SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ ઇ.સ. ૧૯૦૭માં સુરત ખાતે એક ઔદ્યોગિક પરિષદ ભરાઈ હતી. અંબાલાલભાઈ આ પરિષદનાપ્રમુખ હતા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પણ તેઓ પ્રમુખ હતા. ઇ.સ. ૧૯૦૯માં ગુજરાતી સાહિત્ય પરિષદનું સંમેલન રાજકોટ ખાતે ભરાયું હતું ત્યારે તેઓ પરિષદના પ્રમુખ હતા. સત્ય અને સદાચારનો સતત આગ્રહ રાખતા હોવાથી ઘણાને અંબાલાલભાઈ ઉગ્ર સ્વભાવના લાગતા. સિદ્ધાંતવાદી હોવાથી સ્પષ્ટવક્તા હતા અને આ કારણે ઘણા સામે તેમને અણબનાવ પેદા થતો. દેશમાં અપાતા શિક્ષણની સુધારણા માટે ભારતમાં જ્યારે હંટર કમિશન આવ્યું ત્યારે એ કમિશન સમક્ષ જુબાની આપી હતી કે પ્રાથમિક શિક્ષણ દેશી ભાષામાં અને દેશી શિક્ષકો દ્વારા જ અપાવું જોઈએ. તેમના વિવિધ વિષયો પરના લેખો ‘સ્વ. દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈનાં ભાષણો અને લેખો' એ નામથી પ્રસિદ્ધ થયા છે. ઇ.સ. ૧૯૧૪ના સપ્ટેમ્બર માસની ૧૨મી તારીખે તેમણે કાયમને માટે આંખો મીંચી. ઇન્દુ પુવાર ઇ.સ. ૧૯૫૯ થી ઇ.સ. ૧૯૭૫ દરમિયાન માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે તથા ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે સેવા આપી ગુજરાતના પ્રતિષ્ઠિત શિક્ષક તરીકે નામના મેળવનાર ઇન્દુભાઈનો જન્મ સાંબરકાંઠા જિલ્લાના રૂપાલ ગામે ૧૯મી જાન્યુઆરી, ઇ.સ. ૧૯૪૦ના રોજ થયો છે. શિક્ષક તરીકે ઝળકવા ઉપરાંત તેઓ કવિ, નવલકથાકાર તથા નાટ્યકાર પણ છે. તેમનું પૂરું નામ ઇન્દ્રસિંહ કરણસિંહ પુવાર છે. સાહિત્યકાર અને નીવડેલા સારસ્વત હોવા ઉપરાંત તેઓ કુશળ અભિનેતા, સૂઝ ધરાવતા દિગ્દર્શક અને વધુમાં રંગકસબી પણ છે. તેમણે બાળ-રંગભૂમિની સ્થાપના કરી હતી અને ભૂલકાંઓ માટે ‘લિટલ થિયેટર'ની સ્થાપના કરી. પોતે તેના સ્થાપક-નિયામક બન્યા હતા. નાટ્યલેખકોની એક વર્કશોપ નામે ‘આકંઠ સાબરમતી’માં રસપૂર્વક સક્રિય બની અનેક પ્રયોગશીલ નાટકો તખ્તા ઉપર રજૂ કર્યાં હતાં જેમાં ‘અમરત્વ’, ‘તારા સમ’, બાયોડેટા’, ‘આ એક શહેર છે.' તથા વૈશંપાયન એણી પેર બોલ્યા' જેવા એકાંકીઓનો સમાવેશ થાય છે. કવિ તરીકે તેમણે રચેલી કવિતાઓમાં વર્તમાન વિશ્વનું રિક્તપણું નિરૂપિત થયું છે. Jain Education International ૫૨૯ છેક ઇ.સ. ૧૯૭૫ થી શરૂ કરી અમદાવાદના ઇસરો (અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર)માં લેખક, નિર્માતા તરીકે સેવા આપી રહ્યા છે. તેમના કાવ્યસંગ્રહોમાં કિન્તુ (૧૯૭૪), બે ઉપનિષદો (૧૯૮૮) કેટલાંક ભાષ્યો (૧૯૮૯) અને રોમાંચ નામે નગર (૧૯૯૩)નો સમાવેશ થાય છે. ‘ફક્કડ ગિરધારી’ (૧૯૭૫), ‘હું પશલો છું' (૧૯૯૨) એ તેમણે લખેલા એકાંકીઓ છે. મોશનલાલ માખણવાલા' (૧૯૯૪) અને ‘સંત હ્રદાસ' (૧૯૯૭) એ તેમની નવલકથાઓ તેમજ જંગલ જીવી ગયું રે લોલ’ (૧૯૭૯), ‘ઝૂન ઝૂન ઝૂ બુબલા ઝૂ' (૧૯૮૨) અને ‘ઇન્દુ પુવારનાં બાળનાટકો (૧૯૯૨) એ તેમના બાળનાટ્યસંગ્રહો છે. તેઓ અચ્છા નટ, દિગ્દર્શક અને રંગકસબી તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. ‘રે મઠ'ના તેઓ સભ્ય છે. રમેશ શાહના સાથમાં તેમણે ઇ.સ. ૧૯૭૬ નાં ‘સાબરમતી' નામના એકાંકીસંગ્રહનું સંપાદન કર્યું છે. ‘કૃતિ’ નામના સામયિકના સંપાદકમંડળમાં તેઓ એક સદસ્ય છે. આકંઠ સાબરમતી' તથા હોટલ પોએટ્સ' નામના મંડળોના તે સ્થાપક-સભ્ય છે. ‘સંભવામિ’ તથા ‘ઓમિશિયમ’ નામના સામયિકોના તેઓ સંપાદક છે. ઈશ્વરભાઈ જેઠાભાઈ પટેલ ગુજરાતના શિક્ષણકાર તથા લેખક તરીકે નામ કમાનાર ઈશ્વરભાઈનો જન્મ પીજ, નડિયાદ ખાતે બે નવેમ્બર, ઇ.સ. ૧૯૨૪ના થયો હતો. લેઉવા પાટીદાર કોમમાં જન્મેલા તેમના પિતાનું નામ જેઠાભાઈ દલાભાઈ પટેલ અને માતાનું નામ રૂપબા હતું. કૉલેજનો અભ્યાસ ભારતમાં જ પૂરો કરી એમ.એ. તથા બી.ટી. (હવે બી.એડ)ની ડીગ્રી મેળવી. પછી વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા. અહીં ન્યૂયોર્કમાં આવેલ કોલંબિયા યુનિવર્સિટીમાં દાખલ થઈ શૈક્ષણિક સંચાલન વિષે ધનિષ્ઠ અભ્યાસ કર્યો. ત્યારબાદ ભારત આવી આણંદની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા. ઇ.સ. ૧૯૪૨માં ભારત છોડો'નું દેશવ્યાપી આંદોલન શરૂ થયું. યુવાન ઈશ્વરભાઈ પોતાની જાતને આ ચળવળી અલિપ્ત ન રાખી શક્યા. આંદોલનમાં ભાગ લીધો અને બાર માસ માટે સાબરમતી જેલમાં સરકારના મહેમાન બન્યા. જેલમુક્તિ મળ્યા પછી ફરી શિક્ષણક્ષેત્રમાં જોડાયા. ઇ.સ. ૧૯૬૩ થી ઇ.સ. ૧૯૭૦ સુધી તેઓ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ રહ્યા હતા. ઇ.સ. ૧૯૬૭માં આ જ યુનિવર્સિટીને આશ્રયે ‘જ્ઞાનગંગોત્રી’ નામના ૩૦ ગ્રંથોનું સંપાદન કર્યું. આ શ્રેણી જ્ઞાનકોશ દ્વારા ભરપુર માહિતી પૂરી પાડે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy