંત્રી હતાં. તેમણે અંગ્રેજીમાં પુસ્તકો લખ્યાં છે તે છે “ધી ડેવલપિંગ કમ્યુનિટીઝ ઓફ ગુજરાત', “ચેન્જિઝ ઇન ધી પોઝિશન ઓફ અનટચેબલ્સ’ અને ‘વર્લ્ડ ફૂડબેક ગુજરાતીમાં લખેલાં પુસ્તકોમાં “સત્ય તથ્યની ભીતરમાં' તથા ‘નર્મદા સત્યાગ્રહ’ ગણનાપાત્ર છે. કરમશી કાનજી મકવાણા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના અડાળા ગામે ઇ.સ. ૧૯૨૮ના ઑક્ટોબરની સાતમી તારીખે કરમશીભાઈનો જન્મ. તેમણે પ્રાથમિક શિક્ષણ આંબલાની ગ્રામદક્ષિણામૂર્તિની લોકશાળામાં લીધું હતું. ત્યાંથી જ તેમણે “વિનીત'ની ડીગ્રી મેળવી હતી. પછીથી અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવાના વિષય સાથે સ્નાતકની પદવી મેળવી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy